April 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

કર્મયોગી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિનને દાનહ અને દમણ-દીવમાં આનંદ-ઉત્‍સાહ અને ભાવપૂર્વક મનાવાયો

વિદ્યાર્થીઓને તિથિ ભોજન, સ્‍વચ્‍છતા પ્રહરીઓને અન્નદાન, દીર્ઘાયુ અને તંદુરસ્‍ત જીવન માટે મંદિરોમાં પૂજા-અર્ચના સહિતના કામો સાથે કેક કાપી લોકલાડીલા પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસની સ્‍વયંભૂ કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ/સેલવાસ, તા.28
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસને આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાંઆનંદ-ઉત્‍સાહ અને ભાવપૂર્વક મનાવવામાં આવ્‍યો હતો. લોકોએ સ્‍વયંભૂ વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન કરી કર્મયોગી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસની ઉજવણી કરી હતી.
સંઘપ્રદેશની તમામ પંચાયતોમાં વિદ્યાર્થીઓને તિથિભોજન સ્‍વરૂપે કેળા અને બીજી વાનગીનું વિતરણ કરાયું હતું. સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપની બહેનોએ વિવિધ મંદિરોમાં પૂજા-અર્ચના કરી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના તંદુરસ્‍ત જીવન અને દીર્ઘાયુની કામના કરી હતી.
પંચાયત અને નગરપાલિકાના સ્‍વચ્‍છતા પ્રહરી કર્મીઓને અનાજના પેકેટ આપી તેમને સન્‍માનિત કરાયા હતા. કેક કાપી પ્રશાસકશ્રીના જન્‍મ દિવસને મનાવાયો હતો.

Related posts

ગ્રામ પંચાયત ચૂંટણી દરમિયાન મતદાન મથકે અવર-જવર માટે વાહનોના ઉપયોગ ઉપર નિયંત્રણો

vartmanpravah

કમોસમી વરસાદ અને વાવાઝોડાંમાં અસરગ્રસ્ત બનેલા દાનહના ગામડાઓના પરિવારોના વ્હારે આવી આરતી ઇન્ડસ્ટ્રીઝઃ સિમેન્ટના પતરાનું કર્યું વિતરણ

vartmanpravah

વાપી વિસ્‍તારમાં કોંગ્રેસ-અને આપ દ્વારા ચૂંટણી પ્રચાર : રોડ અને બ્રિજ બનાવવા એ વિકાસ નથી : અનંત પટેલ

vartmanpravah

બગવાડા ટોલનાકા પર પોરબંદરથી ઉમરગામ વિસ્‍તારના માછીમારો ભરેલીલક્‍ઝરી બસનો પાટો તૂટયો : આબાદ બચાવ

vartmanpravah

વંકાસની ડી.એચ.વી. ફિટિંગ કંપનીનું જમીની વિવાદી પ્રકરણમાં લેન્‍ડગ્રેબિંગ એક્‍ટ હેઠળ શરૂ થનારી તપાસ

vartmanpravah

વાપી પાલિકા અને આર.ઓ. પ્‍લાન્‍ટ સંચાલકોના વિવાદનો અંતઃ પાલિકાએ ગાઈડલાઈન જારી કરી દિશાનિર્દેશ આપ્‍યા

vartmanpravah

Leave a Comment