October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

લ્‍યો કરો વાત..! છેલ્લા દોઢ મહિના કરતા વધુ સમયથી કચીગામ-ઝરીના બ્રિજની સ્‍ટ્રીટ લાઈટો બંધ છતાં જવાબદાર તંત્રનું ભેદી મૌન

ભૂતકાળમાં મુખ્‍ય રસ્‍તાઓની લાઈટની જવાબદારી ભલે પી.ડબ્‍લ્‍યુ.ડી. હસ્‍તક હતી છતાં તે વખતે વિદ્યુત વિભાગના કાર્યપાલક ઈજનેર સ્‍વયં રસ લઈ લોકોને પડતી હાલાકી દૂર કરવા પ્રયાસરત રહેતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.18 : મોટી દમણના ઝરી અને કચીગામને જોડતાં પુલ ઉપર છેલ્લા દોઢ મહિના કરતા વધુ સમયથી સ્‍ટ્રીટ લાઈટો બંધ છે. આ મુદ્દે કચીગામ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ભરતભાઈ પટેલે પણ ટોરેન્‍ટ પાવર સહિતના સત્તાવાળાને અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી છે. છતાં પણ હજુ અંધારપટ્ટ જ છવાયેલો છે.
જે વખતે વિદ્યુત વિભાગનો કાર્યભાર દમણ-દીવ પ્રશાસન પાસે હતો તે વખતના એક્‍ઝિક્‍યુટિવ એન્‍જિનિયર શ્રી એમ.આર.ઈંગલે સ્‍વયં રસ લઈ કોઈપણ જાહેર માર્ગની લાઈટો બંધ નહીં રહે તેની તકેદારી લેતા હતા. ભલે મુખ્‍ય રસ્‍તાઓની લાઈટની જવાબદારી જાહેર બાંધકામ વિભાગ પાસે હોવા છતાં તે વખતે વિદ્યુત વિભાગ સ્‍વયં ઘણાં કિસ્‍સાઓમાં દરમિયાનગીરી કરી જાહેર જનતાને તકલીફ નહીં પડે તેની કાળજી લેવાતી હતી. પરંતુ હવે લગભગ દોઢ મહિના કરતા વધુ સમયથી ઝરી-કચીગામ બ્રિજની લાઈટ બંધ હોવાના કારણે શ્રમજીવીઓ તથાઉદ્યોગોમાં કામ કરતા કામદારોને પણ ભારે અગવડતાનો સામનો કરવા પડી રહ્યો છે. ઝરી-કચીગામ બ્રિજની સ્‍ટ્રીટ લાઈટની જવાબદારી જે પણ વિભાગની હોય તેઓ તાત્‍કાલિક લોકોને રોશની મળે એવી વ્‍યવસ્‍થા કરે તે સમયનો તકાજો છે.

Related posts

ધરમપુર મૃગમાળ પ્રા.શાળાના વિવાદિત શિક્ષક દુર કરવાની માંગણી બાદ પણ હાજર થતા લોકોએ શાળાને તાળા માર્યા

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે પ્રદેશના કેટલાક મહત્‍વપૂર્ણ મુદ્દાઓ અંગે કલેક્‍ટરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણના કચીગામ ખાતે કંઠેશ્વર મહાદેવના મંદિરમાં કરેલી પૂજા-અર્ચના

vartmanpravah

રાષ્‍ટ્રીય સેવા યોજના, દીવના સ્‍વયંસેવકો દ્વારા દીવ કોલેજમાં ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અને સંવિધાન દિવસ અંતર્ગત રંગોળી કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણમાં યોજાયેલ ઉત્તર ભારતીય પ્રિમિયર લીગ સિઝન-2માં ચેમ્‍પિયન બનેલી મિથિલા ઈલેવન:રનર્સ અપ રહેલી શિવમ વોરિયર્સ

vartmanpravah

ચીખલી તાલુકામાં પુર આવ્‍યાને દોઢેક માસ જેટલો સમય વિતવા છતાં ખેડૂતોને કેળ સહિતના પાકોમાં નુક્‍શાનીની સહાય ન ચૂકવાતા નારાજગી ફેલાવા પામી છે

vartmanpravah

Leave a Comment