માછલી પકડનારા લોકોએ ત્રણેયને બચાવી પોલીસને કરી જાણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.19: પારડી દમણીઝાંપાથી વેલપરવા જતા રોડ પર આવેલી કોથરખાડીના બ્રિજ પર સોમવારના રોજ બે નાના માસૂમ બાળકો સાથે પારડીની પરણીતાએ કુદી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે નજીકમાં જ માછલી પકડનારા અને બ્રિજ પરથીપસાર થતા રાહદારીઓએ જોતાં તાત્કાલિક ખાડીમાંથી ત્રણેયને ડૂબતા બચાવી બહાર કાઢી પોલીસને જાણ કરી હતી. પરણિતા પારડી દમણીઝાંપા શિવ નગરની પુનમબેન નિતેશભાઈ પ્રજાપતિ હોવાનું જાણવા મળ્યું છે. પૂછપરછ દરમ્યાન સાસરિયાના ત્રાસે આ પગલું ભર્યું હોવાનું પરિણીતાએ જણાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.