March 3, 2026
Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડસેલવાસ

માંદોની-સિંદોની રોડ પર બાઈકની અડફેટે આવેલા બાળકનું મોત થવાના ગુનામાં સેલવાસ જિલ્લા કોર્ટનો ચુકાદો 30 વર્ષિય યુવાન બાઈકચાલક જમસુ વરઠાને એક વર્ષની કેદ અને રૂા. સાત હજાર રોકડનો ફટકારેલો દંડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10 : દાદરા નગર હવેલીના માંદોની-સિંદોની રોડ પર બાઈક ચાલકે એક નાના બાળકને અડફેટમાં લઈ અકસ્‍માત સર્જ્‍યો હતો. આ ઘટનામાં બાળકને ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત બાળકનું સારવાર દરમિયાન મોત થયું હતું. ગંભીર અકસ્‍માત સર્જનાર બાઈકચાલક વિરૂદ્ધ ખાનવેલ પોલીસે કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આજે ખાનવેલ પોલીસે બાઈકચાલકને સેલવાસ ડિસ્‍ટ્રીક્‍ટ કોર્ટમાં રજૂ કરતા સિવિલ જજ અને ચીફ જ્‍યુડિયલ મેજીસ્‍ટ્રેટશ્રીએ જીવલેણ અકસ્‍માત સર્જનાર યુવાનને એક વર્ષની કેદ અને રૂા.7000ના દંડની સજા સંભળાવી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર જમસુ દાવજી વરઠા (ઉ.વ.30) રહેવાસી-રુદાના(દાનહ) જે તા.24/01/2020ના રોજ માંદોની-સિંદોની રોડ પરથી પોતાની બાઈક લઈને પૂરઝડપે પસાર થઈ રહ્યો હતો. તે સમયે વિવેક નામનું બાળક (ઉંમર 7 વર્ષ)ને ટક્કર મારી હતી. આ અકસ્‍માતમાં બાળકને ગંભીર ઇજા થઈ હતી. ગંભીર રીતેઈજાગ્રસ્‍ત બાળકનું સારવાર દરમ્‍યાન મોત થયું હતું. આ ઘટના અંગેની ફરિયાદ ખાનવેલ પોલીસ સ્‍ટેશનમાં નોંધાઈ હતી. ત્‍યારબાદ પોલીસે અકસ્‍માત સર્જનાર યુવાન જમસુ વરઠાને સેલવાસની જિલ્લા કોર્ટમાં હાજર કર્યો હતો.
સરકારી વકીલ પ્રવીણભાઈ પટેલની ધારદાર દલીલને ધ્‍યાનમાં લઈ ડિસ્‍ટ્રીક્‍ટ સિવિલ જજ અને ચીફ જ્‍યુડિશિયલ મેજિસ્‍ટ્રેટ શ્રી એ.એ.ભોસલેએ ચુકાદો આપતાં આરોપી જમસુ વરઠાને એક વર્ષની સખત કેદ અને રૂા.7000 રોકડના દંડની સજા ફટકારી હતી.

Related posts

વલસાડમાં વિવિધ હિંદુ સંગઠનો દ્વારા ઉત્તરાયણમાં ડીજે અને લાઉડ સ્‍પિકરના જાહેરનામાનો વિરોધ કરાયો

vartmanpravah

ચીખલીમાં ગણેશ વિસર્જન અને ઇદે મિલાદ પૂર્વે ડીવાયએસપીના અધ્‍યક્ષ સ્‍થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

સેલવાસ સબજેલમાં કેદીઓના લાભાર્થે ભજન-કિર્તન તથા યોગ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના કાયદા અને ન્‍યાય વિભાગ દ્વારા ફોજદારી બાબતોમાં તપાસ પ્રક્રિયાને લગતા સંબંધિત પાસાઓના સંદર્ભમાં યોજાઈ પ્રથમ સફળ કાર્યશાળા

vartmanpravah

દમણની બદલાઈ રહેલી શકલ અને સૂરતઃ કચીગામ ચાર રસ્‍તાથી પટલારા બ્રિજ સુધી લાગેલા ડેકોરેટિવ પોલ અને લાઈટથી બદલાયેલો નઝારો

vartmanpravah

નવસારી જિલ્લામાં પાંચ લાખથી વધુ લાભાર્થીઓને આયુષ્‍યમાન કાર્ડ વિતરણ કરાશે

vartmanpravah

Leave a Comment