Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

શિક્ષક દિવસના ઉપલક્ષમાં ગુજરાત ટેક્‍નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા દમણની સરકારી પોલિટેકનિકના વિભાગાધ્‍યક્ષ ડૉ. રાકેશકુમાર ભૂજાડેની ટેક-ગુરૂના એવોર્ડથી કરાયેલું સન્‍માન

ડો. રાકેશ કુમાર ભૂજાડેએ શિક્ષણ શોધ અને વિદ્યાર્થીઓના વિકાસના ક્ષેત્રમાં કરેલા ઉલ્લેખનીય કામો માટે સર્વ શ્રેષ્‍ઠ ટેક-ગરૂ એવોર્ડ-2023થી સન્‍માનિત કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08 : ગુજરાત ટેક્‍નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા શિક્ષકોની શૈક્ષણિક ઉપલબ્‍ધિઓનું આકલન કરી ‘શિક્ષક દિવસ’ના ઉપલક્ષમાં સર્વશ્રેષ્‍ઠ શિક્ષક માટે પાંચમા ટેક-ગુરૂ પુરસ્‍કારનું આયોજન કર્યું હતું. જેમાં દમણની ગવર્નમેન્‍ટ પોલિટેકનિકના ઈન્‍ફોર્મેશન ટેકનોલોજી વિભાગના અધ્‍યક્ષ ડૉ. રાકેશ કુમાર ભૂજાડેને તેમના શિક્ષણ શોધ અનેવિદ્યાર્થીઓના વિકાસના ક્ષેત્રમાં કરાયેલા ઉલ્લેખનીય કામો માટે સર્વ શ્રેષ્‍ઠ ટેક-ગરૂ એવોર્ડ-2023થી સન્‍માનિત કરાયા હતા. આ એવોર્ડ ગુજરાત ટેક્‍નોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. રાજુલ કે. ગજ્જર અને ગુજરાત નેશનલ લૉ. યુનિવર્સિટીના ડાયરેક્‍ટર ડૉ. સંજીવની શાંથા કુમાર દ્વારા અમદાવાદ ખાતે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં ડૉ. રાકેશ કુમાર ભૂજાડેને એનાયત કરાયો હતો. આ પ્રસંગે ગવર્નમેન્‍ટ પોલિટેકનિકના પ્રિન્‍સિપાલ શ્રી ટી. બાલાગણેશને આ ઉપલબ્‍ધિ પર ડૉ. રાકેશ કુમાર ભૂજાડેને અભિનંદન આપી તેમના દ્વારા શોધ અને અનુસંધાનના ક્ષેત્રમાં કરાતા અનેક નવા પ્રયોગોની સરાહના કરી હતી.
અત્રે યાદ રહે કે, ગુજરાત ટેક્‍નોલોજીકલ યુનિવર્સિટીની 400થી વધુ એફિલીએટેડ કોલેજો અને 13 હજારથી વધુ શિક્ષકો યુનિવર્સિટી સાથે જોડાયેલા છે.
ટેક-ગુરૂ પુરસ્‍કાર-2023થી સન્‍માનિત થયેલા ડૉ. રાકેશ કુમાર ભૂજાડેને સંઘપ્રદેશના શિક્ષણ સચિવ શ્રી ટી. અરૂણ, શિક્ષણ નિર્દેશક શ્રી શિવમ તેવતિયા, સરકારી પોલિટેકનિક પ્રિન્‍સિપાલ શ્રી બાલગણેશન અને ગવર્નમેન્‍ટ પોલિટેકનિક દમણના દરેક વિભાગોના અધ્‍યક્ષો તથા શિક્ષકગણોએ શુભકામના પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્‍યની પણ કામના કરી હતી.

Related posts

વૈશાલી હત્‍યા કેસની મુખ્‍ય આરોપી બબીતાના વધુ ત્રણ દિવસના રિમાન્‍ડ મંજૂર કરતી પારડી કોર્ટ

vartmanpravah

ભાજપની વિચારધારા અને પ્રધાનમંત્રી મોદીની વિકાસલક્ષી રાજનીતિની જીત : દમણ જિ.પં. પ્રમુખ નવીનભાઈ પટેલ

vartmanpravah

વાપી રાજસ્‍થાન પ્રગતિ મંડળ દ્વારા એ.એસ.પી. શ્રીપાલ શેસ્‍માનો અભિનંદન સમારોહ યોજાયો

vartmanpravah

દાનહ અને દમણ મ્‍યુનિસિપલ કાઉન્‍સિલ રેગ્‍યુલેશન 2004 અંતર્ગત 2022માં કરાયેલા સુધારાથી દમણ અને સેલવાસ ન.પા.ના પ્રમુખ અને ઉપપ્રમુખના પદ માટે સર્જાયેલી અનિશ્ચિતતા

vartmanpravah

કુટણખાનું ચાલતું હોવાની બાતમીના આધારે ચીખલીના દેગામમાં સરપંચ અને ગ્રામજનોએ છાપો મારતા એક કપલ મળી આવતા મચેલો હોબાળો

vartmanpravah

દાનહઃ બિહાર જન સેવા સંઘ દ્વારા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્‍દ્ર પ્રસાદની જન્‍મ જયંતીની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment