April 22, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના કૂકેરી ગામે ઘરની દીવાલ ધસી પડતાં શ્રમજીવી પરિવારના દંપતિનું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.02: મંગળવારની સાંજના ચારેક વાગ્‍યાના અરસામાં કુકેરી ગામના રેલ્‍વે ફળિયામાં રહેતા અરવિંદભાઈ છીબાભાઈ હળપતિ (ઉ.વ.55) તેમના ઘરના ઓટલા પર સુતા હતા. તે દરમ્‍યાન અચાનક ઘરની દીવાલ ધરાશયી થતાં દબાઈ જવાથી ગંભીર ઈજા થતાં તેમનું ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યુ હતુ. જ્‍યારે ઈજાગ્રસ્‍ત તેમની પત્‍ની સુખીબેન હળપતિને 108 ની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવતા તેમનું પણ સારવાર દરમ્‍યાન મોત નિપજ્‍યુ હતું. શ્રમજીવી પરિવારના દંપતિના મોતથી સ્‍થાનિકોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. સરપંચ,તલાટી સહિતનાઓ પંચકયાસ સહિતની કાર્યવાહી કરી બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
આ ઉપરાંત ઘેજ ગામના ઝાડી ફળિયામાં અશ્વિનભાઈ પ્રેમાભાઈ પટેલના ઘર પર ઝાડ પડતા ઘરને વ્‍યાપક નુક્‍સાન થવા સાથે તેમને ઈજા થતાં સારવાર અર્થે ધરમપુરની હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. તાલુકામાં વરસાદ વચ્‍ચે સોલધરા નાયકીવાડ પેલાદ અને તલાવચોરા બારોલીયા પીપળા ફળિયાથી સંજય ફાર્મ તરફ જતા માર્ગ પર લો-લેવલ કોઝ-વે પર પાણી ફરી વળતાં વાહન વ્‍યવહાર બંધ થઈ ગયો હતો.

Related posts

‘સ્‍વચ્‍છતા હી સેવા પખવાડા’ અંતર્ગત દમણ-દીવના પૂર્વ સાંસદ અને ભાજપના વરિષ્‍ઠ નેતા ગોપાલ દાદાના નેતૃત્‍વમાં માછી સમાજે બરૂડિયા શેરી સહિત વિવિધ વિસ્‍તારમાં કરેલું એક કલાકનું શ્રમદાન

vartmanpravah

પ્રાથમિક ગુજરાતી શાળા કૌંચામાં પ્રવેશોત્‍સવની કરાયેલી ઉજવણી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલની રચનાત્‍મક પરિવર્તનલક્ષી દીર્ઘદૃષ્‍ટિનું પરિણામ : સેલવાસના જૂના સચિવાલય બિલ્‍ડીંગ ખાતે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી કેમ્‍પસનો આરંભ

vartmanpravah

ફડવેલની એચ.ડી. સાર્વજનિક વિદ્યામંદિરના કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત સ્‍વામિનારાયણ સંપ્રદાયના સંતોના હસ્‍તે કરવામાં આવ્‍યું

vartmanpravah

દાનહમાં ડેલકર પરિવારનું 33 વર્ષ કરતા વધુનું શાસનઃ પારઝાઈપાડાનો રસ્‍તો નથી બનાવી શક્‍યા

vartmanpravah

2023 સુધી સંઘપ્રદેશને ટીબીમુક્‍ત બનાવવા પ્રશાસનનો સંકલ્‍પ : ભાવિ પેઢીને સુરક્ષિત રાખવાની પહેલ

vartmanpravah

Leave a Comment