January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ ખેરડી પંચાયતમાં ગ્રામસભા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15 : દાદરા નગર હવેલીના ખેરડી પંચાયતમાં સરપંચ શ્રી યશવંતભાઈ ઘુટિયાના અધ્‍યક્ષસ્‍થાને દાદરા નગર હવેલી વિકાસ અને આયોજન અધિકારીના આદેશ અનુસાર ‘મનરેગા સામાજિક ઓડિટ’ની ગ્રામસભા યોજાઈ હતી. જેમા મનરેગા વિભાગના શ્રીમતી શર્મિષ્ઠા દેસાઈએ સામાજિક ઓડિટમાં થયેલ કામોની ચકાસણી કરી હતી અને જાણ્‍યું હતું કે, મનરેગા યોજનાનો લાભ લોકો સુધી યોજનાનો લાભ મળ્‍યો છે કે નહીં? ત્‍યારબાદ શ્રી દિવ્‍યેશ સાંબરએ મનરેગા યોજનામાંથી પીએમએવાયજી લાભાર્થીને આપવામાં આવેલ મજૂરીની યાદી વંચાણે લીધી હતી. ત્‍યારબાદ જિલ્લા પંચાયતના અધિકારીએ ગ્રામ સભામાં ઉપસ્‍થિત ગ્રામજનોને જણાવેલ કે મનરેગા યોજનામાં આપણે ઘણાં બધા કામો કરી શકીએ છીએ અને જે કામ કરી આપણે રોજગારી મેળવી શકીએ છીએ અને યોજનાનો લાભ લેવો જોઈએ.
આ અવસરે અધ્‍યક્ષસ્‍થાને ઉપસ્‍થિત સરપંચયશવંતભાઈ ઘુટિયાએ મનરેગા યોજનામાંથી પીએમએવાયજી લાભાર્થીને મજૂરીના નાણાં ચુકવાયા છે કે નહીં તેની પૂછપરછ કરી હતી. સામાજિક ઓડિટની ગ્રામસભામાં જિલ્લા પંચાયત અધિકારી શ્રી ક્રિષ્‍ણા ચૈતન્‍ય અને શ્રી રાકેશભાઈ મેહતા, મનરેગા યોજનાનો સ્‍ટાફ, પંચાયત સ્‍ટાફ, લાભાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ખેરગામમાં 76 માં સ્‍વાતંત્ર દિવસની અનોખી ઉજવણી : 75 વડીલોની વંદના કરી : વર્ષગાંઠ નિમિત્તે અમૃત સરોવરની પાળે વૃક્ષારોપણના શપથ લેવડાવાયાં

vartmanpravah

દાનહમાં જરૂરિયાતમંદ અને સાચા લાભાર્થીઓને નથી પહોંપ્‍યો ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’નો લાભ

vartmanpravah

સેલવાસ પ્રશાસન દ્વારા ટ્રાન્‍સપોર્ટનગરના નિર્માણ માટે બાધારૂપ 3 ઝૂંપડાઓનું કરાયું ડિમોલીશન: ત્રણ પરિવારો ઘરવિહોણાં બન્‍યા

vartmanpravah

વાપી કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજના વિદ્યાર્થીઓ રમતમાં ઝળકયા

vartmanpravah

મોદી સરકારના દિશા-નિર્દેશ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ વહીવટમાં દાનહમાં ‘રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન’ દ્વારા આપવામાં આવેલા જંગી ભંડોળથી મહિલા સમાજમાં સર્જાયેલો આનંદ અને ઉત્‍સાહનો માહોલ

vartmanpravah

દમણની સબ જેલમાં રક્ષાબંધન પર્વની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment