October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સલાહકાર વિકાસ આનંદની અધ્‍યક્ષતામાં મંકીપોક્‍સ બાબતે યોજાયેલી સમીક્ષા બેઠક

મંકીપોક્‍સને લઈ આરોગ્‍ય વિભાગ થયું સાવધાન, તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈઃ ડો. વી.કે.દાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા.29: દુનિયાભરમાં મંકીપોક્‍સ વાયરસે ધૂમ મચાવી છે. વિશ્વ આરોગ્‍ય સંગઠન મુજબ અત્‍યાર સુધી દુનિયાના 78 દેશોમાં 20 હજારથી વધુ કેસો નોંધાયા છે. ભારતમાં પણ આ બિમારીના 4 દર્દીઓ નોંધાયા છે. વિશ્વ આરોગ્‍ય સંગઠને મંકીપોક્‍સને આંતરાષ્‍ટ્રીય ચિંતાની વૈશ્વિક સાર્વજનિક આરોગ્‍ય કટોકટી જાહેર કરી છે. એને ધ્‍યાનમાં રાખતા આજે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સલાહકાર શ્રી વિકાસ આનંદની અધ્‍યક્ષતામાં મંકીપોક્‍સ બાબતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં પ્રશાસનના તમામ ઉચ્‍ચ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

યોજાયેલી બેઠકમાંમાહિતી આપતા આરોગ્‍ય નિર્દેશક ડો. વી.કે.દાસે જણાવ્‍યું હતું કે, મંકીપોક્‍સ વાયરસના કારણે થતી સંક્રામક બિમારી છે. આ એક જુનોટિક બિમારી છે જે મનુષ્‍યોને કેટલાક પશુઓના સંપર્કમાં આવવાથી, મંકીપોક્‍સ સંક્રમિત વ્‍યક્‍તિના સંપર્કમાં આવવાથી, સંક્રમિત વ્‍યક્‍તિ સાથે શારીરિક સંબંધ બાંધવાથી કે સંક્રમિત વ્‍યક્‍તિઓના સામાન જેવા કપડાના ઉપયોગ કરવાથી થઈ શકે છે. એના લક્ષણ તાવ, માથાનો દુઃખાવો, માંસપેશીઓમાં દુઃખાવો, સૂજેલી લસિકા ગાંઠો અને થાકનો અનુભવ કરવા સાથે શરૂ થાય છે. એના પછી શરીર પર ચાઠા પડે છે જેના ઉપર ફોલ્લાં અને પોપડા બને છે. આ બિમારીને લઈ આરોગ્‍ય વિભાગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી હોવાની માહિતી પણ આરોગ્‍ય નિર્દેશક ડો. વી.કે.દાસે આપી હતી. જેમાં તમામ આરોગ્‍ય કેન્‍દ્રો પર નજર રાખવામાં આવી રહી છે તથા દર્દીઓની સારવાર માટે જિલ્લાની દરેક હોસ્‍પિટલોમાં અલગથી આઈસોલેશન વોર્ડ બનાવાયા છે. કેટલીક સાવચેતી રાખવાથી તમે આ બિમારીથી બચી શકો છો, જેમ કે સંક્રમિત વ્‍યક્‍તિના સંપર્કમાં આવવું નહીં આવવું, હંમેશા વ્‍યક્‍તિગત સ્‍વચ્‍છતા રાખવી, હાથોને સાબુથી બરાબર ધોવા વગેરે. આ સાથે તેઓએ પ્રદેશના તમામ નાગરિકોને અનુરોધ કર્યો છે કે તેઓ આ બિમારીથી ડરે નહીં, જો કોઈને પણ કોઈપણ લક્ષણ દેખાયતો તાત્‍કાલિક પોતાને નજીકના આરોગ્‍ય કેન્‍દ્ર પર જઈને તેમની તપાસ અને સારવાર કરાવી શકે છે. વધુ જાણકારી માટે તેમના નજીકના આરોગ્‍ય કેન્‍દ્ર કે ટોલ ફ્રી નંબર 104 પર સંપર્ક કરવો.

Related posts

દાનહ ગલોન્‍ડા અને કૌંચા ગામે પંચાયત સભ્‍યની પેટા ચૂંટણી યોજાઈ

vartmanpravah

વાપીમાં મહિલા તબીબને ત્‍યાં નકલી સીબીઆઈ ઓફિસર સ્‍વાંગમાં આવેલ ઈસમના જામીન મંજૂર વાપીમાં ક્‍લિનિક ચલાવતા ડો.હંસાબેન ભદ્રાને

vartmanpravah

‘ખેલો ઇન્‍ડિયા યુથ ગેમ્‍સ-2024′ અંતર્ગત આટિયાવાડના સરપંચ ઉર્વશીબેન પટેલે રમતોત્‍સવનું આયોજનઃ પુરૂષો અને મહિલાઓ માટે ક્રિકેટ તથા દોરડાખેંચ જેવી રમતો દ્વારા ફેલાવેલી ખેલદિલીની ભાવના

vartmanpravah

સમગ્ર શિક્ષા અભિયાનના સહયોગથી સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકો માટે અંગ્રેજી ભાષા ક્ષમતા નિર્માણ કાર્યક્રમના બીજા મોડયુલની તાલીમ સંપન્ન

vartmanpravah

સંઘપ્રદેશના ચાર દાનિક્‍સ અધિકારીઓના વિભાગોમાં ફેરબદલઃ એકાદ-બેને રૂઆબદાર પોસ્‍ટિંગ તો બીજાને અન્‍ય વિભાગોમાં કામ કરવા મળનારી તક

vartmanpravah

ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિ કલ્‍યાણ સમિતિ અને તેના સભ્‍યોએ વાપી ઈન્‍ડસ્‍ટ્રીઅલ એસ્‍ટેટની લીધેલી મુલાકાત

vartmanpravah

Leave a Comment