October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લવાછા રામેશ્વર મહાદેવ મંદિરના રખ રખાવ-સાર સંભાળમાં ટ્રસ્‍ટીઓની નિષ્‍ફળતા સામે ગ્રામજનોએ બાંયો ચઢાવી

એકાદ ટ્રસ્‍ટીને બાદ કરતા લોકો એ પણ જાણતા નથી કે ટ્રસ્‍ટીઓ કોણ કોણ છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વાપી નજીક લવાછા ગામમાં આવેલ પૌરાણિક રામેશ્વર મહાદેવ મંદિરના રાખ રખાવ, સાર સંભાળ રાખવા તેમજ વિકાસ નહી કરવા બદલ લવાછાના ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો હતો. મંદિર પરિસરમાં સેંકડો ગ્રામજનો એકત્ર થઈને હલ્લાબોલ કરી ટ્રસ્‍ટીઓ સામે મોરચો ખોલી નાખ્‍યો હતો.
લવાછા રામેશ્વર મંદિર સમગ્ર પંથકમાં આસ્‍થાનું કેન્‍દ્ર રહ્યું છે. હોળી ઉપર અહીં મોટો મેળો ભરાય છે. દુર દુરથી દરરોજ શ્રધ્‍ધાળુઓ દર્શન માટે આવી રહ્યા છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી મંદિરનો પર્યાપ્ત વિકાસ અને રખ રખાવ ટ્રસ્‍ટીઓ દ્વારા નહી કરવામાંઆવતા રવિવારે મંદિર પરિસરમાં સેંકડો ગ્રામજનો એકઠા થઈને મંદિર મામલે હોબાળો મચાવી દીધો હતો. એકત્ર થયેલા લોકોએ ટ્રસ્‍ટીઓની રાહ જોઈ પણ એક પણ ટ્રસ્‍ટી મંદિરે ફરક્‍યો નહોતો. ગ્રામજનોએ ટ્રસ્‍ટીને ફોન કર્યો તો ઉડાઉ જવાબ આપેલો જેથી ગ્રામજનો રોષે ભરાયા હતા. લોકોમાં મંદિર માટે જન આક્રોશ એટલે ફેલાયેલો છે કે ટ્રસ્‍ટીઓ તરફથી બરાબર સાર સંભાળ લેવાતી નથી. ગંદકીમાં પરિસર સબડી રહ્યું છે. અહીં આવેલી ધર્મશાળા અગમ્‍ય કારણોસર ટ્રસ્‍ટીએ તોડી નાખી છે તેથી લગ્ન કે મરણ પ્રસંગે અહીં આવતા શ્રધ્‍ધાળુઓ આવતા બંધ થઈ ગયા છે. લોકોએ ત્‍યાં સુધી જણાવ્‍યું હતું કે, મંદિરમાં કોણ કોણ ટ્રસ્‍ટી છે તે પણ અમે જાણતા નથી. મંદિરની લાખોની આવક હતી પણ દર્શનાર્થીઓ સગવડના અભાવે આવતા બંધ થઈ ગયા છે તેથી ટ્રસ્‍ટીઓ મંદિરનો વિકાસ નહી પણ રકાસ કરી રહ્યા હોવાનો ગુસ્‍સો ગ્રામજનોમાં મિટિંગમાં જોવા મળ્‍યો હતો.

Related posts

વાપીના વિવિધ વિકાસ કામોને વધુ વેગથી પુરા કરવા પાલિકાની ટીમ ગાંધીનગર પહોંચી

vartmanpravah

દાદરા નગર હવેલીના જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભા અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીદામજીભાઈ કુરાડાએ સામરવરણી-ખાનવેલ તરફ જતા ખખડધજ અને દયનીય અતિ બિસ્‍માર રસ્‍તાનું નિરીક્ષણ કર્યું

vartmanpravah

નલ સે જલ યોજનાનું કરોડોનું લોકાર્પણ એક બાજુ પાણી માટે વલખાં ચીખલીના ફડવેલ ગામે 15થી વધુ પાણીની ટાંકી વર્ષોથી જર્જરિતઃ પ્રજા માટે આશીર્વાદ ‘રૂપ નલ સે જલ યોજના’નું પાણી નહીં મળતા લોકોને ભરઉનાળે પાણી માટે વલખાં મારવાની નોબત

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા કરાયેલા લોક કલ્‍યાણના અનેક કામોથી દાનહ લોકસભા બેઠક ઉપર ઝડપથી બદલાઈ રહેલા સમીકરણોઃ ભાજપ માટે એડવાન્‍ટેજનું વાતાવરણ

vartmanpravah

ભાજપ ઓબીસી મોર્ચાના આસામ રાજ્‍યના પ્રભારી વિશાલભાઈ ટંડેલે વિવિધ બેઠકોનું કરેલું નેતૃત્‍વ

vartmanpravah

2024ની લોકસભા ચૂંટણીમાં દાનહમાં કમળ સોળે કળાએ2024ની લોકસભા ચૂંટણીમાં દાનહમાં કમળ સોળે કળાએ ખિલશેઃ સેલવાસ ન.પા. અધ્‍યક્ષ રજની શેટ્ટી ખિલશેઃ સેલવાસ ન.પા. અધ્‍યક્ષ રજની શેટ્ટી

vartmanpravah

Leave a Comment