Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ બાલાજી મંદિર પરિસરમાં ઉત્તરાખંડ સેવા સમિતિ દ્વારા શ્રીમદ્‌ ભાગવત કથાનો શુભારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : દાદરા નગર હવેલી ઉત્તરાખંડ સેવા સમિતિ દ્વારા બાલાજી મંદિર પરિસર સેલવાસ ખાતે શ્રીમદ્‌ ભાગવત કથાનો શુભારંભ કરવામાં આવ્‍યો છે. આ પ્રસંગે સૌપ્રથમ ગાયત્રી મંદિરથી કળશયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્‍યામાં મહિલાઓ અને બાળકો જોડાયા હતા. આ કળશયાત્રા કથા સ્‍થળ પર પૂર્ણ કરવામાં આવી હતી. જ્‍યાં પોથી પૂજા કરી કથાકારશ્રીનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
શ્રીમદ્‌ ભાગવત કથાનો સમય દરરોજ સાંજે 04:00 વાગ્‍યાથી રાત્રે 08:00 વાગ્‍યા સુધીનો છે. જ્‍યારે 06 એપ્રિલના રોજ પુર્ણાહૂતી કરવામાં આવશે. ઉત્તરાખંડ સેવા સમિતિ દ્વારા શ્રીમદ્‌ ભાગવત કથાના આયોજનનો ઉદ્દેશ્‍યદાનહમાં વસતા સમાજના પ્રવાસીઓને એકજૂટ કરવાનો પ્રયાસ છે.

Related posts

ભારે વરસાદથી વલસાડ જિલ્લામાં હજારો હેક્‍ટર પાક ધોવાણ બાદ સહાય જાહેરાતથી ખેડૂતોમાં ખુશી : માર્ગદર્શન અને ફોર્મના ફાંફા

vartmanpravah

દાનહમાં ‘હિન્‍દી પખવાડા’ અંતર્ગત હિન્‍દી ભાષણ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

ચીખલી પોલીસે દારૂ ભરેલ આઈસર ટેમ્‍પો સાથે એકની કરેલી ધરપકડઃ રૂા. 13.92 લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો

vartmanpravah

વાપી જીઆઈડીસીમાંનોટિફાઈડ દ્વારા કાર્યરત કરાયેલ જાહેર સુલભ શૌચાલય છ મહિનાથી અસુલભ બની રહ્યું છે

vartmanpravah

વાપી ચણોદ કોલોની અંબામાતા મંદિરે 108 દિપ પ્રાગટય સાથે શિવજીની મહાપૂજા કરાઈ

vartmanpravah

સીઈઓની કારણદર્શક નોટિસ : દાનહઃ ખરડપાડા ગ્રા.પં.ના ૬ જેટલા સભ્યોનું સભ્યપદ શા માટે રદ્ નહીં કરવું?

vartmanpravah

Leave a Comment