Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસ

જૂની પેન્‍શન યોજના સહિતનાં પડતર પ્રશ્નોનાં સંતોષકારક ઉકેલનાં આવેદનપત્ર સાથે રાજયભરનાં સરકારી કર્મચારીઓ ગાંધીનગર ઉમટયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ઓલપાડ,તા.15 : ગુજરાત રાજ્‍ય સંયુક્‍ત કર્મચારી મોરચા દ્વારા છેલ્લાં કેટલાંક સમયથી જૂની પેન્‍શન યોજના સહિતનાં પડતર પ્રશ્નો બાબતે આંદોલન કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતાં આજરોજ 15 માર્ચે રાજ્‍યનાં સેંકડો કર્મચારીઓને નવા સચિવાલય ખાતે સીધા મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલને વ્‍યક્‍તિગત આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ હતો. મોરચા દ્વારા આ માટે આવેદનપત્રની નકલ પણ જારી કરવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે ગુજરાત સરકાર દ્વારા એપ્રિલ 2005થી નેશનલ પેન્‍શન સ્‍કીમ લાગુ કરવામાં આવેલ છે. તેમાં પહેલાંની જેમ આજીવન મળતું પેન્‍શન બંધ કરાયું છે અને નવી સ્‍કીમમાં જે રકમ મળે છે તે અનિશ્વિત અને ઓછી મળતી હોઈ નિવૃત્તિ પછી જીવનનિર્વાહ મુશ્‍કેલ બને છે. આ સાથે સરકારમાં હાલ જ્ઞાન સહાયક, ફિક્‍સ પગાર, કરાર અધારિત ફિક્‍સ પે વગેરે મૂળ અસરથી નાબૂદ કરીને પૂરા પગારથી ભરતી કરવાની મુખ્‍ય માંગ છે જેનો ઉકેલ પણ હજી બાકી છે.
ગુજરાત રાજ્‍ય સંયુક્‍ત કર્મચારી મોરચાનાં પ્રમુખ દિગ્‍વિજયસિંહ જાડેજા અને કર્મચારી મહામંડળનાં મહામંત્રી ભરત ચૌધરી દ્વારા તમામસરકારી કર્મચારી મંડળોને નવા કાર્યક્રમ અંગે જાણકારી આપવામાં આવી હતી કે 14 માર્ચનો રામધૂનનો કાર્યક્રમ સ્‍થગિત રખાયો છે અને હવે 15 માર્ચે રાજ્‍યનાં તમામ કર્મચારીઓ મુખ્‍યમંત્રીને જૂની પેન્‍શન યોજના પુનઃ કરવા અને ફિક્‍સ પગારની યોજના મૂળ અસરથી નાબુદ કરવા નવા સચિવાલય, ગાંધીનગર ખાતે આવીને વ્‍યક્‍તિગત આવેદનપત્ર આપવા જશે. જેનાં પગલે આજરોજ રાજ્‍યભરમાંથી હજારોની સંખ્‍યામાં સરકારી કર્મચારીઓ બેનર અને પ્‍લે કાર્ડ સાથે ગાંધીનગર ખાતે ઉમટી પડયા હતાં. ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત વચ્‍ચે કર્મચારીઓએ ભારે સૂત્રોચ્‍ચાર કરી સરકાર સમક્ષ પોતાનો રોષ વ્‍યક્‍ત કર્યો હતો.
નવા સચિવાલય ખાતે ઉપસ્‍થિત સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે આક્રોશ વ્‍યક્‍ત કર્યો હતો કે સપ્‍ટેમ્‍બર 2022માં વિધાનસભાની ચૂંટણી પૂર્વે સમાધાન માટે પાંચ મંત્રીઓની સમિતિ સાથે કર્મચારી મંડળો અને પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વચન યાદ કરાવવા અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી તે ધ્‍યાને લેવામાં આવી નથી. આજનાં વ્‍યક્‍તિગત આવેદનપત્ર આપવાનાં કાર્યક્રમને તેમણે આખરી અલ્‍ટીમેટમ ગણાવી વિવિધ સંગઠનનાં હોદ્દેદારો સાથે ધરપકડ વહોરી હતી. આ લખાય છે ત્‍યાં સુધી સરકાર તરફથી કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવેલ નથી. લોકસભાની ચૂંટણીસામે છે તે પૂર્વે સરકાર હકારાત્‍મક દિશામાં નિર્ણય લેશે એવો આશાવાદ હાલ તો કર્મચારીઓ વ્‍યક્‍ત કરી રહ્યાં છે.

Related posts

વાપી રેલવે સ્‍ટેશન(પ.) ઉપર ટેક્ષી પાર્કિંગનો મુદ્દો ગરમાયોઃ સ્‍ટેશન માસ્‍ટરે નન્નો ભણ્‍યો: પાર્કિંગનો કોન્‍ટ્રાક્‍ટ અપાયો હોવાથી ટેક્ષી પાર્કિંગ અટકાવાયું હોવાનો ટેક્ષી ચાલકોનો આક્ષેપ

vartmanpravah

ટોરેન્‍ટ પાવર કંપનીના સહયોગથી સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ‘નિક્ષય-નિકુષ્‍ઠ મિત્રો’ દ્વારા ટી.બી. અને રક્‍તપિત્તના દર્દીઓને પૌષ્‍ટિક આહારનું કરાયેલું વિતરણ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ‘સંકલ્‍પ સપ્તાહ’ના શુભારંભ પ્રસંગે દરેકને મિશન મોડમાં કામ કરવા આપેલી સલાહઃ ઓક્‍ટો.-નવે.-2024માં ફરી ફિઝિકલી મળી કાર્યક્રમનો હિસાબ-કિતાબ લેવા આપેલું વચન

vartmanpravah

રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનો વલસાડ જિલ્લાનો બે દિવસીય પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

વલસાડ આરોગ્ય ખાતા દ્વારા ૧૦૮ સિટીઝન મોબાઈલ એપ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પ્રધાનમંત્રીએ લોકોને ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવી

vartmanpravah

Leave a Comment