April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

તલાટીની પરીક્ષાના ઉમેદવારો માટે એક્‍સ્‍ટ્રા બસો દોડાવાશેઃ 105 બસો સ્‍ટેન્‍ડબાય રાખવામાં આવી

પરીક્ષાર્થીઓની મદદ માટે સ્‍ટાફને પણ વિભાગીય કચેરી/ડેપો ખાતે 24×7 ફરજ ઉપર હાજર રખાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.0૩: આગામી તા. ૭ મે ૨૦૨૩ના રોજ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)ની પરીક્ષા સંદર્ભે વલસાડ જિલ્લામાંથી સુરત, ભરૂચ, નવસારી, તાપી જિલ્લામાં પરીક્ષા આપવા જનાર પરીક્ષાર્થીઓ માટે વલસાડ એસટી ડિવિઝનના વિવિધ ડેપોથી એક્સ્ટ્રાના ધોરણે પરીક્ષાર્થીઓની માંગણી મુજબ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
જે મુજબ વલસાડ ડેપોથી ૨૦, વાપી ડેપોથી ૨૦, ધરમપુર ડેપોથી ૧૦, પારડી કંટ્રોલ પોઈન્ટથી ૫, નવસારી ડેપોથી ૨૫, ચીખલી કંટ્રોલ પોઈન્ટથી ૫, બિલીમોરા ડેપોથી ૧૦ અને ગણદેવી કંટ્રોલ પોઈન્ટથી ૧૦ મળી કુલ ૧૦૫ એસટી બસો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. જે બસોનો લાભ પરીક્ષાર્થીઓ ડેપો/કંટ્રોલ પોઇન્ટ ખાતેથી લઇ શકશે. વધુમાં પરીક્ષાર્થીઓની મદદ માટે સ્ટાફ્ને પણ વિભાગીય કચેરી/ડેપો ખાતે ૨૪x૭ ફરજ ઉપર હાજર રાખવામાં આવનાર છે. તદુપરાંત વિદ્યાર્થીઓ દ્વારા ગ્રુપમાં આખી બસનું બુકિંગ માંગવામાં આવશે તો તેઓને તેઓના નિયત સ્થળેથી પરીક્ષા કેન્દ્ર સુધી બસની વિશેષ સુવિધા પુરી પાડવામાં આવનાર છે એવુ વિભાગીય એસટી નિયામકે અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related posts

સુખાબારી ફાયરીંગ બટ વિસ્‍તારમાં પ્રવેશબંધી

vartmanpravah

સાદકપોર ગામેથી સગર્ભા મહિલાઓ માટેની પોષણસુધા યોજનાનો શુભારંભ કરાયો

vartmanpravah

વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘‘આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ”ની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપીમાં અન્ન અને નાગરિક પૂરવઠા મંત્રીશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ફોર્ટિફાઇડ ઘટકતત્વોની થેલેસેમિયા તથા સિકલસેલ એનિમિયાના દર્દીઓ પર અસર અંગે જનજાગૃતિ વર્કશોપ યોજાયો

vartmanpravah

નવસારી જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષતામાં NID-નેશનલ ઈમ્યુનાઈઝેશન ડે પલ્સ પોલિયો સ્ટીયરિંગ કમિટીની બેઠક યોજાઈ

vartmanpravah

2016, ઓગસ્‍ટથી પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલના આગમન બાદ નીતિ-નિયમ અને કાયદાની મર્યાદામાં રહી વ્‍હાઈટ ધંધા-ઉદ્યોગોને મળેલું ઉત્તેજન

vartmanpravah

Leave a Comment