October 15, 2025
Vartman Pravah
Breaking NewsOtherદેશસેલવાસ

સેલવાસ નક્ષત્ર વન ગાર્ડનમાં સહેલગાહે આવતાં દરેક લોકોએ હવે ફી ચૂકવવી પડશે

પ્રશાસનેગાર્ડનની જાળવણી સહિત અન્‍ય મેઇન્‍ટેનન્‍સના ખર્ચ માટે ફી વસૂલવાનો લીધેલો નિર્ણયઃ પ્રવાસીઓ સહિત સ્‍થાનિક લોકોમાં કચવાટ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21 : દાદરા નગર હવેલીના સેલવાસ દમણગંગા નદી કિનારે આવેલ સુંદર, સૌંદર્યમય મનોરમ્‍ય નક્ષત્રવન ગાર્ડનમાં હજારોની સંખ્‍યામાં શહેરીજનો તેમજ ગુજરાત, મહારાષ્‍ટ્ર સહિત અન્‍ય પ્રદેશથી પ્રવાસીઓ સહેલગાહે આવે છે. તમામ માટે અહીં હરવા-ફરવા અને મોજમજા માટે પ્રવેશ નિઃશુલ્‍ક પ્રવેશ હતો, પરંતુ હવે નક્ષત્રવન ગાર્ડનમાં મુલાકાતે આવનાર પ્રવાસીઓને નિઃશુલ્‍ક પ્રવેશ મળશે નહીં, કારણ કે પ્રશાસન દ્વારા આ ગાર્ડનમાં આવતા પ્રવાસીઓ અને શહેરીજનો માટે હવેથી અલગ અલગ દરો વસૂલવાનું શરૂ કરી દેવામાં આવ્‍યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલીની ઓળખ પ્રવાસન સ્‍થળ તરીકે થાય છે તેમાંય સેલવાસ, ખાનવેલ, બિન્‍દ્રાબિન, દૂધની, દાદરા ગાર્ડન વગેરેમાં રોજીંદા હજારોની સંખ્‍યામાં પ્રદેશના લોકો તેમજ પ્રદેશ બહારના પ્રવાસીઓ સૌંદર્ય નિખારવા આ આકર્ષક સ્‍થળોની મુલાકાત લેતા હોય છે. સેલવાસ શહેરનું મુખ્‍ય આકર્ષણ એવા નક્ષત્ર વન ગાર્ડનમાં સવાર-સાંજ સ્‍થાનિકો વોકિંગ પર આવતા લોકો અને સહેલગાહે આવતા યુવાનો દ્વારા કેમેરા લઈ ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરતા હોય છે તેઓ તમામમાટે નિઃશુલ્‍ક હતું. પરંતુ હવેથી આ માટે પ્રશાસન દ્વારા ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે.
પ્રશાસન દ્વારા ચાર્જ વસૂલાતા લોકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. પ્રશાસનને આ ગાર્ડનના દેખભાળ અને જરૂરી તમામ મેન્‍ટેનન્‍સ માટે ખર્ચની લાગત પુરી પાડવા ચાર્જ વસૂલવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં વિડીયોગ્રાફી માટે પાંચ સો રૂપિયા જેટલો ધરખમ ચાર્જ વસૂલવામાં આવે છે, તેથી યુવાઓની માંગ છે કે આ વસૂલી વ્‍યાજબી નથી જેથી એને ઓછો કરવામાં આવે. યુવાઓના જણાવ્‍યા પ્રમાણે વધુમાં વધુ યુવાઓ રીલ્‍સ અને ફોટોગ્રાફીના શોખ માટે કેમેરો લઈને આવે છે. ઇન્‍સ્‍ટગ્રામ, ફેસબુક લવર્સે વારંવાર ડી.પી. બદલવી પડે છે જેથી તેઓને વિડીયોગ્રાફી તેમજ ફોટોગ્રાફી નિઃશુલ્‍ક રાખવામાં આવે, ફક્‍ત ગાર્ડનમાં એન્‍ટ્રી ફી જ લેવી જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં શાળાઓમાં પરીક્ષા બાદ વેકેશન શરૂ થઈ રહ્યું છે જેથી અહીં આવતા પ્રવાસીઓએ પણ ફરજીયાત જે તે દર ચૂકવ્‍યા બાદ જ નક્ષત્રવન ગાર્ડનમાં પ્રવેશ મેળવવો પડશે.
નક્ષત્રવન ગાર્ડનમાં આવતા પ્રવાસીઓ અને શહેરીજનો માટે વનવિભાગ દ્વારા જે દરો નક્કી કરવામાં આવ્‍યા છે જેમાં નાના બાળકો માટે 10રૂપિયા, 12 વર્ષથી ઉપરના માટે 25 રૂપિયા, વિદેશી પ્રવાસીઓ માટે 125 રૂપિયા, દિવ્‍યાંગો માટે મફત, શાળાનાબાળકો જેઓ શૈક્ષણિક પ્રવાસ(એજ્‍યુકેશન ટુર) પર આવ્‍યા હોય તેઓને વિભાગની પરમિશન મળ્‍યા બાદ મફત પ્રવેશ છે. સાંજે અને સવારે જોગિંગ પર આવતા લોકો માટે ત્રણ મહિનાના માસિક પાસ 250 રૂપિયા, ફિલ્‍મ શુટિંગ માટે ડીસીએફની પરમીશન લીધા બાદ પચાસ હજાર રૂપિયા એડવાન્‍સ ચૂકવ્‍યા બાદ પરમિશન આપવામાં આવશે. પ્રોફેશનલ કેમેરા દ્વારા ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી માટે પાંચસો રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્‍યો છે જે નિઃશુલ્‍ક હોવું જોઈએ.

Related posts

વલસાડ જિલ્લા પ્રભારીમંત્રી મુકેશભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા આયોજન મંડળની બેઠક મળી

vartmanpravah

રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

ઉમરગામ વિધાનસભા વિસ્‍તારના ડુંગરા ચણોદમાં વિકસિત ભારત કાર્યક્રમ અંગે મિટિંગ યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સેલવાસમાં વિવિધનિર્માણાધિન કાર્યોની લીધેલી મુલાકાત

vartmanpravah

‘સ્‍વચ્‍છ નિર્મળ તટ અભિયાન’ અંતર્ગત દરિયા કિનારા પર સ્‍વચ્‍છતા અભિયાનમાં 6 રાજ્‍યો અને 3 કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં સ્‍થિત 10 દરિયાકિનારા વિકસાવાયા છેઃ કેન્‍દ્રીય મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ રાજ્‍યસભામાં આપેલી માહિતી

vartmanpravah

‘જય ભવાની ભાજપ જવાની’ના બુલંદ જયઘોષ સાથે કોંગ્રેસના ઉમેદવાર અનંતભાઈ પટેલનો વિજય વિશ્વાસ

vartmanpravah

Leave a Comment