April 18, 2026
Vartman Pravah
Breaking NewsOtherદેશસેલવાસ

અકસ્‍માત ઝોન બનેલા વળાંકને સીધો કરવા માટે સેલવાસ-નરોલી રોડ પર આવેલા ઘટાદાર વૃક્ષોનું કાઢવામાં આવી રહેલું નિકંદનઃ પર્યાવરણપ્રેમીઓમાં દુઃખની લાગણી

સ્‍વામિનારાયણ મંદિર નજીક રોડના વળાંકને સીધો કરવા માટે 80 જેટલા વૃક્ષોને હટાવવામાં આવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27 : દાદરા નગર હવેલીના મુખ્‍ય કહેવાતા સેલવાસ-નરોલી રોડ પર સ્‍વામિનારાયણ મંદિર નજીક મુખ્‍ય રસ્‍તા ઉપરના વળાંકને સીધો કરવાની પ્રક્રિયા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. આ વળાંક ઉપર વારંવાર નાનામોટા અકસ્‍માતો થતા હતા, જેમાં ચારથી વધુ યુવાનોનામોત પણ થયા હતા. જે સંદર્ભે નરોલી ગામના અગ્રણીઓ દ્વારા અકસ્‍માત ઝોન બનેલા વળાંક ઉપર સ્‍પીકબ્રેકર(બમ્‍પ) લગાવવાની પણ માંગ કરી હતી. ગામલોકોની માંગણીને ધ્‍યાનમાં લઈ વહીવટીતંત્ર દ્વારા આ રસ્‍તાનો સર્વે હાથ ધરવામાં આવ્‍યો હતો, અને હવે આ રસ્‍તા ઉપર જોખમી વળાંકને સીધો કરવા માટેની પ્રક્રિયાનો પ્રારંભ પણ કરી દેવામાં આવ્‍યો છે જેમાં 80 કરતા વધુ શીતળ છાંયડો આપતા વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે.
રોડને સીધો કરવાના ભાગરૂપે સ્‍વામિનારાયણ મંદિરના સ્‍વયંસેવકો દ્વારા રસ્‍તાને લાગેલી દીવાલનું સ્‍વયંભૂ ડિમોલિશન કરવામાં આવ્‍યું હતું. હાલમાં આ રસ્‍તાની બન્ને સાઈડના વૃક્ષો કાપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવતા પર્યાવરણપ્રેમીઓ દુઃખની લાગણી પણ અનુભવી રહ્યા છે.
રસ્‍તાના વળાંક ઉપરના વૃક્ષો કાપવાની કામગીરી દરમિયાન બન્ને તરફનો રસ્‍તો બંધ કરાતા ટ્રાફિકજામની સમસ્‍યા પણ સર્જાવા પામી હતી. જેને ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા ખુલ્લો કરવાની ભારે મથામણ કરવા પડી હતી. હજુ પણ વૃક્ષો કાપવાની કામગીરી ચાલુ હોવાથી ટ્રાફિકનું ભારણ ક્‍યારે હટશે..? એવો સવાલ આવતા-જતા વાહનચાલકો કરી રહ્યા છે.

Related posts

ભારતમાં પ્રથમવાર વલસાડની કુસુમ વિદ્યાલય દ્વારા જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેની ઉપસ્થિતિમાં “સાયકલ 2 સ્કૂલ”નો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશમાં દિવાળી ટાણે પ્રવાસીઓનો રહેનારો અભૂતપૂર્વ ધસારોઃ દમણ-દીવ અને દાનહની લગભગ તમામ હોટલોના બુકિંગ ફૂલ

vartmanpravah

દુણેઠા સ્‍થિત જવાહર નવોદય શાળાના વિદ્યાર્થીએ અગમ્‍ય કારણોસર ફાંસી લગાવી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

સંઘપ્રદેશના વિદ્યુત વિભાગનું ખાનગીકરણઃ સુપ્રીમ કોર્ટમાં સરકારની વિશેષ લીવ પીટિશન નામંજૂરઃ મુંબઈ હાઈકોર્ટ કરશે સુનાવણી

vartmanpravah

શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ દ્વારા યોજાનારી ભાગવત કથાઃ વિશ્વ પ્રસિદ્ધ ભાગવતાચાર્ય મેહુલભાઈ જાનીના નિવાસ સ્‍થાને સંપન્ન થયેલી શ્રીફળ વિધિ

vartmanpravah

એક એવું પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર કે, જ્‍યાં ગાંધીજીના ગ્રામ સ્‍વરાજનું સ્‍વપ્‍ન સાકાર કરવા અધિકારી- કર્મીઓ આપે છે પરીક્ષા

vartmanpravah

Leave a Comment