(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.૦૬: દાનહમાં કોરોનાનો ઍકપણ કેસ પોઝિટિવ નોંધાયો નથી. પ્રદેશમાં હાલમા ૦૧ સક્રિય કેસ છે,અત્યાર સુધીમા ૫૯૦૪ કેસ રીકવર થઈ ચૂક્યા છે, ત્રણ વ્યક્તિના મોત થયેલ છે. પ્રદેશમા આરટીપીસીઆરના ૧૦૮ નમૂનાઓ અને અને રેપિડ ઍન્ટિજન ૧૩ નમૂના લેવામા આવ્યા હતા. જેમાંથી ઍકપણ કોરોના પોઝિટિવ કેસ નોîધાયો નથી. દાનહ આરોગ્ય વિભાગ દ્વારા પીઍચસી, સીઍચસી સેન્ટર પર અને સબ સેન્ટરમાં કોવીશીલ્ડ વેક્સીનનુ રસીકરણ કરવામા આવ્યું હતું. જેમા આજે ૨૯૮૫ લોકોને વેક્સીન આપવામા આવ્યા છે. પ્રદેશમાં પ્રથમ ડોઝ ૩,૬૭,૨૫૨ અને બીજો ડોઝ ૭૨,૯૪૦ વ્યક્તિઓને આપવામા આવતા કુલ ૪,૪૦,૧૯૨લોકોને વેક્સીન આપવામા આવી છે.