September 13, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ કલેક્‍ટર કચેરીના ત્રીજા માળે ફૉલ સિલિંગ તૂટી પડીઃ સદ્‌નશીબેન કોઈને પણ ઈજા કે જાનહાનીની ઘટના ટળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26 : દાદરા નગર હવેલીના સેલવાસ ખાતેની નવી કલેક્‍ટર કચેરીના એ-વિંગમાં ત્રીજા માળે સોશિયલ વેલ્‍ફેર વિભાગની કચેરીની ફૉલ સિલિંગ અચાનક તૂટીને નીચે પડી ગઈ હતી. જે સમયે આ ઘટના બની ત્‍યારે કોઈ જ અધિકારી અને કર્મચારીઓ ઉપસ્‍થિત નહીં હતા. સવારે રાબેતા મુજબ એક કર્મચારીએ ઓફિસનો જેવો દરવાજો ખોલ્‍યો તેની સાથે છત ધડામ થઈને તૂટી પડી હતી. સદ્‌નશીબે કચેરીમાં કોઈ પણ વ્‍યક્‍તિ હાજર નહીં હોવાને કારણેકોઈને ઈજા થવાની કે જાનહાનીની ઘટના ટળી હતી. પરંતુ આ ઘટનાથી બાંધકામની ગુણવત્તા પર સવાલ જરૂર ઉભા થઈ રહ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના હસ્‍તે ઉદ્‌ઘાટન કરવામાં આવેલ સેલવાસ ખાતેની નવી કલેક્‍ટર કચેરીના ત્રીજા માળની ફૉલ સિલિંગ આજે સવારે ધડામ દઈને તૂટી પડી હતી. આ બિલ્‍ડિંગમાં ફર્નિચર સહિત બીજા કામો બાકી હોવાને કારણે જાન્‍યુઆરી 2024 પછી કલેક્‍ટર સહિત અલગ અલગ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ બેસતા થયા હતા. આ છતના નિર્માણને હજુ એક વર્ષ પણ નથી થયું ત્‍યા અચાનક તૂટી પડતાં ગુણવત્તા સામે ઘણાં સવાલો ઉભા થઈ છે.

Related posts

દીવ વણાંકબારાની છોકરીને ડોળાસાનો મુસ્‍લિમ છોકરો ભગાડી જતા વણાંકબાર સંયુક્‍ત કોળી સમાજ દ્વારા દીવ એસ.પી.ને આવેદનપત્ર અપાયું

vartmanpravah

રાષ્ટ્રપતિ શ્રેષ્‍ઠ શિક્ષક એવોર્ડ-2019 વિજેતા વિરેન્‍દ્રભાઈ પટેલનું વાપી પી.ટી.સી. કોલેજમાં ‘શિક્ષક દિન’ નિમિત્તે કરાયેલું સન્‍માન

vartmanpravah

વલસાડ કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન -વ- ફરિયાદ સમિતિની બેઠક મળી

vartmanpravah

વલસાડ જિલ્લામાં અનંત ચૌદશે ઠેર ઠેર ભવ્‍ય વિસર્જન યાત્રાઓ યોજાઈ : હજારો ભાવિકો જોડાયા

vartmanpravah

દાનહ ‘સંવિધાન ગૌરવ સમિતિ’ દ્વારા વિવિધ માંગોને લઈનરોલી ચાર રસ્‍તા પાસે ધરણાં પ્રદર્શન યોજાયું

vartmanpravah

મોડે મોડે પ્રદેશ ભાજપને ફૂટી ડહાપણની દાઢ : હવે દાનહના ગ્રામ્‍ય વિસ્‍તારોની મુલાકાત લઈ સમસ્‍યા જાણવા શરૂ કરેલો પ્રયાસ

vartmanpravah

Leave a Comment