Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ સાંસદ ડો.કે.સી. પટેલએ સંસદગૃહમાં કેરી પાક નુકશાન માટે ખેડૂતોને વળતરની માંગ કરી

કમોસમી વરસાદ-વાતાવરણ પલટાથી કેરી પાકને થયેલ નુકશાન માટે પ્રધાનમંત્રી પાક વિમામાં સમાવેશની માંગ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: વલસાડ-ડાંગ જિલ્લા સંસદ સભ્‍યએ સંસદ ગૃહમાં કેરી પાકને થયેલ નુકશાની માટે ખેડૂતોને વળતર મળે તેવી માંગ કરી છે.
સંસદમાં ડો.કે.સી. પટેલએ રજૂઆથ કરી હતી કે, કમોસમીવરસાદ અને વાતાવરણના પલટાને લઈ કેરી પાકનું વલસાડ જિલ્લામાં ખેડૂતોને પુષ્‍કળ નુકશાન થયું છે. સાસંદ જણાવ્‍યું હતું કે, દેશમાં 20 ટકા જેટલું કેરીનું ઉત્‍પાદન વલસાડ-ડાંગ અને નવસારી જિલ્લામાં થાય છે. ગત 2016-17માં પ્રધાનમંત્રીએ કેરી પાક નુકશાન પેટે ખેડૂતોને 12 કરોડ રૂપિયા વળતર આપ્‍યું હતું તે ખેડૂતોના ખાતામાં જમા થયું હતું. તે રીતે આ વર્ષે પણ સર્વે કરીને કેરીના પાકમાં વાતાવરણ અને વરસાદને લીધે ખેડૂતોનું ઉત્‍પાદન 50 ટકા જેટલું ઘટયું છે. ખાતર, જંતુનાશક દવાનો ખેડૂત મબલક ખર્ચ કરે છે. જેનું વળતર ઉત્‍પાદન ઘટયું હોવાથી મળ્‍યુ નથી. તેથી સાંસદે માંગ કરી હતી કે, પ્રધાનમંત્રી પાક વિમા યોજનામાં સમાવેશ કરવામાં આવે.

Related posts

‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું દમણના શહેરી વિસ્‍તારમાં ભવ્‍ય સ્‍વાગત

vartmanpravah

વાપી વસાહતના વિવિધ પડતર પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ સાથે કેબીનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ કરેલી મુલાકાત

vartmanpravah

દમણમાં મૂન સ્ટારના શોરૂમ પર જીઍસટીનો દરોડો

vartmanpravah

દાદરા દેમણી ફળિયામાં ધોરણ 12 બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહેલ વિદ્યાર્થીની ઉપર સિક્‍યુરીટી ગાર્ડે ચાકુ વડે કરેલો હુમલો

vartmanpravah

વલસાડ નંદાવાલા હાઈવે ઉપર બ્રેઝા કાર પલટી મારી ગઈ : 6 માસની બાળકી સહિત પરિવારનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

ભારતમાં પ્રથમ વખત મલ્‍ટી સ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સનું દીવ ખાતે આયોજન : દીવ ખાતે ‘ખેલો ઇન્‍ડિયા, ફિટ ઇન્‍ડિયા અને ડ્રગ્‍સ ફ્રી ઇન્‍ડિયા’નું સૂત્ર આપતા કેન્‍દ્રીય માહિતી પ્રસારણ અને ખેલ મંત્રી અનુરાગ ઠાકુર

vartmanpravah

Leave a Comment