October 15, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસના આમલી ઇન્‍ડસ્‍ટ્રીઝ વિસ્‍તારમાં ઘન કચરાના ખડકલામાં આગ લાગતા મચેલી દોડધામ

વિસ્‍તારના રહીશો તથા ધંધાર્થીઓદ્વારા આડેધડ ફેંકાતા કચરાના ખડકાયેલા ડુંગરઃ આવા વિસ્‍તારોમાં ‘સ્‍વચ્‍છતા અભિયાન’ની આવશ્‍યકતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.08 : સેલવાસના આમલી વિસ્‍તારમાં આવેલ ઇન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારમાં ઘન કચરાના ખડકલામાં અચાનક આગ લાગતા લોકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર શ્રી ક્રિષ્‍ના ઇન્‍ડસ્‍ટ્રીયલ એરિયા 66 કેવી આમલી-સેલવાસમાં આજુબાજુના ગાળાવાળાઓએ પુઠા સહિતનો ઘન કચરો ગમે તેમ વેરવિખેર હાલતમાં ફેંકી દીધેલ હોય જેમાં અચાનક કોઈક કારણોસર આગ લાગતા વિસ્‍તારમાં રહેતા લોકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. અચાનક ફાટળી નિકળેલી આગના કારણે આજુબાજુના ગાળામાં પણ આગ પકડી લીધી હતી.
ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા તાત્‍કાલિક તેમની ટીમ ધસી આવી હતી અને સતત એક કલાક સુધી પાણીનો મારો ચલાવ્‍યો હતો, અંતે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવા ફાયર ફાઈટરોને સફળતા મળી હતી.
અત્રે નોંધનીય છે કે, ક્રિષ્‍ના ઇન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તાર તથા આજુબાજુના વિસ્‍તારમાં ઘન કચરાના ડુંગરો ખડકાયેલ છે. ઉપરાંત આ વિસ્‍તારમાં મોટાભાગે પરપ્રાંતિય લોકો લોકો વસવાટ કરી રહ્યા છે. જેઓ તેમનો ઘરનો કચરો પણ ગમે તેમ ખુલ્લામાં ફેંકી દેતા હોય છે. ખડકાયેલા ઘન કચરાના કારણે ફાયર વિભાગનાજવાનોને આગ ઓલવવા માટે અંદર જવામાં ભારે તકલીફનો સામનો કરવા પડયો હતો. સદ્‌નશીબે આગની ઘટનામાં કોઈને પણ ઇજા કે જાનહાનીની ઘટના બનવા પામેલ નથી.

Related posts

રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અને દીલ્‍હીમાં સર્જાયેલ ગોઝારા આગની ઘટનાને પગલે સંઘપ્રદેશ પ્રશાસન જાગ્‍યું દાદરા નગર હવેલી જિલ્લા કલેક્‍ટરે ફાયર સેફટીને લઈને જાહેરનામુ બહાર પાડયું

vartmanpravah

રેલવેના રૂા.4.97 કરોડ બાકી ખેંચાતા વાપી નોટિફાઈડે રેલવેનું પાણી જોડાણ કાપ્‍યું

vartmanpravah

દમણ-દીવ સહિત સમગ્ર ગુજરાતમાં ઓગસ્‍ટ-2022 સુધી દરિયામાં યાંત્રિક બોટો દ્વારા થતી મચ્‍છીમારી ઉપર પ્રતિબંધ

vartmanpravah

સરકારી કચેરી પરિસર અને તેની ૨૦૦ મીટર ત્રિજ્‍યા વિસ્‍તારમાં ધરણાં-ઉપવાસ કરવા પર પ્રતિબંધ

vartmanpravah

કપરાડામાં આદિવાસી અમૃત કુંભ મહોત્‍સવ રથ યાત્રાનું આગમન, રૂ.16.67 કરોડના 603 વિકાસ કામોનું ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયુ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દમણ પોલીસે ‘નશામુક્‍ત પખવાડા’ની કરેલી ઉજવણીઃ શાળાના વિદ્યાર્થીઓ માટે નિબંધ, ચિત્રકળા સ્‍પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment