Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સેન્‍ટર ઓફ એક્‍સીલન્‍સમાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે સોલાર સિસ્‍ટમનું લોકાર્પણ

40 કિલો વોટની સોલાર સિસ્‍ટમથી રૂા.3.20 લાખનાવિજબીલની રાહત થશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: વાપી જીઆઈડીસી સ્‍થિત સેન્‍ટર ઓફ એક્‍સીલન્‍સમાં ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે સોલાર સિસ્‍ટમ લોકાર્પણ કરાઈ હતી.
સોલાર પેનલનું ઉદ્દઘાટન કરતા ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્‍યું હતું કે, આ સોલાર પેનલ 40 કિલો વોટની હોવાથી વાર્ષિક રૂા.3.20 લાખના વિજળી બીલની રાહત થશે. વાપી ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનની પણ પહેલ હતી કે સોલાર સિસ્‍ટમ સેન્‍ટ્રલ એક્‍સલન્‍સમાં કાર્યરત થાય. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સૌર ઊર્જા ક્ષેત્રે આગળ વધી રહ્યું છે તે અંતર્ગત વાપીમાં પણ આ સિસ્‍ટમ કાર્યરત થઈ છે. સોલાર ઊર્જા અંગે મળતી સબસીડી બંધ કરાઈ છે તેવી પૃચ્‍છામાં તેમણે જણાવ્‍યું હતું કે, ટૂંકમાં પોલીસી આવી રહી છે જેની જાહેરાત કરવામાં આવશે. સૌરાષ્‍ટ્રનું દ્વારકા પણ સોલાર સંચાલિત તિર્થધામ બનશે. આ પ્રસંગે વિ.આઈ.એ. પ્રમુખ કમલેશ પટેલ, સતિષભાઈ પટેલ અને ટીમ વિ.આઈ.એ. ઉપસ્‍થિત રહી હતી.

Related posts

વાપીમાં અન્ન અને નાગરિક પૂરવઠા મંત્રીશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ફોર્ટિફાઇડ ઘટકતત્વોની થેલેસેમિયા તથા સિકલસેલ એનિમિયાના દર્દીઓ પર અસર અંગે જનજાગૃતિ વર્કશોપ યોજાયો

vartmanpravah

સમસ્‍ત વલસાડ જિલ્લા બ્રાહ્મણના આગેવાનોની મીટિંગ યોજાઈ: ભગવાન શિવ વિશે અપમાનજનક શબ્‍દો ઉચ્‍ચારનાર સ્‍વામિનારાયણના સંત સામેશિવભક્‍તોમાં આક્રોશ

vartmanpravah

દાદરા નગર હવેલી ફેડરેશન ઓફ ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના હોદેદારોની નિમણૂક કરાઈ

vartmanpravah

ચીખલી વન વિભાગે ચીમલા ગામે છાપો મારી ખેરના લાકડાનો જથ્‍થો ઝડપ્‍યો

vartmanpravah

ટુકવાડા સ્‍થિત પોદાર પ્રેયમાં ગાંધીજી અને શાષાીજીની જન્‍મજયંતિની ઉજવણી કરી

vartmanpravah

મલાવની મચ્‍છરે રેફ્રિજરેટર કંપની સામે કરવામાં આવેલી લેન્‍ડગ્રેબિંગ ફરિયાદની તપાસમાં વિલંબ થતા કલેકટરનું દોરેલું ધ્‍યાન

vartmanpravah

Leave a Comment