(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.06 : આવતી કાલે દમણ અને દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલ દલવાડાના શ્રી બાસુકીનાથ મંદિરના દર્શન કરી પોતાના ચૂંટણી પ્રચારનો આરંભ કરશે.
સવારે 9:00 વાગ્યે દમણ-દીવના ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ શ્રી લાલુભાઈ પટેલ દલવાડાના સુપ્રસિદ્ધ બાસુકીનાથ મંદિરના આશીર્વાદ લઈ વિધિવત્ પોતાના પ્રચારના શ્રીગણેશ કરવાના હોવાની જાણકારી જિલ્લા ભાજપ દ્વારા આપવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે, દમણ-દીવ ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ શ્રી લાલુભાઈ પટેલ સ્વયં ભોળાનાથ ભગવાન શિવશંકરના ભક્ત છે અને ભગવાન ભોળાનાથનીકૃપા પણ તેમની સાથે રહી છે અને 2009થી અત્યાર સુધી સમગ્ર દલવાડા ગામ તથા મરવડ પંચાયત શ્રી લાલુભાઈ પટેલની પડખે રહી છે ત્યારે આવતી કાલે ભાજપના આગેવાન કાર્યકરો સાથે બાસુકીનાથ મંદિરના દર્શન કરી પોતાના પ્રચાર અભિયાનની શરૂઆત કરશે.