June 13, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

રોવર રેંજર સભ્ય અનુરાગ સિંહ અને મનિષ ઝાની ઉપસ્થિતિમાં ‘આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ’ નિમિત્તે ‘ભારત સ્કાઉટ ગાઈડ’દ્વારા દાનહ પ્રદેશ મુખ્યાલય ડોકમર્ડી ખાતે સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.13: દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ પ્રદેશ મુખ્‍યાલય ડોકમર્ડીખાતે રોવર રેંજર સભ્‍ય અનુરાગ સિંહ અને મનિષ ઝાની ઉપસ્‍થિતિમાં ફેલોશિપ સભ્‍ય આનંદ કે.ના નેતૃત્‍વમાં ‘આંતરરાષ્‍ટ્રીય શાંતિ દિવસ’ નિમિત્તે બે દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
સેમિનાર યોજવાનો મુખ્‍ય ઉદ્દેશ આજના યુવાઓમાં શાંતિ માટે જાગરૂકતા લાવવા અને યુવા પેઢીને તેમના કાર્યો પ્રત્‍યે સજાગ કરવાનો હતો કે શાંતિ ક્‍યાં મળે છે અને લક્ષ્યની પ્રાપ્તિ કેવી રીતે થાય છે.
આ પ્રસંગે રોવર રેંજર શ્રી અનુરાગ સિંહ અને શ્રી મનિષ ઝા દ્વારા ભારત સ્‍કાઉટ ગાઈડની સેવા અને કાર્યકલાપોને મેસેન્‍જર ઓફ પીસ સાઈટ પર કઈ રીતે અપલોડ કરીને 100 કલાક સેવા કાર્ય પૂર્ણ થવા પર આંતરરાષ્‍ટ્રીય મુખ્‍યાલયથી રિંગ બેઝની પ્રાપ્તિ કેવી રીતે થાય છે, તેને વિધિવત વિસ્‍તારથી બતાવાયું હતું. સાથે જ ટીમનું કાર્ય સંચાલન અને સમાપનની વિધિ વિસ્‍તારથી રમત દ્વારા દર્શાવાઈ હતી. જેના દ્વારા એ બતાવાયું કે ટીમના નેતૃત્‍વ પર ધ્‍યાન આકર્ષિત કરીને તમે કોઈપણ પ્રોજેક્‍ટ કાલે સફળતાપૂર્વક સંપન્ન કરી શકો છો, જ્‍યારે તમારૂં લક્ષ્ય પાકું હોવું અનિવાર્ય છે નહીંતર તમે સફળ થઈ શકો નહીં.
સેમિનારમાં તમામ ભાગીદારોમાં સેવા ભાવના પ્રત્‍યે જાગરૂકતા ફેલાવવામાં આવી હતી સાથે જ દાનહ ભારત સ્‍કાઉટ ગાઈના સક્રિય અને હંમેશા સહયોગી સ્‍કાઉટ ગાઈડ રોવર રેંજર સભ્‍ય શ્રીઅનુરાગ સિંહ અને શ્રી મનિષ ઝા દ્વારા અજય હરિજન, રિયા સિંહ, અર્પિતા યાદવ, અમિતા યાદવ, અંજલી પ્રસાદ, અદિતિ સિંહ, રોશની પ્રસાદ અને હેમાંગી સૂર્યવંશીની 2021-‘22 માટે ઉત્તમ સેવા ભાવના માટે સરાહના કરવામાં આવી હતી.

Related posts

વાપીથી ટ્રેનમાં બિહાર સમસ્‍તીપુર જવા નિકળેલ યુવાન ટ્રેનમાંથી ગુમ

vartmanpravah

બાન્‍દ્રા-ગોરખપુર હમસફર સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસ ટ્રેનને વાપી સ્‍ટોપેજ મળતાં ભાજપે કરેલી વધામણી

vartmanpravah

ગાંધી જયંતિ નિમિત્તે વલસાડ જિલ્લાની 101 ગ્રામ પંચાયત ટીબી મુક્‍ત પંચાયત તરીકે જાહેર કરાઈ

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર મોપેડ ઉપર વાપી આવવા નિકળેલા બે મિત્રોની મોપેડને ટ્રકે ટક્કર મારતા એકનું મોત, એક ઘાયલ

vartmanpravah

વલસાડ જિલ્લાના કાંઠા વિસ્‍તારનો દરિયો તોફાની બન્‍યો : 60 કિ.મી. ઝડપે પવન ફુંકાયો

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની સિધ્‍ધિ

vartmanpravah

Leave a Comment