Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડને મહાનગર બનાવવા માટે કોર્પોરેટરોની કલેક્‍ટરને લેખિત રજૂઆત : 15 ગામો સમાવાય તો વસ્‍તી 3.08 લાખ થઈ જાય

માજી કોર્પોરેટર ઉમેશ પટેલ, યક્ષેષ માળી, ઉર્વશી પટેલ, સોનલ પટેલએ રજૂઆત કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: વલસાડ શહેરને મહાનગર પાલિકા જાહેર કરવા માટે માજી કોર્પોરેટરોએ કલેક્‍ટરને લેખિત રજૂઆત આજે કરી હતી. વિવિધ 15 જેટલા ગામોને એકત્રિત કરાય તો 3.08 લાખની વસ્‍તી થઈ જાય છે.
માજી કોર્પોરેટર ઉમેશ પટેલ, યક્ષેષ માળી, ઉર્વશી પટેલ તથા સોનલ પટેલએ કલેક્‍ટરને લેખિત રજૂઆત કરી વલસાડને મહાનગર પાલિકા બનાવવાની માંગણી કરી છે. વલસાડ લગોલગ આવેલી 15 ગામ ભાગડાવાડા, નનકવાડા, તિથલ, કોસંબા, વશીયર, પારનેરા, પારનેરા પારડી, અતુલ, પારડી સાંઢપોર, ગુંદલાવ, ધમડાચી, વેજલપુર જેવા 15 જેટલા ગામોને એકીકરણ કરાય તો વસ્‍તી 3.08 લાખ જેટલી થઈ જાય છે તેથી વલસાડને મહાનગર પાલિકાનો દરજ્‍જો મળી શકે એમ છે. અથવા ચાર નવી પાલિકા પણ બનાવી શકાય છે. ગુંદલાવ જીઆઈડીસી ઔદ્યોગિક દૃષ્‍ટિએ હરણફાળ ભરી રહેલ છે. આજુબાજુના અનેક રેસિડેન્‍સિયલ સ્‍કીમ ડેવલોપ થઈ રહી છે. મહાનગર પાલિકા બને તો એસ્‍ટેટ બજારમાં તેજી આવે તેવી વિસ્‍તારથી વિગતો લેખિત રજૂઆતમાં જણાવાઈ હતી.

Related posts

દીવ જિ.પં.ના ઉપ પ્રમુખ શશીકાંત માવજી વિદેશી નાગરિક હોવાની કેન્‍દ્રના ગૃહ અને વિદેશ મંત્રાલયે કરેલી પુષ્‍ટિ

vartmanpravah

દમણમાં પુલ દુર્ઘટના બાદ શરૂ કરાયેલી મફત બસ સેવાના કારોબારે તે સમયે પેદા કરેલા ભારે ભેદભરમો

vartmanpravah

ગુજરાત અને મહારાષ્‍ટ્રને જોડતા નેશનલ હાઈવે નંબર 484 કપરાડાનો કુંભઘાટ બિસ્‍માર થતાં પ્રતિ રોજ અકસ્‍માત: વહેલી તકે અન્ય વિકલ્પ શોધવો જરુરી

vartmanpravah

સેલવાસમાં દમણગંગા નદીમાં ન્‍હાવા ગયેલા બે યુવાનોમાંથી એક યુવાન તણાયો

vartmanpravah

મોટી દમણ ઝરી આશ્રમશાળા ખાતે યોજાયેલ 10 દિવસીય સમર કેમ્‍પની પૂર્ણાહુતિ

vartmanpravah

સેલવાસની સવિતા તાનાજી પાટીલે વર્ષ 2019-20માં ‘લૉ ઓફ ટોર્ટ’ વિષયમાં વીએનએસજી યુનિવર્સિટીમાં પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કરતા લૉ કોલેજ અને પારડી પીપલ્‍સ બેન્‍ક દ્વારા સન્‍માનિત કરાયા

vartmanpravah

Leave a Comment