October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કોચરવા ગામે તુલજા ભવાની માતાજી મંદિરનો જીર્ણોદ્ધાર ધાર્મિક કાર્યક્રમ બે દિવસ ઉજવાયો

શ્રાવણ માસ હોવાથી 12 પાર્થિવ જ્યોતિર્લિંગનું પૂજન-અર્ચન કરાતું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: વાપી નજીક આવેલ કોચરવા કુંભાર ફળીયામાં નિર્માણ પામેલા તુલજા ભવાની માતાજીના મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્‍યો હતો. તા.29, 30 ઓગસ્‍ટના રોજ બે દિવસ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં શાષાોક્‍તવિધિ સાથે સ્‍થાપન પૂજા, આરતી અને દ્વાદશ જ્‍યોર્તિલિંગનું વિસર્જન કરવામાં આવ્‍યું હતું. જેમાં ગ્રામજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.
ધાર્મિક કાર્યક્રમમાં શાષાોક્‍તવિધિ પાર પાડનાર ગામના ગોર પ્રશિત ઈશ્વરલાલ જોષીએ જણાવ્‍યું હતું કે કોચરવા ગામના 7 ફળિયાના સૌ નાગરિકો, ભાવિકોએ તુલજા ભવાની માતાજી મંદિરના જીર્ણોદ્ધારમાં પોતાનું યોગદાન આપ્‍યું છે. આજના પ્રસંગે હાલ શ્રાવણ મહિનો ચાલતો હોવાથી 12 પાર્થિવ જ્‍યોર્તિલિંગનું પૂજન-અર્ચન કરવામાં આવ્‍યું હતું. સાથે સાથેઅભિષેકાત્‍મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ગ્રામવાસીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહીને પાર્થિવ જ્‍યોર્તિલિંગનું વિસર્જન કર્યું હતું.

Related posts

આજથી વલસાડ જિલ્લા સહિત ગુજરાત રાજ્‍યના 55 હજાર વિજ કર્મચારીઓ આંદોલન ઉપર

vartmanpravah

જિલ્લાના E-KYC અને આધાર સીડીંગ બાકી હોય એવા ખેડૂતોએ તા.20 ડિસેમ્‍બર સુધી કરાવી લેવું

vartmanpravah

દાનહ અને દમણમાં કોરોનાનો આંકડો 15-15 નોંધાયો : દીવમાં કોરોનાના 02 કેસ નોંધાયા

vartmanpravah

નવા વર્ષની ઉજવણીને અનુલક્ષી દારૂ પી ને વાહન ચલાવનારાઓને પકડવા દાનહ અને ગુજરાત પોલીસે સંયુક્‍ત રીતે હાથ ધરેલું અભિયાન

vartmanpravah

ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલમાં દર્દી પાસે ઓપરેશન પેટે 12 હજાર વસુલવામાં આતા મામલો ગરમાયો

vartmanpravah

વલસાડ સેશન્‍સ કોર્ટે 283 કિલો ગાંજા સાથે ઝડપાયેલા આરોપી શકીલ કુરેશીની જામીન અરજી ફગાવી

vartmanpravah

Leave a Comment