Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

રોવર રેંજર સભ્ય અનુરાગ સિંહ અને મનિષ ઝાની ઉપસ્થિતિમાં ‘આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ’ નિમિત્તે ‘ભારત સ્કાઉટ ગાઈડ’દ્વારા દાનહ પ્રદેશ મુખ્યાલય ડોકમર્ડી ખાતે સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.13: દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ પ્રદેશ મુખ્‍યાલય ડોકમર્ડીખાતે રોવર રેંજર સભ્‍ય અનુરાગ સિંહ અને મનિષ ઝાની ઉપસ્‍થિતિમાં ફેલોશિપ સભ્‍ય આનંદ કે.ના નેતૃત્‍વમાં ‘આંતરરાષ્‍ટ્રીય શાંતિ દિવસ’ નિમિત્તે બે દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
સેમિનાર યોજવાનો મુખ્‍ય ઉદ્દેશ આજના યુવાઓમાં શાંતિ માટે જાગરૂકતા લાવવા અને યુવા પેઢીને તેમના કાર્યો પ્રત્‍યે સજાગ કરવાનો હતો કે શાંતિ ક્‍યાં મળે છે અને લક્ષ્યની પ્રાપ્તિ કેવી રીતે થાય છે.
આ પ્રસંગે રોવર રેંજર શ્રી અનુરાગ સિંહ અને શ્રી મનિષ ઝા દ્વારા ભારત સ્‍કાઉટ ગાઈડની સેવા અને કાર્યકલાપોને મેસેન્‍જર ઓફ પીસ સાઈટ પર કઈ રીતે અપલોડ કરીને 100 કલાક સેવા કાર્ય પૂર્ણ થવા પર આંતરરાષ્‍ટ્રીય મુખ્‍યાલયથી રિંગ બેઝની પ્રાપ્તિ કેવી રીતે થાય છે, તેને વિધિવત વિસ્‍તારથી બતાવાયું હતું. સાથે જ ટીમનું કાર્ય સંચાલન અને સમાપનની વિધિ વિસ્‍તારથી રમત દ્વારા દર્શાવાઈ હતી. જેના દ્વારા એ બતાવાયું કે ટીમના નેતૃત્‍વ પર ધ્‍યાન આકર્ષિત કરીને તમે કોઈપણ પ્રોજેક્‍ટ કાલે સફળતાપૂર્વક સંપન્ન કરી શકો છો, જ્‍યારે તમારૂં લક્ષ્ય પાકું હોવું અનિવાર્ય છે નહીંતર તમે સફળ થઈ શકો નહીં.
સેમિનારમાં તમામ ભાગીદારોમાં સેવા ભાવના પ્રત્‍યે જાગરૂકતા ફેલાવવામાં આવી હતી સાથે જ દાનહ ભારત સ્‍કાઉટ ગાઈના સક્રિય અને હંમેશા સહયોગી સ્‍કાઉટ ગાઈડ રોવર રેંજર સભ્‍ય શ્રીઅનુરાગ સિંહ અને શ્રી મનિષ ઝા દ્વારા અજય હરિજન, રિયા સિંહ, અર્પિતા યાદવ, અમિતા યાદવ, અંજલી પ્રસાદ, અદિતિ સિંહ, રોશની પ્રસાદ અને હેમાંગી સૂર્યવંશીની 2021-‘22 માટે ઉત્તમ સેવા ભાવના માટે સરાહના કરવામાં આવી હતી.

Related posts

અતુલ ખાતે 14મો ઉલ્‍હાસ કપ ઈન્‍ટર સ્‍કૂલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં એમ. કે. મહેતા હાઈસ્‍કૂલ (ઉમરગામ) વિજેતા

vartmanpravah

બે વર્ષ બાદ કોરોનાનું વિઘ્‍ન ટળતા વાપી-વલસાડમાં અનેક મંડળો દ્વારા ગણેશોત્‍સવની ધામધૂમથી કરાયેલી સ્‍થાપના

vartmanpravah

ગુજરાત માનવાધિકાર આયોગના અધ્‍યક્ષ ન્‍યાયમૂર્તિ ડો. કૌશલ ઠાકરના મુખ્‍ય અતિથિ પદે નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં સંસદ દ્વારા પાસ કરાયેલા 3 નવા ફોજદારી કાયદા વિશે જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

નવસારી જિલ્લાના ખેડૂતો તા.2પ નવેમ્‍બર સુધીમાં કૃષિ રાહત પેકેજ અંતર્ગત સહાય માટે ઓનલાઈન અરજી કરવી

vartmanpravah

મંગળવારે દાનહમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

2016, ઓગસ્‍ટથી પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલના આગમન બાદ નીતિ-નિયમ અને કાયદાની મર્યાદામાં રહી વ્‍હાઈટ ધંધા-ઉદ્યોગોને મળેલું ઉત્તેજન

vartmanpravah

Leave a Comment