Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ રાબડા ગામે ભયનો માહોલ ફેલાવતો ખુંખાર દિપડો અંતે પાંજરે પુરાયો : લોકોએ રાહતનો શ્વાસ લીધો

નરેશ રવજીભાઈ પટેલના આંબાવાડિયામાં ઘણા દિવસથી ગ્રામજનોને ખુંખાર દિપડો રોજ દેખાતો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વલસાડ નજીક આવેલ રાબડા ગામે છેલ્લા કેટલાક દિવસોથી આંબાવાડીયામાં ખુંખાર દિપડો આંટાફેરા મારી રહેલો સ્‍થાનિક ગ્રામજનો જોતા હતા તેથી ગામમાં ભયની દહેશત ફેલાતી રહેલી. અંતે ગતરાતો જંગલ વિભાગે મુકેલા પાંજરામાં દિપડો આબાદ રીતે ઝડપાઈ જતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
વલસાડ તાલુકાના રાબડા ગામે બ્રાહ્મણ ફળીયામાં રહેતા નરેશ રવજીભાઈ પટેલની આંબાવાડીમાં ખુંખાર દિપડો વારંવાર દેખાતો હતો તેથી ગામમાં ભયનો માહોલ છવાતો રહેલોતેથી સરપંચશ્રીએ વન વિભાગને દિપડા અંગે ફરિયાદ કરી હતી. વન વિભાગએ નરેશ પટેલના આંબાવાડીયામાં દિપડો પકડવા પાંજરું ગોઠવી દીધુ હતું. મંગળવારે રાતે ખુંખાર દિપડો પાંજરામાં આબાદ રીતે પુરાઈ ગયો હતો તેથી ગ્રામજનો દિપડાને જોવા રાતે જ ઉમટી પડયા હતા. આજે સવારે વન વિભાગનો સ્‍ટાફ રાબડા આવીને પાંજરુ લઈ ગયો હતો. ચણવઈ ફોરેસ્‍ટ વિભાગમાં દિપડાની તપાસ કરીને જંગલમાં છોડવાની તજવીજ વનવિભાગે હાથ ધરી હતી.

Related posts

શ્રી જય અંબે સૌરાષ્‍ટ્ર સિનિયર સીટીઝ અને મહિલા મંડળના સહયોગથી શરદપૂર્ણિમા નિમિત્તે રાસ ગરબા યોજાયા

vartmanpravah

વલસાડના રોલા ગામે ચૂંટણી પરિણામ બાદ જીતના જોશમાં હારેલા મહિલા ઉમેદવાર ઉપર રોકેટ છોડયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં દમણ-દીવ સ્‍ટેટ કો-ઓ. બેંકનું ઉઘડેલું ભાગ્‍યઃ પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂા.3.70 કરોડનો રળેલો નફો

vartmanpravah

વાપીમાં ભારતરત્‍ન ડો.બાબા સાહેબ આંબેડકરની જન્‍મ જયંતિની દબદબાપૂર્વક ઉજવણી

vartmanpravah

જર્જરિત મકાનના સ્‍થાને નવું મકાન બનાવવા મુખ્‍યમંત્રીને રજૂઆત કરવા છતાં હલ નહીં નીકળતાં બિલપુડી વનસેવા મહા વિદ્યાલયના વિદ્યાર્થીઓનું 36 કલાકથી મામલતદાર કચેરીએ ધરણાં-પ્રદર્શન

vartmanpravah

સેલવાસના ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ દ્વારા પિતૃકૃપાર્થે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન

vartmanpravah

Leave a Comment