Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

‘વન મહોત્‍સવ-2023′ અંતર્ગત દાનહ વન વિભાગે તિનોડામાં કર્યું વૃક્ષારોપણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04 : દાદરા નગર હવેલી વન વિભાગ દ્વારા 1લી જુલાઈથી ‘વનમહોત્‍સવ-2023’નો પ્રારંભ કરવામાં આવ્‍યો છે. જે અંતર્ગત તિનોડા ગામમાં વન વિભાગ સહિત પોલીસ વિભાગ, મેડિકલ ટીમ અને શાળાના વિદ્યાર્થીઓ સાથે લગભગ 15 હેક્‍ટર વિસ્‍તારમાં 900 જેટલા વિવિધ પ્રકારના વૃક્ષોના છોડોનું વાવેતર કરવામાં આવ્‍યું હતું.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં વન વિભાગ દ્વારા આ વર્ષે દાનહના વિવિધ વિસ્‍તારમાં 510 હેક્‍ટરમાં વૃક્ષારોપણ કરવામાં આવશે અને 1350 જૂના પ્‍લાન્‍ટેશનને મેન્‍ટેનન્‍સનું કામ કરવામાં આવશે. જેમાં સાગ, ખેર, સીસમ, બહેડા, સિવણ, વાંસ, જાંબુ, આમળા, સીતાફળ, મહુડો જેવા વૃક્ષ રોપવામાં આવશે.
વૃક્ષારોપણ દરમિયાન વન વિભાગના સીસીએફ એમ.રાજકુમાર, સી.એફ. પ્રશાંત રાજગોર, ડી.સી.એફ. રાજતિલક, શ્રી થોમસ વર્ગિસ, એસીએફ શ્રી વિજયકુમાર પટેલ તથા એસ.પી. શ્રી રાજેન્‍દ્ર પ્રસાદ મીણા, એસડીપીઓ શ્રી સિદ્ધાર્થ જૈન, પીઆઈ, પીએસઆઈ, પોલીસ વિભાગની ટીમ, મેડીકલ ટીમ સહિત મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓએ વૃક્ષોના છોડનું વાવેતર કર્યું હતું.

Related posts

મોદી સરકારે દાનહ અને દમણ-દીવના રસ્‍તાના વિસ્‍તૃતીકરણ માટે રૂા. 250 કરોડની ફાળવણી કરતા સંઘપ્રદેશ ભાજપે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી, સડક,પરિવહન મંત્રી નિતિન ગડકરી અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો માનેલો આભાર

vartmanpravah

શ્રમેવ જયતેઃ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપની અવર-જવર કરતા પ્રવાસીઓની મુશ્‍કેલી હળવી કરવા કોચી બંદર ખાતે બોટ અને ધક્કાની લીધેલી મુલાકાત

vartmanpravah

મગરવાડા GROUP ગ્રામ પંચાયત દ્વારા થાણાપારડી, બાવરી ફળીયા ખાતે દિવસ ચૌપાલ યોજાઈ

vartmanpravah

ગોઈમામાં આધેડ ઘર પાછળ આંબાના ઝાડ પર ફાંસો ખાઈ જીવન ટુકાવ્‍યું

vartmanpravah

સમગ્ર શિક્ષા અભિયાનના સહયોગથી સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકો માટે અંગ્રેજી ભાષા ક્ષમતા નિર્માણ કાર્યક્રમના બીજા મોડયુલની તાલીમ સંપન્ન

vartmanpravah

સેન્‍ટર ઓફ એક્‍સલન્‍સ ખાતે એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા ટેકનિકલ સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment