April 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ ખેરડી પંચાયતમાં ગ્રામસભા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15 : દાદરા નગર હવેલીના ખેરડી પંચાયતમાં સરપંચ શ્રી યશવંતભાઈ ઘુટિયાના અધ્‍યક્ષસ્‍થાને દાદરા નગર હવેલી વિકાસ અને આયોજન અધિકારીના આદેશ અનુસાર ‘મનરેગા સામાજિક ઓડિટ’ની ગ્રામસભા યોજાઈ હતી. જેમા મનરેગા વિભાગના શ્રીમતી શર્મિષ્ઠા દેસાઈએ સામાજિક ઓડિટમાં થયેલ કામોની ચકાસણી કરી હતી અને જાણ્‍યું હતું કે, મનરેગા યોજનાનો લાભ લોકો સુધી યોજનાનો લાભ મળ્‍યો છે કે નહીં? ત્‍યારબાદ શ્રી દિવ્‍યેશ સાંબરએ મનરેગા યોજનામાંથી પીએમએવાયજી લાભાર્થીને આપવામાં આવેલ મજૂરીની યાદી વંચાણે લીધી હતી. ત્‍યારબાદ જિલ્લા પંચાયતના અધિકારીએ ગ્રામ સભામાં ઉપસ્‍થિત ગ્રામજનોને જણાવેલ કે મનરેગા યોજનામાં આપણે ઘણાં બધા કામો કરી શકીએ છીએ અને જે કામ કરી આપણે રોજગારી મેળવી શકીએ છીએ અને યોજનાનો લાભ લેવો જોઈએ.
આ અવસરે અધ્‍યક્ષસ્‍થાને ઉપસ્‍થિત સરપંચયશવંતભાઈ ઘુટિયાએ મનરેગા યોજનામાંથી પીએમએવાયજી લાભાર્થીને મજૂરીના નાણાં ચુકવાયા છે કે નહીં તેની પૂછપરછ કરી હતી. સામાજિક ઓડિટની ગ્રામસભામાં જિલ્લા પંચાયત અધિકારી શ્રી ક્રિષ્‍ણા ચૈતન્‍ય અને શ્રી રાકેશભાઈ મેહતા, મનરેગા યોજનાનો સ્‍ટાફ, પંચાયત સ્‍ટાફ, લાભાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહ કલેક્‍ટરની અધ્‍યક્ષતામાં ‘નશામુક્‍ત ભારત’ અભિયાન અંગે જિલ્લા સ્‍તરીય યોજાયેલી બેઠક

vartmanpravah

અધ્‍યક્ષ પવન અગ્રવાલ અને પૂર્વ અધ્‍યક્ષ આર.કે.કુંદનાનીના નેતૃત્‍વમાં દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસો.ના પ્રતિનિધિ મંડળે પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો NIFTના આરંભ માટે માનેલો આભાર

vartmanpravah

સેન્‍ટર ઓફ એક્‍સલન્‍સ ખાતે એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા ટેકનિકલ સેમિનાર યોજાયો

vartmanpravah

રાજ્‍ય સરકાર ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવથી ડાંગરની સીધી ખરીદી કરશે : ખરીદી કેન્‍દ્રો ખાતે તા.31મી ઓક્‍ટોબર સુધી રજીસ્‍ટ્રેશન કરાવી શકાશે : જિલ્લાના ગોડાઉનો ખાતે 17મી ઓક્‍ટોબરથી 31મી ડિસેમ્‍બર સુધી ખરીદી થશે

vartmanpravah

સંઘપ્રદેશ ભાજપના નવા પ્રભારી તરીકે દુષ્‍યંતભાઈ પટેલની નિયુક્‍તિઃ સંગઠનમાં નવી ગતિ-ઊર્જા આવવાની સંભાવના

vartmanpravah

સંદર્ભઃ દીવ ન.પા.માં પ્રમુખ પદની મહિલા આરક્ષિત સામાન્‍ય બેઠક ઉપર અનુ.જાતિની મહિલાની પસંદગી

vartmanpravah

Leave a Comment