Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડ

ધરમપુર-કપરાડાના ગામડાને જોડતો ઢાંકવળ અને નાદગામ વચ્‍ચેનો પુલ તૂટી જતા ભારે પેચીદી સમસ્‍યા સર્જાઈ

ઢાંકવળથી નાદગામ અવર-જવર કરવા લોકોને 10 કિ.મી.નો ચકરાવો મારવો પડે છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: ધરમપુર-કપરાડાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ચોમાસાએ ભારે તારાજી સર્જી છે અને કોઝવે, પુલ, રસ્‍તા તણાઈ ગયા છે કે તૂટીગયા છે. પરિણામે સ્‍થાનિક ગ્રામજનોને માટે અનેક વિસ્‍તારોમાં અવર-જવર માટે ભારે પેચીદી સમસ્‍યાઓ ઠેર-ઠેર સર્જાઈ રહી છે. તેવી સમસ્‍યા ધરમપુર તાલુકો અને કપરાડા તાલુકાને જોડતો ઢાંકવણ અને નાદગામ વચ્‍ચે આવેલો પુલ તૂટી જવા પામ્‍યો છે. તેથી બન્ને ગામો વચ્‍ચેની અવર-જવરની મુશ્‍કેલીઓ ઉભી થઈ ચૂકી છે.
ધરમપુર અને કપરાડાને સંકલિત કરતો ઢાંકવળ અને નાદગામ વચ્‍ચેનો એકમાત્ર મહત્ત્વનો પુલ હતો જે વરસાદમાં તૂટી ધોવાઈ ગયો છે. જેને લીધે બન્ને ગામો વચ્‍ચે અવર-જવર કરવા લોકોએ માત્ર બે કિ.મી. અંતર કાપવા ફરી ચક્રાવો 10 કિ.મી.નો મારવો પડે છે. આ સમસ્‍યા અંગે ઉચ્‍ચ સ્‍તરે ધરમપુર તા.પં.ના સભ્‍ય કલ્‍પેશ પટેલએ ઉચ્‍ચ રજૂઆત કરીને માંગણી કરી છે કે વહેલી તકે તંત્ર સમસ્‍યાનો અંત લાવે.

Related posts

વલસાડ અતુલ બંગલામાં પી.એસ.આઈ. ત્રણ કોન્‍સ્‍ટેબલ સહિત 19 શરાબ-કબાબની મહેફીલ માણતા ઝડપાયા

vartmanpravah

થર્ટીફસ્‍ટ પૂર્વે એલ.સી.બી.નો સપાટો : પારડી હાઈવે ઉપર દારૂનો જથ્‍થો ભરેલી ટ્રક ઝડપી પાડી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ‘સંકલ્‍પ સપ્તાહ’ના શુભારંભ પ્રસંગે દરેકને મિશન મોડમાં કામ કરવા આપેલી સલાહઃ ઓક્‍ટો.-નવે.-2024માં ફરી ફિઝિકલી મળી કાર્યક્રમનો હિસાબ-કિતાબ લેવા આપેલું વચન

vartmanpravah

દાનિક્‍સ અધિકારીઓની બદલી અને વિભાગોમાં ફેરબદલ

vartmanpravah

દાનહના બાલદેવી ખાતે ‘પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી)’ના 704 લાભાર્થીઓને કરાવેલો ગૃહપ્રવેશ મોદી સરકારની રાજનીતિ સમાજ અને પ્રજાના કલ્‍યાણ માટેઃ કેન્‍દ્રિય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા

vartmanpravah

કપરાડા તાલુકાના સુખાલા ગામે જરૂરિયાતમંદ પરિવારની પડખે સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ

vartmanpravah

Leave a Comment