Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ રાબડા ગામે ભયનો માહોલ ફેલાવતો ખુંખાર દિપડો અંતે પાંજરે પુરાયો : લોકોએ રાહતનો શ્વાસ લીધો

નરેશ રવજીભાઈ પટેલના આંબાવાડિયામાં ઘણા દિવસથી ગ્રામજનોને ખુંખાર દિપડો રોજ દેખાતો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વલસાડ નજીક આવેલ રાબડા ગામે છેલ્લા કેટલાક દિવસોથી આંબાવાડીયામાં ખુંખાર દિપડો આંટાફેરા મારી રહેલો સ્‍થાનિક ગ્રામજનો જોતા હતા તેથી ગામમાં ભયની દહેશત ફેલાતી રહેલી. અંતે ગતરાતો જંગલ વિભાગે મુકેલા પાંજરામાં દિપડો આબાદ રીતે ઝડપાઈ જતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
વલસાડ તાલુકાના રાબડા ગામે બ્રાહ્મણ ફળીયામાં રહેતા નરેશ રવજીભાઈ પટેલની આંબાવાડીમાં ખુંખાર દિપડો વારંવાર દેખાતો હતો તેથી ગામમાં ભયનો માહોલ છવાતો રહેલોતેથી સરપંચશ્રીએ વન વિભાગને દિપડા અંગે ફરિયાદ કરી હતી. વન વિભાગએ નરેશ પટેલના આંબાવાડીયામાં દિપડો પકડવા પાંજરું ગોઠવી દીધુ હતું. મંગળવારે રાતે ખુંખાર દિપડો પાંજરામાં આબાદ રીતે પુરાઈ ગયો હતો તેથી ગ્રામજનો દિપડાને જોવા રાતે જ ઉમટી પડયા હતા. આજે સવારે વન વિભાગનો સ્‍ટાફ રાબડા આવીને પાંજરુ લઈ ગયો હતો. ચણવઈ ફોરેસ્‍ટ વિભાગમાં દિપડાની તપાસ કરીને જંગલમાં છોડવાની તજવીજ વનવિભાગે હાથ ધરી હતી.

Related posts

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા સદસ્‍યતા અભિયાનનો પ્રારંભઃ હજારો સભ્‍યોએ બાંધી ભાજપની કંઠી

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા’ અંતર્ગત વાપી કેબીએસ કોલેજના એનએસએસ દ્વારા શ્રમદાન કરાયું

vartmanpravah

સંઘપ્રદેશની સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓના પ્રતિનિધિઓ દિલ્‍હી મુલાકાત દરમિયાન ઉપ રાષ્‍ટ્રપતિ સાથેની વાતચીતમાં પ્રદેશના પ્રશાસકશ્રી દ્વારા લેવાતી વિશેષ કાળજીથી પરિચિત થયા

vartmanpravah

વલસાડ પાલીહિલ વિસ્‍તારમાં રહેતી શિક્ષિકાએ ઘરમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

vartmanpravah

મોટી દમણ હિન્‍દુ સ્‍મશાન ભૂમિમાં ભગવાન શિવના જયઘોષ સાથે શિવની કથાને વિરામ અપાયો

vartmanpravah

વલસાડમાં અટાર ખાતે સ્‍પેસ એપ્‍લિકેશન સેન્‍ટર અમદાવાદ દ્વારા સ્‍પેસ એક્‍ઝિબિશનનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment