Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણમાં 74મા ‘બંધારણ દિવસ’ની કરાયેલી ઉજવણીઃ કલેક્‍ટર સૌરભ મિશ્રાએ પ્રસ્‍તાવનાનું કરેલું વાંચન

  • ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સેલવાસ કેમ્‍પસના નંદિતા ગુગનાનીએ ‘બંધારણ દિવસ’ અને તેના મહત્ત્વની આપેલી વિસ્‍તૃત માહિતી

  • ભારતીય બંધારણ એ ઘણી રીતે વિશ્વના અન્‍ય દેશોના બંધારણોથી અલગ છે, પરંતું વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ હોવાને કારણે તે અન્‍ય દેશોથી ઘણું અલગ છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શન અને નેતૃત્‍વમાં આજે દમણ જિલ્લા પ્રશાસન દ્વારા ભારતના 74મા ‘બંધારણ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન સવારે 11:30 કલાકે સરકારી એન્‍જિનિયરિંગ કોલેજ, નાની દમણના સભાખંડમાં કરવામાં આવ્‍યું હતું.
કાર્યક્રમનીશરૂઆત દમણ જિલ્લા કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રા તથા અન્‍ય અતિથિઓ દ્વારા દીપ પ્રાગટય કરીને કરવામાં આવી હતી. કાર્યક્રમના પ્રારંભમાં ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી સેલવાસ પરિસરના શ્રીમતી નંદિતા ગુગનાનીએ ‘બંધારણ દિવસ’ અને તેના મહત્ત્વ વિશે ઉપસ્‍થિત તમામને વિસ્‍તૃત માહિતી આપી હતી. ત્‍યારબાદ અતિથિઓ દ્વારા ‘બંધારણ દિવસ’ માટે આયોજીત કરવામાં વિવિધ સ્‍પર્ધાઓના વિજેતાઓને પુરસ્‍કૃત કરવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે દમણ જિલ્લા કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રાએ તમામની એકજૂટતામાં ‘બંધારણ દિવસ’ની પ્રસ્‍તાવનાનું વાંચન કર્યું હતું.
આ પ્રસંગે કાયદા સચિવ શ્રી જયંત પાંચાલ, પોલીસ અધિક્ષક શ્રી અમિત શર્મા, દમણ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી જાગૃતિબેન પટેલ, દમણ નગરપાલિકા પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયા, દમણ જિ.પં. ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશના પ્રમુખ શ્રી સત્‍યેન્‍દ્ર કુમાર, પ્રશાસનિક અધિકારીઓ-કર્મચારીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્‍યામાં આમંત્રિતો તથા આમલોકો ઉપસ્‍થિત રહ્યા હતા.
અત્રે યાદ રહે કે, દર વર્ષે 26મી નવેમ્‍બરને ‘બંધારણ દિવસ’ અથવા ‘રાષ્‍ટ્રીય કાયદા દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. આ ખાસ દિવસ 1949ના ઐતિહાસિક દિવસની યાદ અપાવે છે, જ્‍યારે બંધારણ સભા દ્વારાભારતીય બંધારણને લાગુ કરવામાં આવ્‍યું. ભારતીય બંધારણ એ ઘણી રીતે વિશ્વના અન્‍ય દેશોના બંધારણોથી અલગ છે, પરંતું વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ હોવાને કારણે તે અન્‍ય દેશોથી ઘણું અલગ છે.

Related posts

કેન્‍દ્રીય બજેટમાં ખેડૂતલક્ષી યોજનાઓથી દેશનો સર્વાંગી વિકાસ થશે : પૂર્વ સાંસદ ગોપાલ દાદા

vartmanpravah

‘સાંસદ આદર્શ ગ્રામ’ કપરાડા તાલુકાના રાહોર ગામના વિકાસ માટે વલસાડ કલેક્‍ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને બેઠક યોજાઈ

vartmanpravah

વસંત પંચમીના દિને એક વર્ષ પૂર્ણ થતાં ત્રિશક્‍તિ ધામ મસાલચોક, મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાજીના મંદિરની ભૂમીને સતચંડી મહાયજ્ઞનું આયોજન

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિનો સંઘપ્રદેશમાં પણ પડેલો પડઘો

vartmanpravah

1લી જુલાઈએ શતરંજ ઓલમ્‍પિયાડની મશાલ રીલે દમણ પહોંચશેઃસંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે થનારૂં ભવ્‍ય સ્‍વાગત

vartmanpravah

વાપી થર્ડફેઝમાં મોબાઈલ રીચાર્જ કરાવી માલિકે પૈસા માંગતા ધમકી આપતા ફરિયાદ નોંધાઈ

vartmanpravah

Leave a Comment