April 19, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસઃ ‘કલા કેન્‍દ્ર’ના ત્રીજા માળે આવેલી લાઈબ્રેરીમાં પીવાના પાણીની સુવિધાનો અભાવ, લિફટ પણ બંધઃ વાંચન માટે આવતા વિદ્યાર્થીઓ-વડીલોને વેઠવા પડી રહેલી તકલીફ

તમામ સમસ્‍યાઓનો તાત્‍કાલિક ઉકેલ લાવવા સ્‍વયં નગરપાલિકા પ્રમુખ રજની શેટ્ટીએ દાનહના પ્‍લાનિંગ એન્‍ડ ડેવલપમેન્‍ટ વિભાગને કરેલી લેખિત રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27 : દાદરા નગર હવેલી પ્રશાસનના પ્‍લાનિંગ એન્‍ડ ડેવલપમેન્‍ટ ઓથોરીટી વિભાગ દ્વારા સંચાલિત સેલવાસ ટાઉન ખાતેના ‘કલા કેન્‍દ્ર’માં વિવિધ સમસ્‍યાઓ ઉદ્‌ભવી રહી હોવાની ફરિયાદ ઉઠી રહી હતી. તેથી અહીં ઉદ્‌ભવતી વિવિધ સમસ્‍યાઓનો હલ લાવવા સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રજની શેટ્ટી દ્વારા વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
સેલવાસ ન.પા. પ્રમુખ શ્રીમતી રજની શેટ્ટીએ કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્‍યા મુજબ ‘કલા કેન્‍દ્ર’ની લિફટ છ મહિનાથી વારંવાર બંધ થઈ રહી છે, જેના કારણે ખાસ કરીને સિનિયર સીટીઝનોને ઉપર જવા-આવવામાં ભારે તકલીફો પડી રહી છે. કારણ કે, ત્રીજા માળે લાઈબ્રેરી આવેલી છે આલાઈબ્રેરીમાં વાંચન માટે વિદ્યાર્થીઓ અને સિનિયર સિટિઝનો મોટા ભાગે આવતા હોય છે. ઉપરાંત આ લાઈબ્રેરીમાં આવતા લોકો માટે પીવાના પાણીની પણ કોઈ જ સગવડ નથી. સાથે લાઈબ્રેરીમાં નવા એર કન્‍ડીશનર(એ.સી.) લગાવવામાં આવેલ છે એ પણ કામ કરતા નથી અને બંધ હાલતમાં છે જેના કારણે લાઈબ્રેરીમાં વાંચન માટે આવતા સિનિયર સીટીઝનો તથા વિદ્યાર્થીઓ સહિતનાઓને ગરમીનો માર સહન કરવા પડી રહ્યો છે.
જેથી આ કલા કેન્‍દ્રમાં પડતી નાની-મોટી તમામ સમસ્‍યાઓનો તાત્‍કાલિક ઉકેલ લાવવામાં આવે અને સમય સમય પર તમામ પ્રકારની દેખરેખ અને સારસંભાળ રાખવામાં આવે એમ સંચાલકોને લેખિત ફરિયાદમાં જણાવાયું છે.

Related posts

વલસાડ જિલ્લામાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

vartmanpravah

રાજ્‍ય સરકાર દ્વારા ઉમરગામના ધોડીપાડામાં આજથી બે દિવસીય આદિજાતિ જન ઉત્‍કર્ષ મહોત્‍સવની ઉજવણી કરાશે

vartmanpravah

‘હર ઘર તિરંગા’ અભિયાનઃ સંઘપ્રદેશમાં રાષ્‍ટ્ર પ્રેમ, દેશદાઝ સાથે ખેલદિલી આનંદ-ઉત્‍સવનો પ્રસંગ

vartmanpravah

સંઘપ્રદેશમાં વધુમાં વધુ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડના દાયરામાં લાવવા દાનહ અને દમણના કલેક્‍ટરના અધ્‍યક્ષ સ્‍થાને લેવાયેલો નિર્ણય

vartmanpravah

સેલવાસઃ આમલી ગાયત્રી મંદિર મેદાન શાકભાજી માર્કેટમાં જગ્‍યાના ભાડા બાબતે નાના વેપારીઓ નારાજ

vartmanpravah

જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા કાર્યવાહક આયોજન સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment