July 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ બાલાજી મંદિર પરિસરમાં ઉત્તરાખંડ સેવા સમિતિ દ્વારા શ્રીમદ્‌ ભાગવત કથાનો શુભારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : દાદરા નગર હવેલી ઉત્તરાખંડ સેવા સમિતિ દ્વારા બાલાજી મંદિર પરિસર સેલવાસ ખાતે શ્રીમદ્‌ ભાગવત કથાનો શુભારંભ કરવામાં આવ્‍યો છે. આ પ્રસંગે સૌપ્રથમ ગાયત્રી મંદિરથી કળશયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્‍યામાં મહિલાઓ અને બાળકો જોડાયા હતા. આ કળશયાત્રા કથા સ્‍થળ પર પૂર્ણ કરવામાં આવી હતી. જ્‍યાં પોથી પૂજા કરી કથાકારશ્રીનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
શ્રીમદ્‌ ભાગવત કથાનો સમય દરરોજ સાંજે 04:00 વાગ્‍યાથી રાત્રે 08:00 વાગ્‍યા સુધીનો છે. જ્‍યારે 06 એપ્રિલના રોજ પુર્ણાહૂતી કરવામાં આવશે. ઉત્તરાખંડ સેવા સમિતિ દ્વારા શ્રીમદ્‌ ભાગવત કથાના આયોજનનો ઉદ્દેશ્‍યદાનહમાં વસતા સમાજના પ્રવાસીઓને એકજૂટ કરવાનો પ્રયાસ છે.

Related posts

દમણઃ દુણેઠા ખાતે અઢી વર્ષ પહેલા પત્‍નીની હત્‍યા કરવાની કોશિષમાં પતિને પાંચ વર્ષની જેલ અને રૂા.25 હજારનો દંડ

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેનનાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં ડેન્‍ટલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

ઉમરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખખડધજ રસ્‍તાઓ તરફ ધ્‍યાન દોરવા મામલતદારને આપેલું આવેદનપત્ર

vartmanpravah

ધરમપુરના ભેંસધરામાં દિવાળી નિમિત્તે ફટાકડા-મીઠાઈ-કપડા વિતરણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહમાં બાંધકામને લગતી કામગીરીની પ્રક્રિયા ઓનલાઇન કરાઈ

vartmanpravah

વાપી હાઈવે ઉપર અજાણ્‍યા વાહનની ટક્કરથી એક વ્‍યક્‍તિનું ઘટના સ્‍થળે કરુણ મોત નિપજ્‍યું

vartmanpravah

Leave a Comment