December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ રાબડા ગામે ભયનો માહોલ ફેલાવતો ખુંખાર દિપડો અંતે પાંજરે પુરાયો : લોકોએ રાહતનો શ્વાસ લીધો

નરેશ રવજીભાઈ પટેલના આંબાવાડિયામાં ઘણા દિવસથી ગ્રામજનોને ખુંખાર દિપડો રોજ દેખાતો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વલસાડ નજીક આવેલ રાબડા ગામે છેલ્લા કેટલાક દિવસોથી આંબાવાડીયામાં ખુંખાર દિપડો આંટાફેરા મારી રહેલો સ્‍થાનિક ગ્રામજનો જોતા હતા તેથી ગામમાં ભયની દહેશત ફેલાતી રહેલી. અંતે ગતરાતો જંગલ વિભાગે મુકેલા પાંજરામાં દિપડો આબાદ રીતે ઝડપાઈ જતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
વલસાડ તાલુકાના રાબડા ગામે બ્રાહ્મણ ફળીયામાં રહેતા નરેશ રવજીભાઈ પટેલની આંબાવાડીમાં ખુંખાર દિપડો વારંવાર દેખાતો હતો તેથી ગામમાં ભયનો માહોલ છવાતો રહેલોતેથી સરપંચશ્રીએ વન વિભાગને દિપડા અંગે ફરિયાદ કરી હતી. વન વિભાગએ નરેશ પટેલના આંબાવાડીયામાં દિપડો પકડવા પાંજરું ગોઠવી દીધુ હતું. મંગળવારે રાતે ખુંખાર દિપડો પાંજરામાં આબાદ રીતે પુરાઈ ગયો હતો તેથી ગ્રામજનો દિપડાને જોવા રાતે જ ઉમટી પડયા હતા. આજે સવારે વન વિભાગનો સ્‍ટાફ રાબડા આવીને પાંજરુ લઈ ગયો હતો. ચણવઈ ફોરેસ્‍ટ વિભાગમાં દિપડાની તપાસ કરીને જંગલમાં છોડવાની તજવીજ વનવિભાગે હાથ ધરી હતી.

Related posts

વાપી પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં નવરાત્રીની ઉજવણી થઈ

vartmanpravah

જિલ્લામાં ધો.10ના 33474, ધો.12 સા.પ્ર.ના 14810 અને ધો.12 વિ.પ્ર.ના 7480 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

vartmanpravah

દમણઃ રવિવારે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ પટલારા ગ્રામ પંચાયત ખાતે પહોંચતાકરાયેલું સ્‍વાગત

vartmanpravah

વાપી ચલામાં મા જનમ ટ્રસ્‍ટ દ્વારા શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવના સહયોગથી ‘‘રાસ રસિયા” નવરાત્રી મહોત્‍સવ ઉજવાશે

vartmanpravah

દાનહઃ કૌંચા ગામમાં ‘સરકાર આપકે દ્વાર’ લોક દરબાર યોજાયો

vartmanpravah

દીવ ન.પા. દ્વારા ‘પ્રધાનમંત્રી આવાસ’ યોજના તથા ‘સૂર્યોદય આવાસ’ યોજના હેઠળ બનેલા ફલેટોની લાભાર્થીઓની ફાળવણી માટે કરાયેલો ડ્રો

vartmanpravah

Leave a Comment