July 27, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજથી વાપી ચલા ભાઠેલા પ્‍લોટમાં શ્રી શિવશક્‍તિ મહાયજ્ઞનો પ્રારંભ થશે

શ્રી ભાવભાવેશ્વર મહાયજ્ઞ સમિત દ્વારાઆયોજીત યજ્ઞ તા.07 થી 13 જાન્‍યુઆરી સુધી વિવિધ આધ્‍યાત્‍મિક કાર્યક્રમ કાર્યરત રહેશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: વાપીને આંગણે આવતીકાલે 7મી જાન્‍યુઆરીથી ચલા ભાઠેલા પાર્ટી પ્‍લોટમાં શ્રી શિવ-શક્‍તિ મહાયજ્ઞનો શુભારંભ થનાર છે.
શ્રી સદ્‌ગુરુદેવ સ્‍વામી અખંડાનંદજી મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્‍ટ બરૂમાળ ધરમપુર દ્વારા આ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું છે. શ્રી વિદ્યાનંનદ સરસ્‍વતીજી મહારાજના સાનિધ્‍યમાં યોજાનાર યજ્ઞનું સંચાલન શ્રી ભાવભાવેશ્વર મહાયજ્ઞ સમિતિ વાપી દ્વારા થનાર છે. વિશેષ માહિતી સંપર્ક નં.ભદ્રેશભાઈ પંડયા 98251 48632, બી.કે. દાયમા 93774 82940, સંપત બેડિયા 98241 68830 ઉપર કરી શકાશે. દરરોજ યજ્ઞ જાપ અને આહુતિમાં અનેક લોકો જોડાનાર છે. દરરોજ યજ્ઞ પ્રારંભ સવારે 9 થી 12 અને 3 થી 6 વાગ્‍યા સુધી રહેશે. પ્રતિદિન 6:30 કલાકે મહાઆરતી, યજ્ઞ પરિક્રમા સવારે 9 કલાકથી રાત્રે 9 કલાક સુધી દરરોજ તેમજ યજ્ઞ પુર્ણાહુતિ તા.13 જાન્‍યુઆરી શુક્રવાર તથા આજ દિવસે સાંજે મહાપ્રસાદનું ભવ્‍ય આયોજન કરાયું છે.

Related posts

વલસાડના છીપવાડ સ્‍થિત શ્રીકૃષ્ણ પ્રણામી મંદિરમાં શરદ મહોત્‍સવ ઉજવાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં 32188 એન.એફ.એસ.એ. લાભાર્થીએ ઘર બેઠા આયુષ્‍યમાન કાર્ડ બનાવ્યા

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ‘બુથ સશક્‍તિકરણ અભિયાન’ અંતર્ગત મહત્‍વની બેઠક યોજાઈ

vartmanpravah

દમણ દાભેલના આંટિયાવાડ તળાવની પાળ ઉપર ન્‍યૂટ્રલમાં ઉભેલી રીક્ષા પાણીમાં ડૂબતાં બહાર કાઢવા ફાયર વિભાગે કરેલી અથાક મહેનત

vartmanpravah

નાનાપોંઢા પોલીસ સ્‍ટેશનમાં બે યુવકોને કેસ બાબતે સમાધાન માટે બોલાવી ઢોર માર માર્યો તથા રોકડા લીધાનો આક્ષેપ

vartmanpravah

સાપુતારા ઘાટ માર્ગ પર લાકડા ભરેલો ટ્રક કાર ઉપર પડ્યોઃ કાર નીચે ચગદાઈ જવાથી બાળક સહિત પાંચ લોકોના મોત

vartmanpravah

Leave a Comment