January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

વિલેજ એડોપ્‍શન કાર્યક્રમ અંતર્ગત સેલવાસના રાંધામાં નમો મેડિકલ કોલેજ દ્વારા યોજાઈ મેગા આરોગ્‍ય શિબિર

રાંધા વિસ્‍તારના જુદા જુદા રોગના 139 જેટલા દર્દીઓએ આરોગ્‍ય શિબિરનો લીધેલો લાભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને આરોગ્‍ય વિભાગના સલાહકાર ડૉ. વી.કે.દાસના દિશા-નિર્દેશ હેઠળ સામુદાયિક આરોગ્‍ય વિભાગ નમો મેડિકલ કોલેજ એન્‍ડ એજ્‍યુકેશન રિસર્ચઈન્‍સ્‍ટિટયૂટ-સેલવાસ દ્વારા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર રાંધામાં વિલેજ એડોપ્‍શન કાર્યક્રમ અંતર્ગત મેગા આરોગ્‍ય શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
સરકારની આઉટરીચ સેવાઓની જાણકારીને જમીની સ્‍તર સુધી પ્રસારિત કરવા માટે વિલેજ એડોપ્‍શન કાર્યક્રમની શરૂઆત 7 એપ્રિલ, 2022ના રોજ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.
આ આરોગ્‍ય શિબિર અંતર્ગત નિષ્‍ણાતો દ્વારા આરોગ્‍ય તપાસ અને સલાહ, લોહીની તપાસ, દવાનું વિતરણ, રેફરલ સેવાઓ, હાઈ બ્‍લડપ્રેશર, ડાયાબિટીશ, એનિમિયા, કુપોષણ, દ્રષ્‍ટિ અને શ્રવણદોષ જેવા વિવિધ રોગોની તપાસ કરવામાં આવી હતી. દાંતની તપાસ, ગર્ભવતી મહિલાઓ અને માતાઓ માટે એ.એન.એસી./પી.એન.અસી. સંભાળ વગેરે બાબતે પણ તપાસ અને માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.
રાંધા ખાતે આયોજીત મેગા આરોગ્‍ય શિબિરમાં આરોગ્‍ય સંબંધી યોજનાઓ અને બિમારીઓની બાબતમાં જાગૃતિ ફેલાવવા આઈ.ઈ.સી. કોર્નર પણ લગાવવામાં આવ્‍યું હતું. આ શિબિરનો લાભ કુલ 139 દર્દીઓએ ઉઠાવ્‍યો હતો. દર્દીઓને આઈ.ઈ.સી. હેન્‍ડઆઉટ અને પરામર્શના માધ્‍યમથી ચેપી અને બિનચેપી રોગોના રોકથામ અને પ્રારંભિક તપાસ માટે જાગૃત પણ કરાયા હતા.

Related posts

સ્‍કિલ ઈન્‍ડિયા ‘કૌશલ ભારત, કુશલ ભારત’ અંતર્ગત દમણની આલ્‍કેમ લેબોરેટરીઝની આવકારદાયક પહેલઃ મહિલાઓના સ્‍વાવલંબન કાર્યક્રમનો આરંભ

vartmanpravah

આંદામાન અને નિકોબાર ટાપુઓમાં બદલી થતાં દીવ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી વૈભવ રિખારીને ભાવભીની વિદાય અપાઈ

vartmanpravah

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ અને દમણ એડવોકેટ બાર એસો.ના સહયોગથી દમણ દાભેલના ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે યોજાયેલ કાનૂની જાગૃતતા શિબિર

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા’ હેઠળ વલસાડ જિલ્લામાં રેલી, શપથ, વૃક્ષારોપણ અને સફાઈ સહિતના કાર્યક્રમો યોજાયા

vartmanpravah

વલસાડ રાબડા ગામે દરગાહ ચલાવતા ચેતન બાપુની હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન દાદાની કબર ખોલવાની પત્રિકાથી રોષ

vartmanpravah

દમણમાં બાલ ભવન બોર્ડ દ્વારા બાળકો માટે સમર કેમ્‍પનો શુભારંભ : આજથી 31મે, 2023 સુધી ચાલનારા સમર કેમ્‍પમાં દરરોજ બાળકોને ટ્રેકિંગ, કેક મેકિંગ, સિંગિંગ, કી-બોર્ડ પ્‍લેઈંગ, કરાટે, યોગા, ડાન્‍સ વગેરે શિખવવામાં આવશે

vartmanpravah

Leave a Comment