October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

‘Change Before Climate Change’ના સંદેશ સાથે પુરા ભારતની સાયકલ ઉપર પરિક્રમા કરવા નિકળેલા જયંત મહાજનનું દમણ ખાતે આગમન

જયંત મહાજને પોતાની યાત્રાની શરૂઆત ભારત-પાકિસ્‍તાન સીમા ઉપર સ્‍થિત અને ઝીરો પોઈન્‍ટ તરીકે ઓળખાતા ગુજરાતના નાડા બેટથી કરી હતીઃ એક વર્ષમાં લગભગ 21 હજાર કિ.મી.ની યાત્રા કરવાના લક્ષ્યાંક સાથે અત્‍યાર સુધી પૂર્ણ કરેલ 1200 કિ.મી.ની યાત્રા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13 : ‘Change Before Climate Change’ એટલે કે ‘પર્યાવરણ બદલાય તે પહેલાં આપણે પોતાને બદલીએ’ના સંદેશ સાથે સમગ્ર ભારતની સાયકલ ઉપર પરિક્રમા કરવા નિકળેલ શ્રી જયંત મહાજનનું આજે દમણના સાયકલીસ્‍ટ શ્રી જયેશભાઈ જોષીની પહેલથી દમણની સાર્વજનિક વિદ્યાલયમાં અભિવાદનનો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. જેમાં શ્રી જયંત મહાજને વિદ્યાર્થીઓને પર્યાવરણને કેવું રીતે બચાવવું અને તેની સાથે સામંજ્‍ય રાખી કેવી રીતે વિકાસ કરવો તે બાબતે પોતાના વિચારો પ્રગટ કર્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા-વિચારણાં કરી તેમને પર્યાવરણ સંરક્ષણ માટે પ્રેરિત કર્યા હતા.
આ કાર્યક્રમમાં સાર્વજનિક વિદ્યાલય મેનેજમેન્‍ટના સચિવ શ્રી રૂદ્રેશ ટંડેલ અને વિદ્યાલયના પ્રિન્‍સિપાલ શ્રી દિપકભાઈ મિષાીએ સંપૂર્ણ સહયોગ આપ્‍યો હતો.
શ્રી જયંત મહાજને પોતાનીયાત્રાની શરૂઆત ભારત-પાકિસ્‍તાન સીમા ઉપર સ્‍થિત અને ઝીરો પોઈન્‍ટ તરીકે ઓળખાતા ગુજરાતના નાડા બેટથી કરી હતી. તેઓએ ત્‍યાંથી જામનગર, સોમનાથ, દીવ, ભાવનગર અને હજીરા થઈ 12મી ફેબ્રુઆરીએ દમણ પહોંચ્‍યા હતા. શ્રી જયંત મહાજન પોતાની આગળની યાત્રા હવે દમણથી મુંબઈ, પૂણે થઈ દરેક તટવર્તી રાજ્‍યોથી પસાર કરશે અને આવતા વર્ષે તેમણે જ્‍યાંથી યાત્રા શરૂ કરી હતી તે નાડા બેટ પહોંચશે. એક વર્ષમાં તેઓ લગભગ કુલ 21,000 કિલોમીટરની યાત્રા કરશે. અત્‍યાર સુધી તેમણે 1200 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી છે. સાયકલીસ્‍ટ શ્રી જયેશ જોષીએ દમણના તમામ સાયકલીસ્‍ટ મિત્રો તરફથી શ્રી જયંત મહાજનને તેમની આગળની યાત્રા માટે શુભકામના પાઠવી હતી.

Related posts

ધરમપુરમાં તમાકુ નિયંત્રણ સેલ દ્વારા દુકાનોમાં આકસ્‍મિક ચેકિંગ, 26 દદકાનદારો સામે દંડનીય કાર્યવાહી

vartmanpravah

ધરમપુર: બીલપુડી ગામની આદિવાસી દીકરી સ્‍મિતાએ બી.એસ એફ.માં પોસ્‍ટિંગ મેળવી ગામનું ગૌરવ વધાર્યું

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી

vartmanpravah

વાપી નગરપાલિકાએ મહિલાઓની જાગૃતિ માટે વલસાડ સખી વન સ્‍ટોપ સેન્‍ટરના સહયોગથી કાર્યક્રમ યોજી માર્ગદર્શન આપ્‍યું

vartmanpravah

30મી એપ્રલના શનિવારે દાનહના નરોલી પીએચસી ખાતે દિવ્‍યાંગો માટે શિબિરનું આયોજન કરાશે

vartmanpravah

વેચાણ-ધંધાનું લાયસન્‍સ રિન્‍યુ નહીં કરાતા દાદરા નગર હવેલી સિવિલ સપ્‍લાય વિભાગે સાયલી ગામનો માલીબા પેટ્રોલ પંપ સીલ કર્યો: 30 દિવસના અંતરાયમાં ત્રીજો પેટ્રોલ પંપ સીલ કરવાની ઘટના

vartmanpravah

Leave a Comment