September 10, 2026
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

આદિવાસી સમાજના આથિક, સામાજિક, સાંસ્કૃર્તિક અને શૈક્ષણિક ઉત્થાન માટે દાનહના દૂધની ખાતે યુવાઓ દ્વારા પ્રાકૃર્તિક સંવાદ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના આદિવાસી સમાજના સાંસ્‍કૃતિક, આર્થિક, સામાજિક, અને શૈક્ષણિક ઉત્‍થાન માટે દૂધની ગામ ખાતે જિલ્લાના યુવાઓ દ્વારા એક પ્રાકૃતિક સંવાદનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ અવસરે શ્રી બ્રિજેશ ભુસારા, શિક્ષક શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી રિતેશ પટેલ, શ્રી સુનિલ ખાંજોડિયા, શ્રી શંકર ધાંગડા, શ્રી પંકજ કાકડ, શ્રી પ્રભુકાકડ અને દાનહના આદિવાસી સમાજના અગ્રણીઓ તથા દક્ષિણ ગુજરાતથી સામાજિક કાર્યકર્તા શ્રી કેયુરભાઈ કોંકણી અને રાજસ્‍થાન તેમજ મધ્‍યપ્રદેશથી પણ આદિવાસી સામાજિક કાર્યકર્તા ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે દાદરા નગર હવેલી, ગુજરાત, મધ્‍યપ્રદેશ, મહારાષ્‍ટ્ર, રાજસ્‍થાન તેમજ દેશના અન્‍ય ભાગોના આદિવાસી સમાજને આર્થિક રીતે કેવી રીતે આગળ લાવી શકાય એના ઉપર ઉપસ્‍થિત લોકોને માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. આ સંવાદ કાર્યક્રમ દરમિયાન પર્યાવરણને લાગતા પ્રશ્નોની પણ ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામડાના લોકોમાં ઠંડાપીણાં પીવાના વધેલા ચલનનને બંધ કરવા અને ઠંડાપીણાં પીવાથી આરોગ્‍ય ઉપર થતી અસર બાબતે વિસ્‍તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ આદિવાસી સમાજના લોકો પોતાના હક-અધિકારની સાથે સાથે જીવનનિર્વાહની સમસ્‍યાઓ કેવી રીતે દૂર કરી શકે તથા સંવૈધાનિક હક અને અધિકાર માટેની જાણકારી સાથે સમસ્‍યાઓ ઉપર ચર્ચા કરી તેના નિરાકરણ ઉપર વાર્તાલાપ કરવામાં આવ્‍યો હતો.

Related posts

દમણમુસ્‍લિમ સમાજનો ક્રિકેટ મહાકુંભ ડીએમપીએલ-ર પૂરજોશમાં : 6 માર્ચે ફાઈનલ મેચ રમાશે

vartmanpravah

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષકો માટે આયોજીત તાલીમનું મસાટ હાઈસ્‍કૂલ ખાતે સમાપન

vartmanpravah

અતુલ પાવર હાઉસ પાસેથી વોટર ફિલ્‍ટર બોડીની આડમાં રૂા.10.62 લાખનો દારૂનો જથ્‍થો ભરેલુ કન્‍ટેનર ઝડપાયું

vartmanpravah

પારડી તાલુકાના પરીયા ગામના યુવકે અગમ્‍ય કારણસર ઝેરી દવા પીધી : વલસાડ સિવિલ હોસ્‍પિટલ ખાતે સારવાર હેઠળ

vartmanpravah

સેલવાસ ન.પા.ના ડિમોલીશન અભિયાનમાં વ્‍યવહારિક અને સંવેદનશીલ અભિગમ રાખવા નિષ્‍ફળ ગયેલા સી.ઓ. સુનભ સિંઘની આખરે છૂટ્ટી

vartmanpravah

સંઘપ્રદેશમાં પારદર્શક પ્રશાસન માટે બદલી કરાયેલા કેટલાક અધિકારી-કર્મચારીઓ હજુ પણ પોતાના જુના સ્‍થળે જ કાર્યરત

vartmanpravah

Leave a Comment