August 31, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ કલા કેન્‍દ્રમાં જેઈઆરસી દ્વારા થયેલી લોક સુનાવણી

દાનહના લોકોએ વીજળી અંગેની વિવિધ સમસ્‍યા મુદ્દે કરેલી રજૂઆતઃ લોકો માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓની રહેલી સૂચક ગેરહાજરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : દાદરા નગર હવેલી અને દમણ દીવમાં વીજ વિભાગના ખાનગીકરણ બાદ સ્‍થાનિક વીજગ્રાહકો વિવિધ ફરિયાદો ઉઠાવી રહ્યા છે, જેના કારણે જોઈન્‍ટ ઈલેક્‍ટ્રિસિટી રેગ્‍યુરેટરી કમિશન(જેઈઆરસી) દ્વારા જાહેર સુનાવણીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સેલવાસના કલા કેન્‍દ્ર ખાતે આયોજીત જાહેર લોક સુનાવણીમાં દાદરા નગર હવેલીના વીજ ગ્રાહકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. લોકોએ વીજ પુરવઠો પુરો પાડતા ટોરેન્‍ટ પાવરના વહીવટ બાબતે અને તેમને પડતી વિજળી બાબતની વિવિધ મુશ્‍કેલીઓની રજૂઆતો કરી હતી. ખાસ કરીને લોકોએ સરકાર દ્વારા વીજ વિભાગના કરાયેલા ખાનગીકરણનો જોરદારવિરોધ નોંધાવ્‍યો હતો.
સંઘપ્રદેશ પ્રશાસન હસ્‍તકના ડીએનએચ પીડીસીએલ વિભાગને ટોરેન્‍ટ પાવરના હાથમાં સોંપી દીધા બાદથી વધુ પડતા આવતા વીજળીના બિલ, વારેઘડીએ ખોટકાતો વીજ પ્રવાહ તથા વીજલાઈનની સારસંભાળ વગેરે જેવી સમસ્‍યાને લઈને લોકોએ જન સુનાવણીમાં ફરિયાદો કરી હતી. અરજકર્તાઓએ જણાવ્‍યું હતું કે, કેટલીક સમસ્‍યા બાબતની ફરિયાદો ઉપર ઝડપથી કાર્યવાહી પણ ન કરાતી હોવાનું અને ટોરેન્‍ટ પાવરના અધિકારીઓ અને કર્મચારીઓ વીજ ગ્રાહકોની ફરિયાદ સાંભળતા નહીં હોવાની પણ રજૂઆતો જેઈઆરસીના અધિકારીઓ સામે કરી હતી.
સેલવાસ ખાતે યોજાયેલી જાહેર લોક સુનાવણીમાં દાનહના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ હાજર નહીં રહેતા લોકોમાં રોષ ફેલાયો હતો. ફક્‍ત સામાન્‍જ ગ્રાહકો અને ઉદ્યોગપતિઓ સહિત કેટલાક અગ્રણીઓની ઉપસ્‍થિતિમાં જન સુનાવણી સમાપ્ત થઈ હતી.

Related posts

દાનહમાં અનંત ચૌદશના દિને ધામધૂમથી અને ભીની આંખે બાપ્‍પાને આપવામાં આવી વિદાય

vartmanpravah

25 જૂન, 1975માં કોંગ્રેસ સરકાર દ્વારા સમગ્ર દેશમાં લાદવામાં આવેલી કટોકટીને વખોડવા દમણ ભાજપે કાઢેલી વિરોધ રેલી

vartmanpravah

ચીખલીના કુકેરી ગામે ત્રણ દિવસ પૂર્વે થયેલા અકસ્માતમાં સ્થાનિક યુવાનોએ આસપાસના સીસીટીવીના ફૂટેજથી અકસ્માત કરનાર પીકઅપ ચાલકને શોધી કાઢ્યો

vartmanpravah

વાપી જકાતનાકા નજીક બલીઠા સર્વિસ રોડ ઉપર બે કાર વચ્‍ચે અકસ્‍માત સર્જાયો

vartmanpravah

ચીખલી સહિત જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના ત્રિપલ-સી પ્રમાણપત્રના પ્રકરણમાં ભવિષ્‍યની અસર સાથે એક ઇજાફો અટકાવવાનો હુકમ કરવામાં આવતા શિક્ષકોમાં ફેલાયેલો રોષ

vartmanpravah

દાનહ યુવક કોંગ્રેસના અધ્‍યક્ષ બનતા યુવરાજ ધોડીઃ ટૂંક સમયમાં થનારૂં કારોબારીનું ગઠન : દાનહમાં કોંગ્રેસે મક્કમતાથી પોતાનો જનાધાર વધારવા શરૂ કરેલા પ્રયાસો

vartmanpravah

Leave a Comment