March 3, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના કિલવણી ગ્રામ પંચાયતમાં‘સરકાર આપકે દ્વાર’ શિબિર યોજાઈ

બે દિવસમાં કુલ 493 જેટલા લાભાર્થીઓએ આગળ આવીને કરેલી અરજીમાંથી મોટાભાગની અરજીઓનું સ્‍થળ ઉપર જ કરાયેલું સમાધાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03 : દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સક્ષમ માર્ગદર્શન હેઠળ, દાનહના કિલવણી ગ્રામ પંચાયતના કિલવણી ગામમાં તા.01/03/2024 અને 03/10/2024 ના રોજ ‘‘સરકાર આપકે દ્વાર” શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જિલ્લા દાદરા અને નગર હવેલી, જેમાં કિલવણી ગામ પંચાયતના સરપંચ શ્રી જશવંતભાઈ સિંગાડા પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
દાદરા નગર હવેલીના કિલવણી ગ્રામ પંચાયત ખાતે યોજાયેલી ‘‘સરકાર આપકે દ્વાર” શિબિરમાં લોકો માટે મામલતદાર, ગેસ કનેક્‍શન, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, ટોરેન્‍ટ પાવર, આધાર સેવા કેન્‍દ્ર, પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ, પેન્‍શન યોજના, મનરેગા, ડી- ફય્‍ન્‍પ્‍, કળષિ વિભાગ, આરોગ્‍ય વિભાગ, સમાજ કલ્‍યાણ વિભાગ જેવા 13 જુદા જુદા વિભાગોના સ્‍ટોલ લગાવાયા હતા. જેના માધ્‍યમથી કિલવણી ગ્રામ પંચાયતના યોગ્‍ય લાભાર્થીઓને લાભ આપવા માટે સઘન પ્રયાસો કરાયા હતા. આ શિબિરમાં બે દિવસમાં કુલ 493 જેટલા લાભાર્થીઓએ આગળ આવીને અરજી કરી હતી, જેમાંથી મોટાભાગનીઅરજીઓનું સ્‍થળ ઉપર જ સમાધાન થવા પામ્‍યું હતું. એમ વિકાસ અને આયોજન અધિકારી-દાદરા નગર હવેલીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

ઘોઘલા ખાતે નિઃશુલ્‍ક આયુષ નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપ ‘‘સંગઠન પર્વ 2024” ના ચૂંટણી અધિકારી તરીકે સુરત ભાજપના આગેવાન રાજેશભાઈ દેસાઈની નિમણૂક કરાઈ

vartmanpravah

વલસાડમાં હાઈવે પર પસાર થતા ટ્રાન્‍સપોર્ટના વાહન ચાલકો માટે નેત્ર ચિકિત્‍સા શિબિર યોજાઈ

vartmanpravah

આંટિયાવાડના નવનિયુક્‍ત સરપંચ ઉર્વશીબેન પટેલે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દમણઃ સોમનાથ ગ્રામ પંચાયત ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ પહોંચતા કરાયેલું અભિવાદન

vartmanpravah

દાનહના નરોલી ચેકપોસ્‍ટ સ્‍થિત ગાંધાર ઓઇલ રિફાઇનરી ઇન્‍ડિયા લિ. કંપનીના કર્મચારીઓ પગારના મુદ્દે હડતાલ પર ઉતર્યા

vartmanpravah

Leave a Comment