July 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

35મા ‘માર્ગસુરક્ષા મહિના’ અંતર્ગત દમણમાં વાહનવ્‍યવહાર વિભાગે યોજેલી નેત્ર ચિકિત્‍સા શિબિર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.23 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવમાં ઉજવાઈ રહેલા 35મા ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિના’ દરમિયાન આજે દમણ જિલ્લાના વાહનવ્‍યવહાર વિભાગમાં લોકો ખાસ કરીને ઓટોરિક્ષા અને ટેક્‍સીચાલકો માટે ‘આંખની તપાસ શિબિર’નું આયોજન કરવામાં આવ્‍યું હતું.
વાહન વ્‍યવહાર સચિવ શ્રી નિખિલ દેસાઈના માર્ગદર્શન હેઠળ મોટર વાહન નિરીક્ષક શ્રી બિપીન પવારે આ અભિયાનનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. શિબિરમાં મેડીકલ વિભાગ અને દમણના તબીબો તથા અન્‍ય તબીબી સહાયકોએ રીક્ષા અને ટેક્‍સીચાલકો તથા અન્‍ય વાહનોના ચાલકોની પણ આંખોની બારીકાઈથી તપાસ કરી હતી. આ પ્રસંગે લોકોને સંબોધતા વાહનવ્‍યવહાર વિભાગના નિરીક્ષક શ્રી બિપિન પવારે જણાવ્‍યું હતું કે, ભારત સરકારની સૂચના મુજબ સંઘપ્રદેશ પરિવહન વિભાગ 15 જાન્‍યુઆરીથી 14 ફેબ્રુઆરી, 2024 દરમિયાન ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનો’ ઉજવી રહ્યું છે. વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમોમાં ઉત્‍સાહભેર ભાગ લેવાતેમણે લોકોને અપીલ કરી હતી. તેમણે નેત્ર ચિકિત્‍સા શિબિરમાં ભાગ લેનાર લોકોને જણાવ્‍યું હતું કે જેમને ચશ્‍માની જરૂર છે તેમને પણ ચશ્‍મા આપવામાં આવશે.
અંતે આભારવિધિ સાથે શિબિરનું સમાપન કરવામાં આવ્‍યું હતું.

Related posts

દમણ ભેંસલોર કોળીવાડ ખાતે દુણેઠા પંચાયત દ્વારા દિવસની ચૌપાલ યોજાઈ

vartmanpravah

દાનહમાં પ્રજાસત્તાક અને નિર્માણ દિવસની ઉજવણીના ઉપલક્ષમાં પરેડની પૂર્વ તૈયારી

vartmanpravah

ચીખલીમાં સ્‍વામિનારાયણ સંપ્રદાય દ્વારા તિથલ મંદિરના રજત જયંતિ મહોત્‍સવ નિમિત્તે અક્ષર પુરુષોત્તમ વધામણાની યોજાયેલ નગરયાત્રા

vartmanpravah

દમણની વધુ ત્રણ પંચાયતોએ વીજળી વિભાગ/નિગમના ખાનગીકરણને રોકવાના અભિયાનમાં આપેલો ટેકો

vartmanpravah

મંગળવારે પાલઘરમાં ગુડ્‍ઝ ટ્રેન પાટા ઉપરથી ઉતરી જવાના કારણે બુધવારે પણ રેલ વ્‍યવહાર ઉપર પડેલી અસર

vartmanpravah

નવસારી જિલ્લાના વીસીઈ કર્મચારીઓની પડતર માંગણીઓનું નિરાકરણ ન આવતા ડીડીઓને આવેદનપત્ર પાઠવી હડતાલનું રણશિંગ ફૂંક્‍યું

vartmanpravah

Leave a Comment