March 2, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

કચીગામ ચાર રસ્‍તાથી સોમનાથ જંક્‍શન સુધીનો રસ્‍તો આગામી 13મી ઓક્‍ટોબર સુધી વન-વે જાહેર

સોમનાથ જંક્‍શનથી કચીગામ ચાર રસ્‍તા સુધીના રસ્‍તાનું કરવામાં આવી રહેલું નવનિર્માણ કાર્યઃ તમામ વાહનચાલકો-પ્રવાસીઓને કચીગામ તળાવથી રીંગણવાડાના વૈકલ્‍પિક રસ્‍તાનો ઉપયોગ કરવા અનુરોધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.15 : કચીગામ ચાર રસ્‍તાથી સોમનાથ જંક્‍શન સુધી સડક નિર્માણના કાર્યનો આરંભ થઈ રહ્યો હોવાથી આજથી લઈને આગામીતા.13મી ઓક્‍ટોબર, 2024 સુધી કચીગામ-સોમનાથ રોડને એકમાર્ગીય રસ્‍તો જાહેર કરવામાં આવ્‍યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે તમામ નાગરિકો અને વાહનચાલકોને સૂચિત કરવામાં આવે છે કે, કચીગામ ચારરસ્‍તાથી લઈને સોમનાથ જંક્‍શન સુધીના રસ્‍તાના નવનિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે. જેના કારણે આ રોડને ટૂંકાગાળા કામચલાઉ રૂપે એકમાર્ગીય(વન વે) તરીકે જાહેર કરવામાં આવ્‍યો છે. આ ઉપરાંત તમામ સૂચિત કરવામાં આવે છે કે, આ માર્ગ ઉપર વાહનોને પાર્કિંગ કરવા કે થોભાવવાની પરવાનગી પણ આપવામાં આવી નથી. આ નિર્ણય પ્રવાસીઓ અને નિર્માણ કાર્યમાં સંકળાયેલા કર્મચારીઓની સુરક્ષાને ધ્‍યાનમાં રાખીને કરવામાં આવ્‍યો હોવાનું એમ દમણ જિલ્લા પ્રાદેશિક પ્રચાર અધિકારી અને ડેપ્‍યુટી કલેક્‍ટર (મુખ્‍યાલય) શ્રી રાહુલ દેવ બુરાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
અત્રે યાદ રહે કે, વાહનવ્‍યવહારને સરળ બનાવી રાખવા માટે નાગરિકો અને વાહનચાલકોને અનુરોધ કરવામાં આવ્‍યો છે કે, તેઓ કચીગામ તળાવથી રીંગણવાડાના વૈકલ્‍પિક રસ્‍તાનો ઉપયોગ કરે.

Related posts

દાનહમાં 05 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

દાનહના ડોકમર્ડી પ્રશિક્ષણ કેન્‍દ્ર ખાતે નવનિયુક્‍ત સરકારી પ્રાથમિક શિક્ષકો માટે તાલીમ શિબિર યોજાઈ

vartmanpravah

ચીખલી 108-એમ્‍બ્‍યુલન્‍સ ટીમની પ્રસંશનીય કામગીરી

vartmanpravah

કપરાડાના ગવાંટકા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની પ્રગતિને સન્‍માન કરી પ્રોત્‍સાહિત ઈનામ આપવામાં આવ્‍યું

vartmanpravah

જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

vartmanpravah

દાનહના માંદોની ગ્રા.પં.ના પટેલપાડા અને આંબેચીમાળ ગામમાં વિકટ બનેલી પાણીની સમસ્‍યાઃ ગામની બહેનોએ જિલ્લા કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment