Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

દાનહઃ પ્રયોશા પ્રતિષ્ઠાન દ્વારા ધોરણ-10 બાદ પછી શું? સંદર્ભે માર્ગદર્શન સેમિનાર યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : દાદરા નગર હવેલી અને દમણના વિદ્યાર્થીઓ માટે પ્રયોશા પ્રતિષ્ઠાન દ્વારા ધોરણ-10 પછી શું? વિજ્ઞાન પ્રવાહ જ શા માટે?, આઈઆઈટી, આઈઆઈઆઈટી, આઈઆઈએમ તેમજ એમબીબીએસ જેવા ઉચ્‍ચ અભ્‍યાસક્રમમાં પ્રવેશ કેવી રીતે મળવી શકાય? ઉપરાંત વિનામૂલ્‍યે જેઈઈ અને નીટની તૈયારી કેવી રીતે કરવી? જેના સંદર્ભમાં ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા રખોલીમાં આગામી 06 એપ્રિલ, 2024ના શનિવારેસવારે 10:00 વાગ્‍યાથી આઈઆઈટી દીલ્‍હીના શ્રી અવિરાજ એસ.ચૌધરી અને જેઈઈ-નીટ જ્ઞાન મંજરી ભાવનગરના તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવશે.
વિજ્ઞાન પ્રવાહ ગુજરાતી માધ્‍યમ માટે ઉચ્‍ચ કારકિર્દીની તીવ્ર ઈચ્‍છા રાખનાર હોંશિયાર વિદ્યાર્થીઓ માટે આ સેમિનાર લાભરૂપ છે. તેથી મોટી સંખ્‍યામાં આ સેમિનારનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓને પ્રયોશા સંસ્‍થાન દ્વારા આમંત્રિત કરવામાં આવ્‍યા છે.

Related posts

સેલવાસ પોલીસે હત્‍યાનો પ્રયાસ અને લૂંટના પાંચ આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

ભીમપોર પટેલ ફળિયા સ્‍થિત જલારામ મંદિરમાં 36મી શ્રી જલારામ જયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

દિપાવલીના પાવન પર્વ પર નિરાધાર પરિવારોને માઁ વિશ્વંભરી ધામ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા અનાજ કીટ વિતરણ કાર્યક્રમ

vartmanpravah

દાનહમાં છેવાડેના ગામોના સેંકડો આદિવાસી યુવાનો-બહેનોએ વિધિવત કરેલો ભાજપમાં પ્રવેશ

vartmanpravah

ચીખલીના સાદકપોર બાદ હવે પીપલગભાણમાં પણ ધોળા દિવસે દીપડો લટાર મારતા નજરે પડતાં લોકોમાં ફફડાટ

vartmanpravah

દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા ‘રન ફોર યુનિટી’ અંતર્ગત એકતા દોડ યોજાઈ

vartmanpravah

Leave a Comment