July 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ-નરોલી રોડ પર દમણગંગા નદીના પુલ પરથી નરોલીના એક વ્‍યક્‍તિએ ઝંપલાવ્‍યું: ફાયર ફાઈટરોએ શરૂ કરેલી શોધખોળ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.08 : સેલવાસ-નરોલી રોડ પર દમણગંગા નદીના બ્રિજ પરથી એક વ્‍યક્‍તિએ કોઈક અગમ્‍ય કારણોસર આજે મોતની છલાંગ લગાવી હતી. નદીમાં ઝંપલાવનાર વ્‍યક્‍તિને શોધવાની તજવીજ ફાયર વિભાગે શરૂ કરી દીધી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે અથાલ તરફથી એક વ્‍યક્‍તિ બાઈક લઈને આવ્‍યો હતો જેણે બાઈક બ્રિજના છેડે મુકી ચાલતા ચાલતા બ્રિજના વચ્‍ચેના ભાગે આવી અચાનક નદીમાં ઝંપલાવી દીધું હતું. આ ઘટનાની જાણ પોલીસને થતાં ફાયર વિભાગની ટીમ સહિત ઘટના સ્‍થળ ઉપર ધસી ગયા હતા. તાત્‍કાલિક ફાયર વિભાગના જવાનોએ બોટની મદદથી નદીમાં ઝંપલાવનાર વ્‍યક્‍તિની શોધખોળ હાથ ધરી હતી. બાઈક નંબરના આધારેતપાસ કરતા નદીમાં ઝંપલાવનાર વ્‍યક્‍તિનું નામ રાજેશ રાઠોડ (ઉ.વ.50) રહેવાસી જલારામ કોમ્‍પ્‍લેક્ષ, નરોલી હોવાનું જાણવા મળ્‍યું હતું.
નદીમાં ઝંપલાવનાર વ્‍યક્‍તિના પરિવારના જણાવ્‍યા પ્રમાણે રાજેશભાઈ સવારે રાબેતા મુજબ નોકરી પર જવા નીકળ્‍યા હતા, ત્‍યારબાદ બપોરે ઘરે આવ્‍યા બાદ પોતાની બાઈક લઈને થોડીવારમાં આવું છું એમ કહીને નીકળી ગયા હતા. જ્‍યારે પોલીસ પ્રશાસનનો ફોન આવ્‍યો કે કોઈક વ્‍યક્‍તિએ નદીમાં ઝંપલાવી દીધું છે ત્‍યારે નદીના પુલ પાસે પહોંચીને જોતા એમની બાઈક અને શરીરે પહેરેલ જેકેટના આધારે ઓળખ થઈ હતી. રાજેશભાઈએ કયા કારણોસર આ પગલું ભર્યું એ હજી સુધી જાણી શકાયું નથી.
સેલવાસ-નરોલી રોડનો આ દમણગંગા પુલ સુસાઇડ પોઇન્‍ટ તરીકે કુખ્‍યાત થઈ રહ્યો છે, આ અગાઉ પણ અનેક વખત આ પુલ પરથી અનેક લોકોએ મોતની છલાંગ લગાવી હોવાની બનાવો સામે આવી ચૂક્‍યા છે, ત્‍યારે ફરી એક વખત વધુ એક બનાવ બનતા સમગ્ર પ્રદેશમાં ચકચાર મચી ગઈ હતી. આ દમણગંગા નદીના પુલ ઉપરથી આત્‍મહત્‍યાના વારંવાર કિસ્‍સાઓ બનતા વિવિધ સંસ્‍થાઓ દ્વારા વહીવટી તંત્રને પુલની બન્ને બાજુએ લોખંડની જાળી લગાવવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં પ્રશાસન દ્વારા કોઈ જ પગલાં ભરાઈ રહ્યા નથી.

Related posts

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ મુજબ  દાનહ જિલ્લા પ્રશાસને સીલી ચોકીપાડામાં સરકારી જમીન ઉપરના ગેરકાયદેસર દબાણો ઉપર ફેરવેલું બુલડોઝર

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર કલ્‍પનાતીત વિચિત્ર અકસ્‍માત સર્જાયો

vartmanpravah

શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સ દ્વારા હવેલી ગ્રાઉન્‍ડ, સેલવાસ ખાતે ‘મુંબઈ યુનિવર્સિટી ઝોન – II ઈન્‍ટરકોલેજ હેન્‍ડબોલ ટુર્નામેન્‍ટ’ યોજાઈ

vartmanpravah

ગણદેવી તાલુકામાં 170 અને ચીખલી તાલુકામાં 111 ટીબીના દર્દીઓ નોંધાયા

vartmanpravah

વંકાસની ડી.એચ.વી. ફિટિંગ કંપનીનું જમીની વિવાદી પ્રકરણમાં લેન્‍ડગ્રેબિંગ એક્‍ટ હેઠળ શરૂ થનારી તપાસ

vartmanpravah

સમરોલીમાં નવનિર્માણ શાળાના ઓરડાનું બાંધકામ 14 માસથી બંધ! શિક્ષણ મંત્રીએ રૂબરૂ સ્‍થળ મુલાકાત લઈ એક અઠવાડિયામાં કામ ચાલુ કરવાની આપેલી ખાતરીનું સૂરસૂરિયું

vartmanpravah

Leave a Comment