July 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherદેશસેલવાસ

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા કર્ણાટક રાજ્‍યનો સ્‍થાપના દિવસ મનાવાયો

કલેક્‍ટર પ્રિયાંક કિશોરે દાનહમાં વસતા કર્ણાટક રાજ્‍યના મૂળનિવાસીઓને આપેલી શુભકામના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : આજે દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા કર્ણાટક રાજ્‍યના સ્‍થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સેલવાસ કલેક્‍ટર કચેરી ખાતે કલેક્‍ટર શ્રી પ્રિયાંક કિશોરની અધ્‍યક્ષતામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દાનહ કન્નડ સેવા સંઘ અને કન્નડ મહિલા સંઘના સભ્‍યો અને અધિકારીઓએ કર્ણાટક રાજ્‍યના સ્‍થાપના દિવસ પર એકબીજાને મળ્‍યા હતા અને એકતા તથા વિવિધ સંસ્‍કૃતિ તેમજ કલાનું આદાન-પ્રદાન કર્યું હતું. કલેક્‍ટર શ્રી પ્રિયાંક કિશોરે દાનહમાં વસતા કર્ણાટક રાજ્‍યના મૂળ નિવાસીઓને શુભકામના આપી હતી. આ પ્રસંગે સેલવાસના નિવાસી નાયબ કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખ, સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રજની શેટ્ટી સહિત મહાનુભાવો અને કર્ણાટકના મૂળ લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે પાકિસ્‍તાની જેલમાં સબડી રહેલા માછીમારો અને બોટને છોડાવવા વિદેશ મંત્રી એસ.જયશંકરને કરેલીરજૂઆત

vartmanpravah

વાપી ગુંજનમાં ફરજ બજાવતા મહિલા જી.આર.ડી. નિતાબેન મહાલાએ ઈમાનદારીની મિશાલ ઉજાગર કરી

vartmanpravah

વાપી અંબામાતા મંદિરમાં પ્રથમ વખત ગૌસેવાના લાભાર્થે ભાગવત કથાનો પ્રારંભ

vartmanpravah

સેલવાસ દમણગંગા નદીમાં વધુ એક વ્‍યક્‍તિએ લગાવી મોતની છલાંગ

vartmanpravah

દાનહ કોંગ્રેસ નેતા પ્રભુભાઈ ટોકિયાએ પ્રદેશના ચર્ચાસ્‍પદ બનેલા લેન્‍ડલેસ પ્‍લોટ કૌભાંડની સીબીઆઈ કેમ્‍પમાં માંગેલી તપાસ

vartmanpravah

નાની દમણના ‘‘કુંભારવાડ ચા રાજા” ગણપતિમહોત્‍સવ આ વર્ષે પણ આકર્ષણનું કેન્‍દ્ર બનશે

vartmanpravah

Leave a Comment