Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવ

આજે દલવાડાના પ્રસિદ્ધ બાસુકીનાથ મહાદેવ મંદિરના દર્શન સાથે લાલુભાઈ પટેલ પોતાના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.06 : આવતી કાલે દમણ અને દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલ દલવાડાના શ્રી બાસુકીનાથ મંદિરના દર્શન કરી પોતાના ચૂંટણી પ્રચારનો આરંભ કરશે.
સવારે 9:00 વાગ્‍યે દમણ-દીવના ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ શ્રી લાલુભાઈ પટેલ દલવાડાના સુપ્રસિદ્ધ બાસુકીનાથ મંદિરના આશીર્વાદ લઈ વિધિવત્‌ પોતાના પ્રચારના શ્રીગણેશ કરવાના હોવાની જાણકારી જિલ્લા ભાજપ દ્વારા આપવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે, દમણ-દીવ ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ શ્રી લાલુભાઈ પટેલ સ્‍વયં ભોળાનાથ ભગવાન શિવશંકરના ભક્‍ત છે અને ભગવાન ભોળાનાથનીકૃપા પણ તેમની સાથે રહી છે અને 2009થી અત્‍યાર સુધી સમગ્ર દલવાડા ગામ તથા મરવડ પંચાયત શ્રી લાલુભાઈ પટેલની પડખે રહી છે ત્‍યારે આવતી કાલે ભાજપના આગેવાન કાર્યકરો સાથે બાસુકીનાથ મંદિરના દર્શન કરી પોતાના પ્રચાર અભિયાનની શરૂઆત કરશે.

Related posts

વાપી જીઆઈડીસીની કંપનીઓમાં તસ્‍કર ગેંગનો ચોરી કરવાનો પ્રયાસ : ઘટના સીસીટીવીમાં કેદ

vartmanpravah

બગવાડા ટોનાકાથી 33 લાખથી વધુના મુદ્દામાલ સહિત દારૂ ભરેલ કન્‍ટેઈનર ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

વાપી ઈબ્રાહિમ માર્કેટમાં ચાર દુકાનોમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો : પોલીસે આરોપીને મોરાઈ રેલવે ફાટકથી ઝડપ્‍યો

vartmanpravah

સરીગામ નોટીફાઈડ બોર્ડ ઓફ મેનેજમેન્‍ટના ચેરમેન તરીકેની જવાબદારી કૌશિક પટેલના શિરે

vartmanpravah

વલસાડ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર ધવલ પટેલનું વલસાડ જિલ્લા મધ્‍યસ્‍થ ચૂંટણી કાર્યાલયમાં ભવ્‍ય સ્‍વાગત કરાયું

vartmanpravah

એ.બી.વી.પી. દ્વારા વલસાડ કોલેજ કેમ્‍પસમાં યોજાયેલ ફ્રેસર પાર્ટીમાં હજારો વિદ્યાર્થીઓ એકઠા થયા

vartmanpravah

Leave a Comment