April 18, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

લંડનની બ્રિટિશ સંસદમાં દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે ઈન્‍ડો-યુરોપિયન કોન્‍ક્‍લેવમાં ગુડ ગવર્નન્‍સ ઉપર આપેલું મનનીય વક્‍તવ્‍ય

રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીના ગ્રામ સ્‍વરાજ્‍ય, સ્‍વામી વિવેકાનંદના દરિદ્ર નારાયણ તથા દીન દયાળ ઉપાધ્‍યાયનું અંત્‍યોદય સુશાસનનું ઉત્તમ દૃષ્‍ટાંતઃ ભારત સરકારે કોરોના કાળમાં લીધેલા પગલાં અને અપનાવેલી સમયસૂચકતાથી બીજું કોઈ મોટું સુશાસનનું સ્‍વરૂપ નથીઃ સાંસદ ઉમેશભાઈ પટેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
લંડન, તા.13 : લંડનની બ્રિટિશ સંસદમાં તા.11મી સપ્‍ટેમ્‍બરથી 14મી સપ્‍ટેમ્‍બર સુધી યોજાઈ રહેલ ઈન્‍ડો-યુરોપિયન આંતરરાષ્‍ટ્રીય બિઝનેશ કોન્‍કલેવમાંભારત સહિત અન્‍ય દેશોના સાંસદો, ધારાસભ્‍યો, બિઝનેશસ મેનો ભાગ લઈ રહ્યા છે. જેમાં દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલને પણ ભારતનું પ્રતિનિધિત્‍વ કરવાની તક મળી હતી.
આ કાર્યક્રમમાં સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, ભારત હંમેશા વિશ્વને એક પરિવાર તરીકે નિહાળે છે અને ‘વસુધૈવ કુટુંમ્‍બકમ્‌’ની ભાવનાથી કામ કરે છે. ભારતમાં લગભગ 122 જેટલી પ્રમુખ ભાષાઓ અને 1500 જેટલી બોલી બોલાય છે અને દર 12 ગામે બોલી બદલાઈ જાય છે. ભારતમાં વિવિધતા અને અનેકતા હોવા છતાં અમારી સરકાર દરેકનું સર્વોપરિતાથી લાલન-પાલન કરે છે. માનવ અધિકાર કાયદાપાલન લોકશાહીનું જતન જેવા અનેક કામો સરકાર સફળતાથી કરી રહી છે.
સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધી તથા સ્‍વામી વિવેકાનંદના દરિદ્ર નારાયણ તથા દીન દયાળ ઉપાધ્‍યાયનું અંત્‍યોદય સુશાસન સાથે જોડાયેલું હોવાનું બ્રિટિશ સંસદમાં ભારપૂર્વક જણાવ્‍યું હતું. તેમણે કોરોના કાળમાં ભારત સરકારે લીધેલા પગલાં અને અપનાવેલી સમયસૂચકતાનો ઉલ્લેખ કરી જણાવ્‍યું હતું કે, આનાથી મોટું સુશાસનનું બીજું કોઈ દૃષ્‍ટાંત નથી.
સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે બ્રિટિશ પાર્લામેન્‍ટમાં ગુડ ગવર્નન્‍સ ઉપર પોતાનું મનનીય વક્‍તવ્‍ય આપ્‍યું હતું. દાદરા નગર હવેલી અનેદમણ-દીવના શ્રી ઉમેશભાઈ પટેલ પહેલાં એવા સાંસદ છે કે જેમને વિદેશની ધરતી ઉપર વિદેશી પાર્લામેન્‍ટમાં પોતાના વિચારો રજૂ કરવાની તક મળી છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી અને શિક્ષણ સચિવ અંકિતા આનંદના દિશા-નિર્દેશ હેઠળ દમણ જિલ્લાની તમામ શાળાના આચાર્યો અને નોડલ સેફટી શિક્ષકો માટે ‘ગુડ ટચ, બેડ ટચ’ના સંદર્ભમાં યોજાયેલ અર્ધદિવસીય જાગૃતતા સત્ર

vartmanpravah

શનિવારે દાનહના માંદોની અને દાદરામાં યોજાનારી રેવન્‍યુ શિબિર

vartmanpravah

દમણ જિ.પં.ના બાંધકામ સમિતિના ચેરપર્સન રીનાબેન તથા ભાજપ કિસાન મોર્ચાના પ્રદેશ પ્રમુખ હરિશભાઈ પટેલે વિદ્યાર્થીઓને સ્‍કૂલબેગ કિટનું વિતરણ કરી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસની કરેલી ઉજવણી

vartmanpravah

દાનહના ખેલ અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર કોલેજ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન

vartmanpravah

પારડી દમણીઝાંપા સ્‍થિત એકલિંગી મહાદેવ મંદિર બન્‍યું આકર્ષણનું કેન્‍દ્ર: મહાદેવને રુદ્રાક્ષ, 12 જ્‍યોર્તિલિંગ તથા 108 પાર્થિવ શિવલિંગથી કર્યો શણગાર

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ બલસાર દ્વારા શેરી ગરબા સ્‍પર્ધાનું કરાયેલુ આયોજન

vartmanpravah

Leave a Comment