April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આર. કે. દેસાઇ કોલેજ ઓફ એજ્યુકેશન, વાપીમાં EPC -4 ‘સ્વની સમજ’ અંતર્ગત ‘આધ્યાત્મિક સ્પર્શ : સ્વની ખોજ’ વિષય પર ISCKON દ્વારા સાપ્તાહિક કાર્યકમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: આર. કે. દેસાઇ કોલેજ ઓફ એજ્યુકેશન, વાપીમા ISCKON દ્વારા સાપ્તાહિક કાર્યકમમાં સદગુરુ દામોદર દાસજીના પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું, સૌ પ્રથમ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. આચાર્ય ડો. પ્રિતી જે. ચૌહાણ દ્વારા પ્રભુજીનું સ્વાગત કરવામાં આવ્યું. તેમજ કૉલેજ પરિવાર વતી સ્મૃતિ ભેટ ડૉ. ગુંજન વશી દ્વારા આપવામાં આવી હતી.પ્રથમ દિવસે ‘સુખ અને આનંદ’ ની શોધ વિષય પર તાલીમાર્થીઓને સાચા સુખ / આનંદની અનુભૂતિ કરાવી. બીજા દિવસે ‘શું ભગવાન નું અસ્તિત્વ છે?’ વિષય પર બ્રેઈન સ્ટ્રોમિંગ કરાવાયું,ત્રીજા દિવસે ‘ભગવાન કોણ છે ?’ માત્ર આપણું જીવન ચલાવે તે ભગવાન છે કે આખા બ્રહ્માંડને ચલાવનાર એક ક્રિયેટર છે તેની ઝાંખી કરાવી. ચોથા દિવસે ‘હું કોણ છું? મારું અસ્તિત્વ શા માટે? ‘મારા જીવનનું ધ્યેય શું હોવું જોઇએ ?તેના તરફ લઈ ગયાં. પાંચમા દિવસે ‘શા માટે સારા માણસો સાથે ખરાબ વસ્તુઓ ઘટે છે?’આ વિષય દ્વારા હકારાત્મક વલણ ઊભું કર્યું . છઠ્ઠા દિવસે ‘યોગ શું છે ?’ વિષય ઉપર આપણા જીવનમાં યોગ દ્વારા જોડાવાની ભાવના ઉભી થાય તેનો અહેસાસ કરાવ્યો. અને અંતમાં સાતમા દિવસે ‘આપણા રોજિંદા ઘરેલુ જીવનમાં ભગવદ્દ ગીતા જ્ઞાનને કેવી રીતે ઉપયોગમાં લેવાય?’ તેની સમજૂતી આપવામાં આવી હતી. તેમજ અંતે તાલીમાર્થીઓ માટે આધ્યાત્મિક પુસ્તકોનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું. આમ આ સાપ્તાહિક કાર્યક્રમમાં તાલીમાર્થીઓ ચિંતન ,મનન અને વિસ્તૃત જ્ઞાન દ્વારા પોતાના સ્વની ખોજ કરવાનો પ્રયાસ કર્યો હતો.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ડૉ. સારિકા પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. વૈશાલી દેસાઈ દ્વારા કરવામાં આવ્યું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન બદલ ચેરમેન શ્રી મીલન દેસાઈ અને આચાર્ય ડૉ. પ્રીતિ ચૌહાણ એ શુભેચ્છા પાઠવી હતી.

Related posts

વાપી-વલસાડમાં રોડ અકસ્‍માતમાં બે મોત : ચણોદમાં ટેમ્‍પો પલટી મારી જતા દબાઈ ગયેલ સાયકલ સવારનું મોત

vartmanpravah

વાપીને ગુજરાતની માડેલ પાલિકા બનાવવા માટે પ્રાદેશિક કમિશ્‍નરએ ઈચ્‍છા વ્‍યક્‍ત કરી

vartmanpravah

દાનહઃ ટોકરખાડા મરાઠી માધ્‍યમ શાળામાં રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવાયો

vartmanpravah

બેંકના વહીવટદાર અને સંઘપ્રદેશના સંયુક્‍ત નાણાં સચિવ કરણજીત સિંહ વાડોદરિયાની ઉપસ્‍થિતિમાં દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકના વયમર્યાદાના કારણે સેવા નિવૃત્ત થયેલા બે બ્રાન્‍ચ મેનેજરોને આપવામાં આવેલું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

વલસાડ સરકારી પોલીટેકનિક અને આર.ટી.ઓ દ્વારા પતંગના દોરાથી બચવા સેફટી બેલ્‍ટનું વિતરણ કરાયું

vartmanpravah

1લી સપ્‍ટેમ્‍બરે યોજાનાર ઐતિહાસિક કિસાન રેલી અંતર્ગત ડુમલાવમાં જિલ્લા કોંગ્રેસની મીટિંગ યોજાઈ

vartmanpravah

Leave a Comment