April 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામખેલગુજરાતચીખલીડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશનવસારીપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસ

આંતરરાષ્‍ટ્રીય ખ્‍યાતિપ્રાપ્ત ‘આર્ટ ઓફ લિવિંગ’ દ્વારા નાની દમણના સ્‍વામી વિવેકાનંદ કોલેજ ગ્રાઉન્‍ડ ખાતે 4 દિવસીય યોગ મહોત્‍સવનો પ્રારંભ

  • જીવન જીવવાની કળા એટલે ‘આર્ટ ઓફ લિવિંગ’: યોગ ગુરૂ શૈલેષ રાઠોડ

  • યોગ મહોત્‍સવમાં વધુમાં વધુ સંખ્‍યામાં ભાગ લેવા અને યોગ તેમજ આરોગ્‍ય સંબંધિત વિષયોવિશે જ્ઞાનવર્ધક માહિતી મેળવવા યોગ ગુરૂ શૈલેષ રાઠોડની અપીલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.10 : આંતરરાષ્‍ટ્રીય ખ્‍યાતિપ્રાપ્ત સંસ્‍થા ‘આર્ટ ઓફ લિવિંગ’ દ્વારા આજથી દમણના સ્‍વામી વિવેકાનંદ સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડ ખાતે 4 દિવસીય યોગ મહોત્‍સવનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે. જેમાં યોગ ગુરૂ અને આર્ટ ઓફ લિવિંગના ઈન્‍ટરનેશનલ ફેકલ્‍ટી શ્રી શૈલેષ રાઠોડ વિવિધ યોગનો અભ્‍યાસ કરાવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વિશ્વ પ્રસિદ્ધ આધ્‍યાત્‍મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકર દ્વારા સંચાલિત ‘આર્ટ ઓફ લિવિંગ’ દ્વારા આજથી ચાર દિવસીય યોગ મહોત્‍સવનો પ્રારંભ નાની દમણના સ્‍વામી વિવેકાનંદ કોલેજ ગ્રાઉન્‍ડ ખાતે પ્રારંભ થયો છે. આ યોગ મહોત્‍સવ 13 જાન્‍યુઆરી સુધી દરરોજ સવારે 6 થી 8 વાગ્‍યા સુધી યોજાશે. જેમાં વિવિધ યૌગિક ક્રિયા-પ્રક્રિયાની સમજ આંતરરાષ્‍ટ્રીય યોગ ગુરૂ શ્રી શૈલેષ રાઠોડ સમજ આપી રહ્યા છે.
આજે યોગ મહોત્‍સવના પ્રારંભ સમયે ‘આર્ટ ઓફ લિવિંગ’ના યોગ ગુરુ શ્રી શૈલેષ રાઠોડે સવારના સત્રમાં સંબોધન કરતા જણાવ્‍યું હતું કે, યોગ એ પ્રાચીન પરંપરાની અમૂલ્‍ય ભેટ છે, તે આપણી બદલાતી જીવનશૈલીમાં શરીરને સ્‍વસ્‍થ/તંદુરસ્‍ત રાખવામાં મદદ કરે છે.
દમણના સ્‍વામી વિવેકાનંદ સ્‍ટેડિયમમાં આયોજિત આર્ટ ઓફ લિવિંગ યોગ મહોત્‍સવમાં સમગ્ર શહેરયોગમાં જોડાયું હતું. આજના પ્રથમ દિવસે જ 1200થી વધુ લોકોએ ભાગ લઈ ધ્‍યાન કર્યું હતું અને યોગ ગુરુઓ પાસેથી યોગના રહસ્‍યો શીખ્‍યા હતા.
આ દરમિયાન યોગ આંતરરાષ્‍ટ્રીય યોગ ગુરૂ શ્રી ગુરુ શૈલેષ રાઠોડે ઉપસ્‍થિત લોકોને યોગ ક્રિયા શીખવી હતી અને જણાવ્‍યું હતું કે, યોગ એ એક અનુશાસન છે, જે જીવન જીવવાની એક કળા પણ છે. યોગ દ્વારા આત્‍મસાત થવાની શક્‍તિનો વિકાસ થાય છે. યોગ કે ધ્‍યાન દરમિયાન મન પર દબાણ ન કરવું જોઈએ. મનને મુક્‍ત રાખવાથી અનુભૂતિ થાય છે અને અનુભૂતિ દ્વારા ધ્‍યાન અને ધ્‍યાન સમાધિ તરફ દોરી જાય છે. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, મનની એકાગ્રતા વિકળતિઓને દૂર કરે છે અને વિકળતિઓ દૂર કરવાથી વ્‍યક્‍તિના ચારિત્ર્યમાં સકારાત્‍મક પરિવર્તન આવે છે. આ દરમિયાન તેમણે વધુમાં વધુ લોકોને આ યોગ મહોત્‍સવમાં ભાગ લેવા અને યોગ તેમજ આરોગ્‍ય સંબંધિત વિષયો વિશે માહિતીપ્રદ માહિતી મેળવવા અપીલ કરી હતી.

Related posts

સેલવાસ ન.પા.ના અધ્‍યક્ષ રાકેશસિંહ ચૌહાણે વિવિધ સોસાયટીના રહેવાસીઓને પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા કરેલું આહ્‌વાન

vartmanpravah

આજથી મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવની મુલાકાતે

vartmanpravah

વલસાડના ધડોઈ ગામે કપડા સુકાવતા વહુને કરંટ લાગતા સાસુ બચાવવા દોડયા : સાસુનુ કરંટ લાગતા મોત

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનના રાજભાષા સચિવ નિખિલ દેસાઈ અને સંયુક્‍ત સચિવ અરુણ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ સેલવાસમાં ‘હીન્‍દી પખવાડા’નો સમાપન અને પુરસ્‍કાર વિતરણ સમારંભ યોજાયો

vartmanpravah

વાપી નેશનલ હાઈવે જલારામ મંદિર સામે મળસ્‍કે ઉભેલી ટેન્‍કરને ટેમ્‍પો ભટકાતા અકસ્‍માતમાં ભીષણ આગ લાગતા ટેમ્‍પો ચાલક ભડથું

vartmanpravah

દમણની વેલનોન ઈન્‍ડસ્‍ટ્રીઝના કર્મીઓને આરોગ્‍ય વિભાગે ડેંગ્‍યુના રોગચાળાને અટકાવવાની બાબતમાં પ્રશિક્ષિત કર્યા

vartmanpravah

Leave a Comment