Vartman Pravah
Breaking NewsOtherદેશસેલવાસ

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા કર્ણાટક રાજ્‍યનો સ્‍થાપના દિવસ મનાવાયો

કલેક્‍ટર પ્રિયાંક કિશોરે દાનહમાં વસતા કર્ણાટક રાજ્‍યના મૂળનિવાસીઓને આપેલી શુભકામના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : આજે દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા કર્ણાટક રાજ્‍યના સ્‍થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સેલવાસ કલેક્‍ટર કચેરી ખાતે કલેક્‍ટર શ્રી પ્રિયાંક કિશોરની અધ્‍યક્ષતામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દાનહ કન્નડ સેવા સંઘ અને કન્નડ મહિલા સંઘના સભ્‍યો અને અધિકારીઓએ કર્ણાટક રાજ્‍યના સ્‍થાપના દિવસ પર એકબીજાને મળ્‍યા હતા અને એકતા તથા વિવિધ સંસ્‍કૃતિ તેમજ કલાનું આદાન-પ્રદાન કર્યું હતું. કલેક્‍ટર શ્રી પ્રિયાંક કિશોરે દાનહમાં વસતા કર્ણાટક રાજ્‍યના મૂળ નિવાસીઓને શુભકામના આપી હતી. આ પ્રસંગે સેલવાસના નિવાસી નાયબ કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખ, સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રજની શેટ્ટી સહિત મહાનુભાવો અને કર્ણાટકના મૂળ લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ડાભેલ આટિવાયાડમાં પ્લાસ્ટિક થર્મોકોલ બનાવતી કંપનીમાં લાગેલી ભીષણ આગ

vartmanpravah

તા.૨૫મીને રવિવારે આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા નાંધઇ ખાતે સામુહિક સર્વપિતૃ શ્રાધ્ધ

vartmanpravah

પદ્મશ્રી પ્રભાબેન શાહે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

સેલવાસના દયાત ફળિયાની એક તરુણીએ ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

દાનહ આદિવાસી વિકાસ સંગઠનના દસ્‍તાવેજો-ઈલેક્‍ટ્રોનિક્‍સ ડિવાઈસિસ ચોરી પ્રકરણમાં સાંસદના પી.એ. સહિત 4ના રિમાન્‍ડ લંબાવાયાઃ પાંચ આરોપીઓને જ્‍યુડિશિયલ કસ્‍ટડી

vartmanpravah

વલસાડ જિલ્લામાં જુની થયેલી આંબાવાડીના નવીનીકરણ માટે કૃષિ પ્રાયોગિક કેન્દ્ર -બાગાયત ખાતાની પહેલ

vartmanpravah

Leave a Comment