September 12, 2026
Vartman Pravah
Breaking NewsOtherદેશસેલવાસ

દાનહના નરોલી ખાતે પ. બંગાળની મહિલાનું ચક્કર આવતાં પડી જતાં મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15 : દાદરા નગર હવેલીના નરોલીમાં એક ચાલીમાં રહેતી પરપ્રાંતિય પરિણીતા 11 ડિસેમ્‍બરના રોજ સવારે ભોજન બનાવતી વખતે ચક્કર આવતાં પડી ગઈ હતી. જેમને તેમના પતિ દ્વારા તાત્‍કાલિક સારવાર માટે નજીકની હોસ્‍પિટલમાં ખસેડી હતી. જ્‍યાં તેમની તબિયત વધુ બગડતાં સેલવાસ ખાતે સિવિલ હોસ્‍પિટલમાં વધુ સારવાર અર્થે લઈ જવામાં આવ્‍યા હતાં જ્‍યાં તેમનું સારવાર દરમ્‍યાન મોત થયું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર પાનો કાર્તિક (ઉ.વ.23) હાલ રહેવાસી નરોલી અને મૂળ રહેવાસી- પશ્ચિમ બંગાળ. જેઓ ગત તા.11મી ડિસેમ્‍બરના રોજ સવારે ભોજન બનાવી રહ્યા હતા. તે સમયે તેમને અચાનક ચક્કર આવતાં પડી ગઈ હતી, પડીગયેલી પત્‍નીને તેમના પતિએ ઉઠાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ મહિલાનું શરીર એકદમ જકડાઈ જવા પામ્‍યું હતું. જેથી તાત્‍કાલિક સારવાર માટે નરોલીના પી.એચ.સી.માં લઈ જવામાં આવ્‍યા હતા, પરંતુ તબિયતમાં કોઈ સુધારો નહીં થતાં ત્‍યાંથી વધુ સારવાર માટે સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવવામાં આવ્‍યા હતા. જ્‍યાં પાનો કાર્તિકનું સારવાર દરમ્‍યાન મોત થયું હતું. પરિણીતાનું મોત ક્‍યા કારણોસર થયું એની જાણકારી ડોક્‍ટરો આપી શક્‍યા નથી. હવે પોસ્‍ટમોર્ટમ(પી.એમ.) રિપોર્ટ આવ્‍યા બાદ જ ખબર પડશે.

Related posts

વાપી નગરપાલિકા દ્વારા સમર્પણ જ્ઞાન સ્‍કૂલને બેસ્‍ટ ક્રિએટિવિટી પેઇન્‍ટિંગ એવોર્ડ એનાયત

vartmanpravah

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત કચીગામ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાં વિદ્યાર્થીનીઓ માટે તરુણાવસ્‍થા વિષય ઉપર શૈક્ષણિક જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પારડીના અનેક વિસ્‍તારોમાં પાણી ભરાતા લોકો કરીરહ્યા છે હાલાકીનો સામનો

vartmanpravah

‘આદિવાસી એકતા પરિષદ’ દ્વારા આંબોલી ગામથી જનસંપર્ક સંવાદ અને દાનહ જોડો પદયાત્રાની કરાયેલી શરૂઆત

vartmanpravah

ધરમપુરના ખટાણા જલારામ મંદિર ખાતે સુવર્ણ જયંતિ મહોત્‍સવની ઉજવણી

vartmanpravah

દમણ જિલ્લા આદિવાસી સાંસ્‍કૃતિક ભવન ખાતે આદિવાસી સમાજની યોજાયેલી સામાન્‍ય સભા

vartmanpravah

Leave a Comment