April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના કીકરલા ગામે સીયાર ખાડીના ગરનાળામાંથી વૃદ્ધની લાશ મળી

આધારકાર્ડ પાનકાર્ડ અને ફોટાઓ મળી આવતા યુપીનો હોવાની ઓળખ થઈ

શરીરે ઈજાના નિશાનો અને ઘટના સ્‍થળે લોહીના ડાઘાઓ જોતા શંકાસ્‍પદ મોત હોવાની આશંકા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.03: પારડી તાલુકાના કિકરલા પરિવાર ખાતે આવેલ સીયાર ખાડીના ગરનાળાના પાણીમાં પડેલ એક પુરુષની લાશ ગામના જ રહેવાસી મનીષભાઈ નામના વ્‍યક્‍તિએ જોતા તેમણે ગામના સરપંચ મનોજભાઈ પટેલને આ અંગેની જાણ કરાતા સરપંચ મનોજભાઈ તાત્‍કાલિક ઘટના સ્‍થળે દોડી જઈ પારડી પોલીસને આ અંગેની જાણ કરી હતી.
પારડી પોલીસે ગરનાળામાં પડેલી લાશ બહાર કાઢી લાશ સાથેની થેલીમાં જોતા થેલીમાંથી આધાર કાર્ડ, પાન કાર્ડ તથા ફોટાઓ મળી આવતા આ વૃદ્ધ મઠયાઇ, બમહોરી, ક્‍લાન ચરખાડી સ્‍ટેટ મહોબા યુપીનો રહેવાસી હોવાની ઓળખ થઈ હતી, સાથે સાથે આ વૃદ્ધનો છોકરો દમણ ખાતે કામ કરી ઉદવાડા ગામ ખાતે રહેતો હોય પારડી પોલીસે તેને જાણ કરી બોલાવ્‍યો હતો. અને લાશને પી.એમ. માટે ઓરવાડ પી.એચ.સી. ખાતે લઈજવામાં આવી હતી.
ઘટના સ્‍થળે જોવા મળતા લોહીના ડાઘાઓ તથા શરીરે થયેલ ઈજાના નિશાનો જોતા શંકાસ્‍પદ મોત હોવાની આશંકા થઈ રહી છે. પી.એમ. રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ સત્‍ય બહાર આવશે.

Related posts

વલસાડ જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન – વ- ફરિયાદ સમિતિની બેઠક મળી પ્રજાના પ્રતિનિધિઓએ પ્રજાહિતને સ્પર્શતા પ્રશ્નો રજુ કર્યા

vartmanpravah

રાજ્‍યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્‍તે વલસાડ-નવસારીના યુવા બોર્ડના ઝોન સંયોજકને એવોર્ડ એનાયત

vartmanpravah

પાલ ગામ સ્‍થિત શાળા ક્રમાંક 319માં કારગીલ વિજય દિવસની ઉજવણી નિમિત્તે વીર વંદના કાર્યક્રમ યોજાયો

vartmanpravah

26મી જાન્‍યુઆરી, ગણતંત્ર દિવસ નિમિત્તે કર્તવ્‍ય પથ, નવી દીલ્‍હીમાં યોજાનારી પરેડ માટે દાનહ અને દમણ-દીવના એન.એસ.એસ.ના બે સ્‍વયંસેવકોની પસંદગી

vartmanpravah

દેગામમાં પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીના હસ્‍તે સ્‍મશાનગૃહનું ખાતમુહૂર્ત સંપન્ન

vartmanpravah

ભગવાન શ્રીકળષ્‍ણ વિશે આપત્તિજનક પોસ્‍ટ કરનારા ધરમપુર તાલુકાના તુંબી ગામના દંપતિ સામે કાર્યવાહી કરવા માંગ

vartmanpravah

Leave a Comment