July 23, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણ

દમણવાડા ગ્રા.પં. 28મી ઓક્‍ટોબરે પોતાના સ્‍થાપના દિવસની ઉજવણી કરશે

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ નવી દિલ્‍હી ખાતે ભારત મંડપમાં નીતિ આયોગ અંતર્ગત આકાંક્ષી જિલ્લાઓ માટે સંકલ્‍પ સપ્તાહનો શુભારંભ કરાવતા ગ્રામ પંચાયતો તથા પોતાના ગામના સ્‍થાપના દિવસની ઉજવણી કરવા આપી હતી પ્રેરણા

ગોવા, દમણ અને દીવમાં પ્રથમ ગ્રામ પંચાયતની ચૂંટણી 24મી ઓક્‍ટોબર, 1962ના રોજ યોજાઈ હતી અને દમણવાડા ગ્રામ પંચાયતના પ્રથમ સરપંચ તરીકે ગાંડાભાઈ દયાળભાઈ પટેલે 28મી ઓક્‍ટોબરે સરપંચ તરીકેનો સંભાળ્‍યો હતો પદભાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.18 : દમણવાડા ગ્રામ પંચાયત આગામી તા.28મી ઓક્‍ટોબરના રોજ પોતાના સ્‍થાપના દિવસની ઉજવણી કરશે. 24મી ઓક્‍ટોબર, 1962ના રોજ ગોવા, દમણ અને દીવની ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવામાં આવી હતી. દમણવાડા ગ્રામ પંચાયતમાં પણ 24મી ઓક્‍ટોબરે ચૂંટણી યોજાઈ હતી અને પ્રથમ સરપંચ તરીકે સ્‍વ. ગાંડાભાઈ દયાળભાઈ પટેલે 28મી ઓક્‍ટોબર, 1962ના રોજ રવિવારના દિવસે સરપંચ તરીકેનો પોતાનો પદભારસંભાળ્‍યો હતો અને તે દિવસે દિવાળી હોવાનું તે સમયના હયાત ગ્રામજનો જણાવી રહ્યા છે. તેથી દમણવાડા ગ્રામ પંચાયતના સ્‍થાપના દિવસ તરીકે 28મી ઓક્‍ટોબરની પસંદગી કરવામાં આવી હોવાનું સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું છે.
દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા 28મી ઓક્‍ટોબરની સાંજે 5:00 વાગ્‍યે યોજાનારા સ્‍થાપના દિવસ નિમિત્તે 1962થી લઈ અત્‍યાર સુધી બનેલા તમામ સરપંચો અથવા તેમના પરિવારજનોનું સન્‍માન પણ કરવામાં આવશે. 28મી ઓક્‍ટોબરના રોજ શરદ પૂર્ણિમા હોવાથી દમણવાડા પંચાયત દ્વારા ગરબા મહોત્‍સવનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીના જણાવ્‍યા પ્રમાણે ગત તા.30મી સપ્‍ટેમ્‍બરના રોજ નવી દિલ્‍હી ખાતે ભારત મંડપમાં નીતિ આયોગ અંતર્ગત આકાંક્ષી જિલ્લાઓ માટે સંકલ્‍પ સપ્તાહનો શુભારંભ કરાવતા પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ પોતાની ગ્રામ પંચાયતો તથા ગામના સ્‍થાપના દિવસની ઉજવણી કરવા આપેલા પ્રોત્‍સાહન અંતર્ગત આ આયોજન હાથ ધરવામાં આવ્‍યું છે.

Related posts

ઉમરસાડી માછીવાડમાં ન્‍હાવા પડેલ બે મિત્રો પૈકી એકનું ડૂબી જવાથી મોત

vartmanpravah

પારડીના કોલક દરિયા કિનારે દેશની સૌપ્રથમ શોરલાઈન ક્‍લીન-અપ મોકડ્રીલ યોજાઈ

vartmanpravah

વકીલ પર હુમલો કરનારાનો કેશ નહી લેવા પારડી વકીલ મંડળનો ઠરાવ

vartmanpravah

વાપી વિસ્‍તારની સ્‍કૂલમાં ધો.1 થી 5 ના વર્ગ ચાલુ થતા ભૂલકાઓ ઉમંગ સાથે સ્‍કૂલમાં આવી રહ્યા છે. લાંબા સમયથી ઘરે ઓન લાઈન શિક્ષણથી બાળકો નાખુશ હતા હવે સ્‍કૂલમાં ભણવાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે.

vartmanpravah

દાનહઃ સાયલી ભીલોસા કંપની નજીક ટ્રકની અડફેટે બાઈકસવાર બે યુવાનોના ઘટના સ્‍થળ પર જ મોત

vartmanpravah

આમધરામાં ગ્રામસભામાં સરપંચ અને ડે.સરપંચ ગેરહાજર રહેતા રોષે ભરાયેલા લોકોએ હોબાળો કરતા ગ્રામસભા રદ્‌ કરવાની પડેલી ફરજ

vartmanpravah

Leave a Comment