October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આજે દમણ જિલ્લાની શાળાઓમાં પ્રિ-પ્રાઈમરી અને પ્રથમ ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળા પ્રવેશોત્‍સવ યોજાશે

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પરિયારીની શહિદ ભગતસિંહ ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં બાળકોનો હોંશલો વધારશે અને વાલીઓને માર્ગદર્શન આપશે

વિવિધ શાળાઓમાં સંઘપ્રદેશ પ્રશાસનના આઈ.એ.એસ., આઈ.પી.એસ., દાનિક્‍સ સહિતના ઉચ્‍ચ અધિકારીઓ મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહી શાળાના વર્ગખંડમાં પ્રથમ પગથિયું પાડતા બાળકોનું ઉત્‍સાહવર્ધન કરાવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.14 : આવતી કાલ તા.15મી જૂનના રોજ દમણ જિલ્લાની તમામ સરકારી-અર્ધ સરકારી શાળાઓમાં પ્રિ-પ્રાઈમરી અને પહેલાં ધોરણમાં પ્રવેશ કરતા બાળકોને વધાવવા માટે પ્રવેશોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેની કડીમાં પરિયારીની શહિદ ભગતસિંહ ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહી બાળકોનો હોંશલો વધારશે અને વાલીઓને માર્ગદર્શન આપશે.
દમણ જિલ્લાની વિવિધ શાળાઓમાં આવતી કાલે સંઘપ્રદેશ પ્રશાસનના આઈ.એ.એસ., આઈ.પી.એસ., દાનિક્‍સ તથા સંઘપ્રદેશ પ્રશાસનના ઉચ્‍ચ અધિકારીઓ મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહી શાળાનું પ્રથમ પગથિયું ચડતા બાળકોનું ઉત્‍સાહવર્ધન કરાવશે.
અત્રે યાદરહે કે, સંઘપ્રદેશ દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં 2017ના વર્ષથી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પહેલથી શરૂ કરવામાં આવેલ પ્રવેશોત્‍સવની ખુબ જ હકારાત્‍મક અસરો થવા પામી છે. શાળાનું પ્રથમ પગથિયું ચડતા બાળકોને તેઓ ખાસ વિશેષ હોવાની લાગણી જન્‍મે છે અને શાળામાં બદલાયેલી વ્‍યવસ્‍થા શક્‍તિનો પણ તેમને પરિચય મળે છે. સંઘપ્રદેશ પ્રશાસનની આ પહેલથી સરકારી શાળાઓમાં પ્રિ-પ્રાઈમરી અને પહેલા ધોરણમાં એડમિશનની સંખ્‍યામાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.

Related posts

વાપી પાલિકાએ જી-20 અંતર્ગત લોકોમાં પર્યાવરણ જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું કરેલું આયોજન

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ના નવનિયુક્‍ત સેક્રેટરી પર્યંત જાની અને જે.ઈ. હિરેન પટેલનું કરાયું અભિવાદન

vartmanpravah

અંબિકા અને કાવેરી નદીમાં પુરના કારણે ગણદેવી તાલુકાના 966 નાગરિકોને સ્‍થળાંતરિત કરાયા

vartmanpravah

દમણ પોલીકેબ દ્વારા તમામ એકમોમાં તિરંગો ફરકાવી 76મા સ્‍વતંત્રતા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

દેશ માટે સમર્પણનો ભાવ દરેકના દિલમાં જાગે તો સાચો સ્‍વતંત્ર દિવસ ઉજવી શકાય : પુરાણી સ્‍વામી

vartmanpravah

વલસાડઃ વશીયરમાં રેલવેના નવા બ્રિજ માટે ડિમોલીશન કરવા ગયેલ ટીમને સ્‍થાનિકોએ અટકાવતા મામલો ઉગ્ર બન્‍યો: સાત જેટલા મકાનો ડિમોલીશનમાં જતા હોવાથી લોકોએ નોંધાવેલો વિરોધ

vartmanpravah

Leave a Comment