July 18, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહમાં સામરવરણી અને મસાટ પંચાયતોની ગ્રામસભા સંપન્ન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’ યોજના અંતર્ગત વર્ષ 2024-‘25 ડેવલપમેન્‍ટ પ્‍લાનને મંજૂર કરવા આજે દાદરા નગર હવેલીના સામરવરણી પંચાયતના સરપંચ શ્રીમતી કૃતિકા અજયભાઈ બારાત અને મસાટ પંચાયતના સરપંચ શ્રી રણજીતભાઈ લીમજીભાઈ પટેલની અધ્‍યક્ષતામાં પંચાયતોની ગ્રામસભા પંચાયત ઘરો ખાતે આયોજીત કરવામાં આવી હતી.
ગ્રામસભાનો શુભારંભ દીપ પ્રાગટયથી કરવામાં આવ્‍યો હતો .ત્‍યારબાદ ગ્રામસભાની કાર્યસૂચિ અનુસાર ચાલુ વર્ષનું બજેટ અને ભૌતિક ભંડોળનો ઉપયોગ, યોજનાઓની કાર્યપ્રણાલી અને આગામી વર્ષ 2024-‘25ના વિકાસકાર્યોના એક્‍શન પ્‍લાનની ચર્ચા કરવામાં આવી હતી. દરમિયાન જિલ્લા પ્રશાસનના વિવિધ વિભાગોમાંથી ઉપસ્‍થિત રહેલા અધિકારીઓએ તેમના વિભાગ દ્વારા હાલમાં લાગુ ભારત સરકાર અને દાનહ પ્રશાસનની વિવિધ યોજનાઓ અંગે ગ્રામજનોને જાણકારી આપી હતી. સાથે વિવિધ વિકાસ કામોને લઈને ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રોડ-રસ્‍તા, પાણી, ગટર વગેરેના પ્રશ્નોનો નિકાલ કરવા માટે ચર્ચાકરવામાં આવી હતી. આ અવસરે ગામમાં ઘણાં કામો બાકી રહી ગયેલ છે, એને પ્રશાસન દ્વારા ઝડપથી પૂર્ણ કરવામાં આવે એવી ગ્રામજનોએ માંગણી કરી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હાલમાં 1લાખ 20 હજાર રૂપિયા આવાસ બનાવવા માટે મળે છે, જે પહેલાં રૂા. 2 લાખ 50 હજાર મળતા હતા. આ રકમને ફરીથી વધારવા માટેની માંગ ગ્રામજનોએ કરી હતી.
ગ્રામ સભામાં બન્ને ઉપ સરપંચો, જિલ્લા પંચાયત સભ્‍યો, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ અને મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

નવસારી જિલ્લામાં 28 થી 30 જૂન દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ થયું

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે પ્રદેશમાં દુકાનો અને ઘરના ડીમોલીશન કરવા પહેલા સમય આપવા કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

દાદરા નગર હવેલીના અંતરિયાળ ગામડા વિસ્‍તારમાં પીવાના પાણીની ઉદ્‌ભવેલી વિકટ સમસ્‍યા

vartmanpravah

ગોવાના રાજ્‍યપાલ પી.એસ. શ્રીધરન પિલ્લઈએ સંઘપ્રદેશ થ્રીડી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું કરેલું ભવ્‍ય સ્‍વાગત: દિલ્‍હીના ઉપ રાજ્‍યપાલ વિનય કુમાર સક્‍સેના પણ ઉપસ્‍થિત રહ્યા

vartmanpravah

રાષ્‍ટ્રીય મીડિયાના અહેવાલ મુજબ દમણ-દીવ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તરીકે કેતનભાઈ પટેલની કરાયેલી પસંદગી

vartmanpravah

ઉમરગામ તાલુકાના નાહુલીમાં જાળમાં ફસાયો 8 ફૂટ લાંબો મહાકાય અજગર

vartmanpravah

Leave a Comment