September 1, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ખરાબ મૌસમનો ભોગ બનતાં દીવના દરિયામાં વણાંકબારાની ફાયબર બોટે લીધી જળ સમાધી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.11 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવના વણાંકબારાના દરિયામાં ખરાબ વાતાવરણના કારણે એક બોટે મધદરિયે જળ સમાધી લીધી હતી. બોટ નંબર IND-02-MM-192 જેના માલિક માલિક ચંદ્રકાન્‍ત ગીવાનીની દેવ સાગર નામની બોટ જે આશરે વણાંકબારાથી મધદરિયે 40 થી 45 કિ.મી દૂર હતી ત્‍યારે ખરાબ વાતાવરણનો ભોગ બનતાં જળ સમાધી લીધી હતી, જેમાં બોટ માલિકને લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્‍યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દેવ સાગર બોટના માલિક અને ટંડેલ ચંદ્રકાંત ગીવા તથા તેમની સાથે બીજા સાત જેટલા ખલાસી કિનારે આવવાની તૈયારી કરી રહ્યા હતા તે દરમિયાન બોટમાં પાણી ભરાતા તેઓએ બોટમાંથી પાણી કાઢવાની કોશિશ કરી પરંતુ બોટમાં પાણી વધુ ને વધુ ભરાતા બોટ ડુબવા લાગી હતી ત્‍યારે બાજુમાં રહેલી બીજી બોટોનો સંપર્ક કરી બોટ ડૂબી રહી હોવાની માહિતી આપી હતી. તેથી દરીયામાં રહેલ અન્‍ય બોટોએ દેવ સાગર બોટમાં રહેલા ખલાસીઓનો આબાદ બચાવ કરી સહિ સલામત વણાંકબારા જેટી પર લાવવામાં આવ્‍યા હતા.
બોટે જળસમાધી લેતાં માલિકે દીવ જિલ્લા પ્રશાસન પાસે સહાયનીનમ્ર અરજી કરી છે. જેથી તેઓ તેમને થયેલ નુકસાની ભરપાઈ કરી શકે અને પોતાનો જીવન ગુજારો કરી શકે. આ ઘટનાની જાણ ફિશરીઝ વિભાગને થતાં ફિશરીઝ વિભાગના કર્મચારીઓ પણ વણાંકબારા જેટી પર પહોંચ્‍યા હતા અને પરિસ્‍થિતિનો તાગ મેળવ્‍યો હતો.

Related posts

દાનહ અને દમણ-દીવના ભાગ્‍ય વિધાતા કોણ? : દાનહ અને દમણ-દીવમાં સાંસદો એટલે જ સરકાર જેવી સ્‍થિતિ હતી

vartmanpravah

ચીખલી તાલુકામાં આરોગ્‍ય વિભાગ દ્વારા 12 પીએચસીમાં સર્વે કરાયોઃ 960 તાવના કેસો મળ્‍યા, ડેન્‍ગ્‍યુ-મેલેરિયાના એક પણ કેસ નહીં

vartmanpravah

વલસાડ ભાજપ કાર્યાલયમાં અટલબિહારી વાજપાઈની 100 મી જન્‍મજ્‍યંતી, સુશાસન દિવસે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણવાડા પંચાયતના પટાંગણમાં પરિયારી અને દમણવાડાના લોકોને આપવામાં આવી મફત કાનૂની સલાહ

vartmanpravah

એચ.ડી.એસ.વી. સાર્વજનિક હાઈસ્‍કૂલ ફડવેલ ખાતે વિકસિત ભારત સંકલ્‍પ રથયાત્રાનું ભવ્‍ય સ્‍વાગત કરાયું

vartmanpravah

સલવાની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ કરવામાં આવ્‍યા

vartmanpravah

Leave a Comment