Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાદરા નગર હવેલીનો વારલી સમાજ કરવટ બદલે છેઃ લગ્ન સહિતના વિવિધ સાર્વજનિક મેળાવડાઓમાં દારૂ-તાડી અને ચિકન-મટન ઉપર મુકેલો પ્રતિબંધ

વારલી સમાજમાં શિક્ષણને પ્રોત્‍સાહન આપવા સમાજના આગેવાનોએ કરેલું મંથનઃ..તો દાનહનો વારલી સમાજ રાજકીય નેતૃત્‍વ માટે પણ સજ્જ બનશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા. 06 : દાદરા નગર હવેલીના વારલી સમાજે લગ્ન સહિત વિવિધ પ્રસંગે સાર્વજનિક રૂપે પિરસાતા દારૂ-તાડી, બિયર, કોટર તથા ચિકન મટનની પ્રથાને બંધ કરવાનો આવકારદાયક નિર્ણય લીધો છે. વારલી સમાજ દ્વારા લેવાયેલા નિર્ણયનું જો મોટા પ્રમાણમાં પાલન કરવામાં આવશે તો આવતા દિવસોમાં સમાજ પ્રગતિના અનેક સોપાનો સર કરશે એવી લાગણી પણ વ્‍યક્‍ત થઈ રહી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલી વારલી સમાજના સંગઠન તથા કમીટિઓ દ્વારા સમાજમાં ચાલતી બદી અને કુરિવાજોને બંધ કરવાનો નિર્ણય સર્વની સહમતિથી લેવામાં આવ્‍યો હતો. વારલી સમાજમાં પણ હવે શિક્ષણનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે અને ઘણાં સમાજના આગેવાનો સરકારમાં પણ ઊંચા પદ ઉપર બિરાજી રહ્યા છે. તેમજ રાજકીય દૃષ્‍ટિએ પણ વારલી સમાજ દાદરા નગર હવેલીમાં જાગૃત બન્‍યો છે ત્‍યારે તેમણે લીધેલા નિર્ણયની ચોમેર પ્રશંસા થઈ રહી છે.

સમાજ દ્વારા નક્કી કરાયું છે કે, હવેથી લગ્નમાં મંડપના દિવસે ફક્‍ત ઠંડું(કોલ્‍ડ ડ્રીંક્‍સ) જ પિરસવામાં આવશે. વારલી સમાજના લોકોના જીવન-ધોરણને ઊંચું લાવવા તથા પ્રગતિ માટે દરેક ગામના તમામ નાગરિકોએ સભાનતાથી પોતાની જવાબદારીનિભાવવા અને ઉધારીમાંથી મુક્‍ત થવાનો પણ મક્કમ સંકલ્‍પ લેવામાં આવ્‍યો હતો. સમાજના આગેવાનોએ શિક્ષણ ઉપર ખુબ ભાર આપી વારલી સમાજના દરેક ઘરે શિક્ષિત પેઢી તૈયાર થાય એ પ્રકારના આયોજનને પણ અંજામ આપવા હાકલ કરાઈ હતી.

Related posts

કપરાડા તાલુકાના વાડઘા ગામે રસ્‍તા પર નાળા કોઝવેના કારણે ગામના લોકોને ઘણી સમસ્‍યાઓનો સામનો કરવો પડી રહ્યો છે

vartmanpravah

સુરત-વલસાડ જિલ્લા રોહિત સમાજનો ત્રિવિધ સન્‍માન યોજાયો, 137 પ્રતિભાનું સન્‍માન કરાયું

vartmanpravah

દાનહઃ પ્રયોશા પ્રતિષ્ઠાન દ્વારા ધોરણ-10 બાદ પછી શું? સંદર્ભે માર્ગદર્શન સેમિનાર યોજાશે

vartmanpravah

હિંમતનગરના આકોદરા ગામે આવેલ પરફેક્‍ટ સ્‍કૂલનો રૂા. 3,33,060 બાકી નીકળતો વેરો ભરપાઈ કરવા તલાટીએ નોટિસ પાઠવી

vartmanpravah

ખાનદેશ એક્‍સપ્રેસ ટ્રેનમાં એન્‍જિનિયર યુવાન ઉપર 50 ઉપરાંત ટોળાએ હુમલો કરી મુઢમાર માર્યો

vartmanpravah

‘9 વર્ષ – સેવા, સુશાસન અને ગરીબ કલ્‍યાણ’ ચિત્ર પ્રદર્શનથી લોકોને મળી વિવિધ લાભદાયી જાણકારીઃ પ્રાચાર્ય ડૉ. યોગેશભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment