September 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહમાં 108 એમ્‍બ્‍યુલન્‍સની ઝડપી સેવા મળી રહે એના માટે નવીટેક્‍નીકનો શુભારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા.01: દાદરા નગર હવેલી અને દમણ-દીવ સંઘ પ્રશાસન અને જીવીકેઈએમઆરઆઈ દ્વારા 108 સેવામાં નવી ટેક્‍નીક એનજી 108 ન્‍યુ જનરેશનનું ઉદ્‌ઘાટન આરોગ્‍ય નિર્દેશક ડો. વી.કે.દાસના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. એમની સાથે ડો. દર્શન માહ્યાવંશી અને ડો. નારાયન મામત ઉપસ્‍થિત રહ્યા હતા. સંઘપ્રદેશમાં છેલ્લા દસ વર્ષથી 108એમ્‍બ્‍યુલન્‍સની અવિરત સેવા ચાલી રહી છે. આ સેવાઓને વધુ સારી બનાવવા માટે એક નવી ટેકનીકની શરૂઆત કરવામાં આવી છે. આ ટેક્‍નીકથી લોકોને 108ની સેવા ખુબજ ઓછા સમયમાં તાત્‍કાલિક પ્રભાવથી પ્રાપ્ત થશે અને નજીકની હોસ્‍પિટલમાં દર્દીની જાણકારી પહોંચી જશે. જેનાથી તાત્‍કાલિક સારવાર ઉપલબ્‍ધ કરાવી શકાશે અને દરેક સ્‍પેશિયાલિસ્‍ટ ડોક્‍ટરને પણ જાણકારી રહેશે જેનાથી 108 દ્વારા સંઘ પ્રદેશના દરેક નાગરિકને આનો લાભ પ્રાપ્ત થઈ શકશે. કોઈપણ પ્રકારની ઈમરજન્‍સી અને આપાતકાલીન પરિસ્‍થિતિમાં એનજી 108 કારગત સાબિત થશે હાલમાં સંઘપ્રદેશ 108ની સેવા સમગ્ર દેશમાં સૌથી ઓછા સમયમાં રિસ્‍પોન્‍સ ટાઈમ લોકો સુધી પહોંચે છે. સંઘપ્રદેશ પ્રશાસન ભવિષ્‍યમાં 108ની સેવાને વધુ સારી બનાવશે જેનાથી લોકોને સારો લાભ મળી શકશે.

Related posts

ગેરકાયદેસર દારૂની હેરાફેરીમાં એક્‍સાઇઝ વિભાગ દ્વારા ફક્‍ત વાહનોના ચાલકોની જ ધરપકડ કરાતી હોવાથી દાનહમાં દારૂના અસલી તસ્‍કરો/બુટલેગરોને પકડી કડક કાર્યવાહી કરવા પ્રદેશ શિવસેના પ્રમુખ શ્વેતલ ભટ્ટે એક્‍સાઇઝ કમિશ્નરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

આલીદર ગામમાં ગાયત્રી મંદિરે નેત્ર નિદાન શિબિર યોજાઈ

vartmanpravah

દાનહ અને દમણ-દીવના વિકાસથી પ્રભાવિત બનેલા કેન્‍દ્રીય મંત્રી પિયુષ ગોયલનો ઉદ્‌ગાર : ‘‘મારી કલ્‍પનાની બહારનો વિકાસ”, દિલ માંગે મોર: મુંબઈના મરીન ડ્રાઈવ રોડ કરતા પણ બેનમૂન બીચ રોડ : કેન્‍દ્રીય મંત્રીનું પ્રમાણપત્ર

vartmanpravah

લોકસભાની દમણ અને દીવ બેઠક માટે ભાજપે જારી કર્યો સંકલ્‍પ પત્ર

vartmanpravah

સેલવાસની એકદંત સોસાયટી નજીક રિંગરોડ પર મોડી રાત્રિએ બે જૂથ વચ્‍ચે થયેલી મારામારીની ઘટના

vartmanpravah

સંઘપ્રદેશ દાનહઅને દમણ-દીવને ભારત સરકાર દ્વારા રૂા.250 કરોડની ભેટ દાનહના રખોલી-ખડોલી-વેલુગામ રોડની ફોરલેન યોજના મંજૂર : સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા રૂા.163 કરોડની ફાળવણી

vartmanpravah

Leave a Comment