Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસના આમલી ઇન્‍ડસ્‍ટ્રીઝ વિસ્‍તારમાં ઘન કચરાના ખડકલામાં આગ લાગતા મચેલી દોડધામ

વિસ્‍તારના રહીશો તથા ધંધાર્થીઓદ્વારા આડેધડ ફેંકાતા કચરાના ખડકાયેલા ડુંગરઃ આવા વિસ્‍તારોમાં ‘સ્‍વચ્‍છતા અભિયાન’ની આવશ્‍યકતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.08 : સેલવાસના આમલી વિસ્‍તારમાં આવેલ ઇન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારમાં ઘન કચરાના ખડકલામાં અચાનક આગ લાગતા લોકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર શ્રી ક્રિષ્‍ના ઇન્‍ડસ્‍ટ્રીયલ એરિયા 66 કેવી આમલી-સેલવાસમાં આજુબાજુના ગાળાવાળાઓએ પુઠા સહિતનો ઘન કચરો ગમે તેમ વેરવિખેર હાલતમાં ફેંકી દીધેલ હોય જેમાં અચાનક કોઈક કારણોસર આગ લાગતા વિસ્‍તારમાં રહેતા લોકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. અચાનક ફાટળી નિકળેલી આગના કારણે આજુબાજુના ગાળામાં પણ આગ પકડી લીધી હતી.
ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા તાત્‍કાલિક તેમની ટીમ ધસી આવી હતી અને સતત એક કલાક સુધી પાણીનો મારો ચલાવ્‍યો હતો, અંતે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવા ફાયર ફાઈટરોને સફળતા મળી હતી.
અત્રે નોંધનીય છે કે, ક્રિષ્‍ના ઇન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તાર તથા આજુબાજુના વિસ્‍તારમાં ઘન કચરાના ડુંગરો ખડકાયેલ છે. ઉપરાંત આ વિસ્‍તારમાં મોટાભાગે પરપ્રાંતિય લોકો લોકો વસવાટ કરી રહ્યા છે. જેઓ તેમનો ઘરનો કચરો પણ ગમે તેમ ખુલ્લામાં ફેંકી દેતા હોય છે. ખડકાયેલા ઘન કચરાના કારણે ફાયર વિભાગનાજવાનોને આગ ઓલવવા માટે અંદર જવામાં ભારે તકલીફનો સામનો કરવા પડયો હતો. સદ્‌નશીબે આગની ઘટનામાં કોઈને પણ ઇજા કે જાનહાનીની ઘટના બનવા પામેલ નથી.

Related posts

સંઘપ્રદેશ પ્રશાસન અને સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશનના સહયોગથી નાની દમણ સાંઈ બાબા મંદિર પાસે આયુષ્‍યમાન કાર્ડના રિન્‍યુઅલ અને નવા કાર્ડ બનાવવા માટેની યોજાયેલી શિબિર

vartmanpravah

સિંહ અને સિંહણના આગમન સાથે દાનહના વાસોણા લાયન સફારીને પ્રવાસીઓ માટે પુનઃ વિધિવત્‌ રીતે ખુલ્લુ મુકાયું

vartmanpravah

દાનહ-દમણ-દીવ ભાજપના માસ્‍ટર પ્‍લાનનો આરંભઃ 21મી જાન્‍યુ. સુધી ‘ડોર ટુ ડોર’ મહા જનસંપર્ક અભિયાન

vartmanpravah

વાપી દેવજ્ઞ સમાજ આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં વાપીની ટીમ ચેમ્‍પિયન

vartmanpravah

સીબીએસઈ બોર્ડના જાહેર થયેલા પરિણામમાં દમણમાં ટોપર બનેલ કોસ્‍ટગાર્ડ પબ્‍લિક સ્‍કૂલની વિદ્યાર્થીની કુ. પર્લ રાઠોડના પરિવારની અસ્‍પી દમણિયાની ટીમે લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

ચૂંટણી પંચના દિશા-નિર્દેશ મુજબ દાનહના કલેક્‍ટર તરીકે ડો. રાકેશ મિન્‍હાસઃ દમણના કલેક્‍ટરનો વધારાનો હવાલો નાણાં સચિવ ગૌરવસિંહ રાજાવતના શિરે

vartmanpravah

Leave a Comment